માલદીવની જેમ હવે બાંગ્લાદેશમાં પણ 'ઈન્ડિયા આઉટ' અભિયાન, ભારત વિરોધી BNPએ શરૂ કરી કેમ્પેઈન


  • Published By :
  • Published Date : 2024-01-16 14:04:12

ભારતના એક સમયના મિત્ર દેશ માવદીવમાં ઈન્ડિયા આઉટનો નારો ચલાવીને સત્તામાં આવેલા મુઈજ્જુ બાદ હવે બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી( બીએનપી)એ આ અભિયાન શરૂ કર્યું છે. બીએનપીએ બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ એટલે કે ભારતને બહાર કાઢો અભિયાન શરૂ કર્યું છે. બીએનપીનું આ આંદોલન મુઈજ્જુની પાર્ટી પીએનસીના ગત વર્ષે શરૂ કરવામાં આવેલા કેમ્પેઈન જેવું જ છે. જેમાં તેમણે ઈન્ડિયા આઉટનો નારો આપીને પોતાના દેશમાં ભારતની દખલ ઓછી કરવાની વાત કરી હતી, આ આંદોલન બાદ બંને  દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. હવે બાંગ્લાદેશનો મુખ્ય વિરોધ પક્ષ બીએનપી પણ ભારતના માર્ગે છે. ઉલ્લેખનિય છે કે બીએનપી ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પાર્ટી મનાય છે. 


તારીક રહેમાન ચલાવી રહ્યા છે અભિયાન 

 

બાંગ્લાદેશમાં ઈન્ડિયા આઉટ આંદોલન પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન ચલાવી રહ્યા છે. તારીક રહેમાન બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ છે. તારીક પર દેશમાં અનેક કેસ ચાલી રહ્યા છે, તેથી તે ઘણા સમયથી લંડનમાં જ રહે છે. જો કે તેમણે તેમનાી પાર્ટીના કાર્યકરોને માલદીવની જેમ ભારત વિરોધી આંદોલન ચલાવવાની સૂચના આપી છે. જેમાં બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી ભાવનાને ઉશ્કેરવાનો પણ હેતું છે. બીએનપી સાયબર સેલએ સોશિયલ મીડિયા પર આ અભિયાન શરૂ કરી દીધું છે. પાર્ટીની સાયબર વિંગના સભ્યો સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી અને ભારત વિરોધી નફરત ફેલાવી રહ્યા છે.   



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.