બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે અનામતની વર્તમાન 50% મર્યાદાને વધારવાની માંગ કરી


  • Published By :
  • Published Date : 2022-11-08 18:47:17


સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેંચે બંધારણના 103માં સુધારા અધિનિયમ, 2019ની કાયદેસરતાની યથાસ્થિતી જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આવકાર્યો છે. જો કે તેમણે અનામતના વર્તમાન 50 ટકાની મર્યાદાને વધારવાની માગ કરી છે. નિતીશ કુમારની આ નવી માગથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.  


સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું


નિતીશ કુમારે મીડિયાના સવાલના જવાબમાં કહ્યું કે EWS પર સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય યોગ્ય છે. આ નિર્ણયનો અમે લોકોએ પહેલા પણ સ્વાગત કર્યું હતું. આ સારૂ છે પણ અનામતની વર્તમાન 50%ની મર્યાદાને વધારવી જોઈએ.


બિહારમાં જાતિગત વસ્તી ગણતરી  


નિતીશ કુમારે દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે અમે બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી રહ્યા છીએ, જાતિગત વસ્તી ગણતરી એક વખત પુરી થઈ ગયા પછી જાણી શકાશે કે રાજ્યમાં કઈ જાતિની શું સ્થિતી છે. જેથી તેની આર્થિક સ્થિતીમાં સુધારો લાવી શકાય. 




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.