મોંઘવારી ઘટાડવી છે તો રિલાયન્સ, ટાટા, બિરલા, અદાણી ગ્રુપને તોડી નાખો, RBIના આ પૂર્વ ડેપ્યુટી ગવર્નરે કર્યું સૂચન


  • Published By :
  • Published Date : 2023-03-30 14:53:06

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર રહી ચૂકેલા વિરલ આચાર્યએ દેશની પાંચ મોટી કંપનીઓને તોડી નાખવાનું સૂચન કર્યું છે. તેમનું કહેવું છે કે રિલાયન્સ ગ્રુપ, ટાટા ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ, અદાણી ગ્રુપ અને ભારતી ટેલિકોમ જેવી મોટી-5 કંપનીઓના કારણે નાની કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આ કંપનીઓ રિટેલ, સંસાધનો અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટર્સમાં અપાર પ્રાઇસિંગ પાવર ધરાવે છે. મોંઘવારી વધારવામાં આ કંપનીઓનો પણ હાથ છે તેથી તેમને તોડવી જોઈએ. 


મોટી કંપનીઓનો મોંઘવારી વધારવામાં હાથ


બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 2017 થી 2019 સુધી RBIના ડેપ્યુટી ગવર્નર રહેલા વિરલ આચાર્યએ કહ્યું કે સરકારના ભારે ટેરિફને કારણે દેશની મોટી કંપનીઓને રક્ષણ મળે છે અને વિદેશી કંપનીઓ તેમને સ્પર્ધા આપવામાં અસમર્થ છે. ન્યુયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલના અર્થશાસ્ત્રના પ્રોફેસર આચાર્યએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ચેમ્પિયન બનાવવાને ઘણા લોકો નવા ભારતની ઔદ્યોગિક નીતિ માને છે. પરંતુ મોંઘવારી વધારવામાં તેમનો સીધો હાથ હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે સ્પર્ધા વધારવા અને કિંમત નિર્ધારણ શક્તિ ઘટાડવા માટે મોટી 5 કંપનીઓને તોડી નાખવી જોઈએ.


આચાર્યનું રિસર્ચ પેપર રજુ થશે


આચાર્યએ તેમના એક રિસર્ચ પેપરમાં આ વાત લખી છે. તે બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટમાં રજુ કરવામાં આવશે. આચાર્યનું કહેવું છે કે કાચા માલના ભાવમાં ઘટાડાનો લાભ ભારતીય ગ્રાહકોને સંપૂર્ણપણે નહીં મળે કારણ કે મોટી 5 કંપનીઓ મેટલ્સ, કોક, રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન તેમજ છૂટક વેપાર અને ટેલિકોમ્યુનિકેશનને નિયંત્રિત કરે છે. તેમણે જણાવ્યું કે જ્યારે સપ્લાય-ચેઈનના મુદ્દાઓ દૂર થવાને કારણે સમગ્ર વિશ્વમાં ફુગાવો ઓછો થયો છે. જ્યારે ભારતમાં વસ્તુઓ હજુ પણ મોંઘી છે. મોંઘવારી ઘટાડવા માટે રિઝર્વ બેંકે ગયા વર્ષના મે મહિનાથી રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. આરબીઆઈની એમપીસીની બેઠક આવતા સપ્તાહે યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે રેપો રેટમાં ફરી 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે.


RBI ગવર્નર શક્તિકાંત દાસનો વિરોધ


આચાર્યએ તેમનો કાર્યકાળ પૂરો થવાના છ મહિના પહેલા જૂન 2019માં RBIમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે RBI ગવર્નર શક્તિકાંત દાસની વિરુદ્ધ અનેક નીતિગત દર નિર્ણયોમાં મત આપ્યો હતો. આચાર્યનું કહેવું છે કે ભારતે મેક્રો ઈકોનોમિક બેલેન્સ પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેટ્સની વધતી શક્તિને કારણે ફુગાવો સતત ઊંચા સ્તરે રહેવાનું જોખમ સર્જાયું છે. આચાર્યએ કહ્યું કે તેમની પાસે તમામ પ્રશ્નોના જવાબ નથી પરંતુ તેના વિશે ખુલ્લી ચર્ચા કરવાથી લાભ થશે.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.