અનિરૂધ્ધસિંહ જાડેજાએ રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયા સામે માંડ્યો માનહાનીનો દાવો


  • Published By :
  • Published Date : 2023-03-10 22:25:56

રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા ફરી એક વખત મેદાને આવ્યા છે. અનિરૂધ્ધસિંહ જાડેજાએ રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ ભગવાનજીભાઈ સગપરીયાને રૂપિયા 50 કરોડના માનહાનીના દાવા સાથે નોટિસ ફટકારી છે. ગોંડલના એડવોકેટ દિનેશ પાતરએ તેમના અસીલ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રીબડા) વતી આ નોટિસ ફટકારી છે.


શા માટે નોટિસ ફટકારી?


નોટિસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની બદનામી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.  નોટિસમાં જણાવ્યા મુજબ તમારા આ પ્રકારના દુષ્કૃત્ય પાછળનું એકમાત્ર કારણ અમારા અસીલની બદનક્ષી કરી તેઓને સામાજીક, વ્યવસાયીક, અને પારીવારીક પ્રતિષ્ઠાને હાની પહોંચાડી અમારા અસીલને સમાજમાં નીચા જોવાપણું થાય અને સમાજમાં ક્ષોભ અને શરમમાં મૂકાય તેવા સંજોગાનું નિર્માણ કરવાનું હતું. તમારા આ પ્રકારના ગેરકાયદેસરના કૃત્યને કારણે અમારા અસીલ તથા તેના પરીવારજનોને અસહ્ય અને તીવ્ર માનસીક ત્રાસ વેઠવો પડેલ અને હાલ પણ તેની અસર ચાલું છે. જાડેજા પરિવારે આ માટે પારીવારીક રીતે થયેલ આબરુંના ધોવાણની નુકશાની પેટે રૂપિયા 50 કરોડના વળતરની માગ કરી છે.


સમગ્ર મામલો છે?


રીબડા ગામ ખાતે તા. 22.12.2022 ના રોજ વિવિધ સમાજના આગેવાનોનું ગોંડલના ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્યની હાજરીમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ રીબડાના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદ સગપરિયાએ સભામાં જણાવ્યું હતું કે તેઓ 40 વર્ષ પહેલાં મહિપતસિંહ જાડેજાના પરિવારના ત્રાસથી રીબડા છોડી ચૂક્યા છે. દિવસ-રાત મહેનત કરી કારખાનાં ચલાવી રહ્યા છે. તેમ છતાં પણ તેમના શિરે 5 કરોડનું દેણું છે. જ્યારે મહિપતસિંહ અને અનિરુદ્ધસિંહનો પરિવાર જેલમાં બેઠાં બેઠાં પણ રૂપિયા 1000 કરોડનો આસામી કઈ રીતે બની ગયો તેની સરકારે તપાસ કરવી જોઈએ.



પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યું. આજે બેઠક થવાની છે તેની પહેલા કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનો એક ઓડિયો ક્લીપ સામે આવ્યો છે.

દીકરી અને પિતાના સંબંધનું વર્ણન થાય તેમ નથી.. દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે પિતા ગમે તે હદ સુધી જઈ શકે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં દીકરીને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.

ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા 7 બેઠકો માટે ઉમેદવાર નથી જાહેર કરવામાં આવ્યા. આવતી કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આપણી અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં આ કાયદાના લીરેલીરો ઉડતા હોય છે. ત્યારે કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે.