અનિરૂધ્ધસિંહ જાડેજાએ રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયા સામે માંડ્યો માનહાનીનો દાવો


  • Published By :
  • Published Date : 2023-03-10 22:25:56

રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા ફરી એક વખત મેદાને આવ્યા છે. અનિરૂધ્ધસિંહ જાડેજાએ રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ ભગવાનજીભાઈ સગપરીયાને રૂપિયા 50 કરોડના માનહાનીના દાવા સાથે નોટિસ ફટકારી છે. ગોંડલના એડવોકેટ દિનેશ પાતરએ તેમના અસીલ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રીબડા) વતી આ નોટિસ ફટકારી છે.


શા માટે નોટિસ ફટકારી?


નોટિસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની બદનામી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.  નોટિસમાં જણાવ્યા મુજબ તમારા આ પ્રકારના દુષ્કૃત્ય પાછળનું એકમાત્ર કારણ અમારા અસીલની બદનક્ષી કરી તેઓને સામાજીક, વ્યવસાયીક, અને પારીવારીક પ્રતિષ્ઠાને હાની પહોંચાડી અમારા અસીલને સમાજમાં નીચા જોવાપણું થાય અને સમાજમાં ક્ષોભ અને શરમમાં મૂકાય તેવા સંજોગાનું નિર્માણ કરવાનું હતું. તમારા આ પ્રકારના ગેરકાયદેસરના કૃત્યને કારણે અમારા અસીલ તથા તેના પરીવારજનોને અસહ્ય અને તીવ્ર માનસીક ત્રાસ વેઠવો પડેલ અને હાલ પણ તેની અસર ચાલું છે. જાડેજા પરિવારે આ માટે પારીવારીક રીતે થયેલ આબરુંના ધોવાણની નુકશાની પેટે રૂપિયા 50 કરોડના વળતરની માગ કરી છે.


સમગ્ર મામલો છે?


રીબડા ગામ ખાતે તા. 22.12.2022 ના રોજ વિવિધ સમાજના આગેવાનોનું ગોંડલના ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્યની હાજરીમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ રીબડાના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદ સગપરિયાએ સભામાં જણાવ્યું હતું કે તેઓ 40 વર્ષ પહેલાં મહિપતસિંહ જાડેજાના પરિવારના ત્રાસથી રીબડા છોડી ચૂક્યા છે. દિવસ-રાત મહેનત કરી કારખાનાં ચલાવી રહ્યા છે. તેમ છતાં પણ તેમના શિરે 5 કરોડનું દેણું છે. જ્યારે મહિપતસિંહ અને અનિરુદ્ધસિંહનો પરિવાર જેલમાં બેઠાં બેઠાં પણ રૂપિયા 1000 કરોડનો આસામી કઈ રીતે બની ગયો તેની સરકારે તપાસ કરવી જોઈએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.