અનિરૂધ્ધસિંહ જાડેજાએ રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયા સામે માંડ્યો માનહાનીનો દાવો


  • Published By :
  • Published Date : 2023-03-10 22:25:56

રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા ફરી એક વખત મેદાને આવ્યા છે. અનિરૂધ્ધસિંહ જાડેજાએ રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ ભગવાનજીભાઈ સગપરીયાને રૂપિયા 50 કરોડના માનહાનીના દાવા સાથે નોટિસ ફટકારી છે. ગોંડલના એડવોકેટ દિનેશ પાતરએ તેમના અસીલ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રીબડા) વતી આ નોટિસ ફટકારી છે.


શા માટે નોટિસ ફટકારી?


નોટિસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની બદનામી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.  નોટિસમાં જણાવ્યા મુજબ તમારા આ પ્રકારના દુષ્કૃત્ય પાછળનું એકમાત્ર કારણ અમારા અસીલની બદનક્ષી કરી તેઓને સામાજીક, વ્યવસાયીક, અને પારીવારીક પ્રતિષ્ઠાને હાની પહોંચાડી અમારા અસીલને સમાજમાં નીચા જોવાપણું થાય અને સમાજમાં ક્ષોભ અને શરમમાં મૂકાય તેવા સંજોગાનું નિર્માણ કરવાનું હતું. તમારા આ પ્રકારના ગેરકાયદેસરના કૃત્યને કારણે અમારા અસીલ તથા તેના પરીવારજનોને અસહ્ય અને તીવ્ર માનસીક ત્રાસ વેઠવો પડેલ અને હાલ પણ તેની અસર ચાલું છે. જાડેજા પરિવારે આ માટે પારીવારીક રીતે થયેલ આબરુંના ધોવાણની નુકશાની પેટે રૂપિયા 50 કરોડના વળતરની માગ કરી છે.


સમગ્ર મામલો છે?


રીબડા ગામ ખાતે તા. 22.12.2022 ના રોજ વિવિધ સમાજના આગેવાનોનું ગોંડલના ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્યની હાજરીમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ રીબડાના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદ સગપરિયાએ સભામાં જણાવ્યું હતું કે તેઓ 40 વર્ષ પહેલાં મહિપતસિંહ જાડેજાના પરિવારના ત્રાસથી રીબડા છોડી ચૂક્યા છે. દિવસ-રાત મહેનત કરી કારખાનાં ચલાવી રહ્યા છે. તેમ છતાં પણ તેમના શિરે 5 કરોડનું દેણું છે. જ્યારે મહિપતસિંહ અને અનિરુદ્ધસિંહનો પરિવાર જેલમાં બેઠાં બેઠાં પણ રૂપિયા 1000 કરોડનો આસામી કઈ રીતે બની ગયો તેની સરકારે તપાસ કરવી જોઈએ.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .