માલદીવની જેમ હવે બાંગ્લાદેશમાં પણ 'ઈન્ડિયા આઉટ' અભિયાન, ભારત વિરોધી BNPએ શરૂ કરી કેમ્પેઈન


  • Published By :
  • Published Date : 2024-01-16 14:04:12

ભારતના એક સમયના મિત્ર દેશ માવદીવમાં ઈન્ડિયા આઉટનો નારો ચલાવીને સત્તામાં આવેલા મુઈજ્જુ બાદ હવે બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી( બીએનપી)એ આ અભિયાન શરૂ કર્યું છે. બીએનપીએ બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ એટલે કે ભારતને બહાર કાઢો અભિયાન શરૂ કર્યું છે. બીએનપીનું આ આંદોલન મુઈજ્જુની પાર્ટી પીએનસીના ગત વર્ષે શરૂ કરવામાં આવેલા કેમ્પેઈન જેવું જ છે. જેમાં તેમણે ઈન્ડિયા આઉટનો નારો આપીને પોતાના દેશમાં ભારતની દખલ ઓછી કરવાની વાત કરી હતી, આ આંદોલન બાદ બંને  દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. હવે બાંગ્લાદેશનો મુખ્ય વિરોધ પક્ષ બીએનપી પણ ભારતના માર્ગે છે. ઉલ્લેખનિય છે કે બીએનપી ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પાર્ટી મનાય છે. 


તારીક રહેમાન ચલાવી રહ્યા છે અભિયાન 

 

બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ આંદોલન પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન ચલાવી રહ્યા છે. તારીક રહેમાન બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ છે. તારીક પર દેશમાં અનેક કેસ ચાલી રહ્યા છે, તેથી તે ઘણા સમયથી લંડનમાં જ રહે છે. જો કે તેમણે તેમનાી પાર્ટીના કાર્યકરોને માલદીવની જેમ ભારત વિરોધી આંદોલન ચલાવવાની સૂચના આપી છે. જેમાં બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી ભાવનાને ઉશ્કેરવાનો પણ હેતું છે. બીએનપી સાયબર સેલએ સોશિયલ મીડિયા પર આ અભિયાન શરૂ કરી દીધું છે. પાર્ટીની સાયબર વિંગના સભ્યો સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી અને ભારત વિરોધી નફરત ફેલાવી રહ્યા છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.