માલદીવની જેમ હવે બાંગ્લાદેશમાં પણ 'ઈન્ડિયા આઉટ' અભિયાન, ભારત વિરોધી BNPએ શરૂ કરી કેમ્પેઈન


  • Published By :
  • Published Date : 2024-01-16 14:04:12

ભારતના એક સમયના મિત્ર દેશ માવદીવમાં ઈન્ડિયા આઉટનો નારો ચલાવીને સત્તામાં આવેલા મુઈજ્જુ બાદ હવે બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી( બીએનપી)એ આ અભિયાન શરૂ કર્યું છે. બીએનપીએ બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ એટલે કે ભારતને બહાર કાઢો અભિયાન શરૂ કર્યું છે. બીએનપીનું આ આંદોલન મુઈજ્જુની પાર્ટી પીએનસીના ગત વર્ષે શરૂ કરવામાં આવેલા કેમ્પેઈન જેવું જ છે. જેમાં તેમણે ઈન્ડિયા આઉટનો નારો આપીને પોતાના દેશમાં ભારતની દખલ ઓછી કરવાની વાત કરી હતી, આ આંદોલન બાદ બંને  દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. હવે બાંગ્લાદેશનો મુખ્ય વિરોધ પક્ષ બીએનપી પણ ભારતના માર્ગે છે. ઉલ્લેખનિય છે કે બીએનપી ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પાર્ટી મનાય છે. 


તારીક રહેમાન ચલાવી રહ્યા છે અભિયાન 

 

બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ આંદોલન પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન ચલાવી રહ્યા છે. તારીક રહેમાન બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ છે. તારીક પર દેશમાં અનેક કેસ ચાલી રહ્યા છે, તેથી તે ઘણા સમયથી લંડનમાં જ રહે છે. જો કે તેમણે તેમનાી પાર્ટીના કાર્યકરોને માલદીવની જેમ ભારત વિરોધી આંદોલન ચલાવવાની સૂચના આપી છે. જેમાં બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી ભાવનાને ઉશ્કેરવાનો પણ હેતું છે. બીએનપી સાયબર સેલએ સોશિયલ મીડિયા પર આ અભિયાન શરૂ કરી દીધું છે. પાર્ટીની સાયબર વિંગના સભ્યો સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી અને ભારત વિરોધી નફરત ફેલાવી રહ્યા છે.   



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.