વિકએન્ડ પર દ્રશ્યમ 2એ કરી ધૂમ કમાણી, ફિલ્મનું કલેક્શન પહોંચ્યું 60 કરોડને પાર


  • Published By :
  • Published Date : 2022-11-21 11:28:02

બોક્સ ઓફિસમાં અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2 બમ્પર કમાણી કરી રહી છે. 18 નવેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મે પ્રથમ વિકેન્ડ પર ધૂમ કમાણી કરી છે. કમાણીનો આંકડો 60 કરોડને પાર પહોંચી ગયો છે. ફિલ્મે પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર અંદાજીત 15 કરોડની કમાણી કરી લીધી હતી. ફિલ્મની સારી શરૂઆત થતા એવી આશા લગાવવામાં આવી રહી હતી કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે અને ફિલ્મ સારી કમાણી પણ કરી રહી છે. 


બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે દ્રશ્યમ 2 

7 વર્ષ બાદ ફરીથી સલગાંવકર પરિવાર બોક્સ ઓફિસ પર પાછો આવ્યો છે. આ ફિલ્મની જો વાત કરીએ તો આ ફિલ્મમાં જૂના કેસને રિ-ઓપન કરવામાં આવ્યો છે. જૂની કહાનીને નવા ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન, તબ્બુ સહિતના અનેક કલાકારોનો સમાવેશ થયો છે. જ્યારથી દ્રશ્યમ રિલીઝ થઈ હતી ત્યારથી લોકો ફિલ્મના બીજા ભાગની રાહ જોતા હતા. 7 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ બોક્સ ઓફિસ પર આવ્યો છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 


કાંતારા બોક્સ ઓફિસ પર 'મિલ્ખા સિંઘ'ની જેમ ચાલી રહી છે, ફિલ્મની કમાણી |  Kantara is running like 'Milkha Singh' at the box office, earning the film

અનેક ફિલ્મો કરી રહી છે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન 

દ્રશ્યમ 2 સિવાય અમિતાભ બચ્ચનની ફિલ્મ ઉંચાઈને પણ દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મની કમાણી પણ સતત વધી રહી છે. આ ફિલ્મે અંદાજીત 23.88 કરોડ જેટલી કમાણી કરી લીધી છે. ઉપરાંત કાંતારા પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 52 દિવસ થઈ ગયા છે પરંતુ હજી પણ આ કમાણી વધી શકી છે. આ ફિલ્મે 303 કરોડની કમાણી હજી સુધીમાં કરી લીધી છે અને આ આંકડો હજી વધી શકે છે.      




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.