અનિરૂધ્ધસિંહ જાડેજાએ રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયા સામે માંડ્યો માનહાનીનો દાવો


  • Published By :
  • Published Date : 2023-03-10 22:25:56

રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા ફરી એક વખત મેદાને આવ્યા છે. અનિરૂધ્ધસિંહ જાડેજાએ રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ ભગવાનજીભાઈ સગપરીયાને રૂપિયા 50 કરોડના માનહાનીના દાવા સાથે નોટિસ ફટકારી છે. ગોંડલના એડવોકેટ દિનેશ પાતરએ તેમના અસીલ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રીબડા) વતી આ નોટિસ ફટકારી છે.


શા માટે નોટિસ ફટકારી?


નોટિસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની બદનામી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.  નોટિસમાં જણાવ્યા મુજબ તમારા આ પ્રકારના દુષ્કૃત્ય પાછળનું એકમાત્ર કારણ અમારા અસીલની બદનક્ષી કરી તેઓને સામાજીક, વ્યવસાયીક, અને પારીવારીક પ્રતિષ્ઠાને હાની પહોંચાડી અમારા અસીલને સમાજમાં નીચા જોવાપણું થાય અને સમાજમાં ક્ષોભ અને શરમમાં મૂકાય તેવા સંજોગાનું નિર્માણ કરવાનું હતું. તમારા આ પ્રકારના ગેરકાયદેસરના કૃત્યને કારણે અમારા અસીલ તથા તેના પરીવારજનોને અસહ્ય અને તીવ્ર માનસીક ત્રાસ વેઠવો પડેલ અને હાલ પણ તેની અસર ચાલું છે. જાડેજા પરિવારે આ માટે પારીવારીક રીતે થયેલ આબરુંના ધોવાણની નુકશાની પેટે રૂપિયા 50 કરોડના વળતરની માગ કરી છે.


સમગ્ર મામલો છે?


રીબડા ગામ ખાતે તા. 22.12.2022 ના રોજ વિવિધ સમાજના આગેવાનોનું ગોંડલના ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્યની હાજરીમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ રીબડાના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદ સગપરિયાએ સભામાં જણાવ્યું હતું કે તેઓ 40 વર્ષ પહેલાં મહિપતસિંહ જાડેજાના પરિવારના ત્રાસથી રીબડા છોડી ચૂક્યા છે. દિવસ-રાત મહેનત કરી કારખાનાં ચલાવી રહ્યા છે. તેમ છતાં પણ તેમના શિરે 5 કરોડનું દેણું છે. જ્યારે મહિપતસિંહ અને અનિરુદ્ધસિંહનો પરિવાર જેલમાં બેઠાં બેઠાં પણ રૂપિયા 1000 કરોડનો આસામી કઈ રીતે બની ગયો તેની સરકારે તપાસ કરવી જોઈએ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.