બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે અનામતની વર્તમાન 50% મર્યાદાને વધારવાની માંગ કરી


  • Published By :
  • Published Date : 2022-11-08 18:47:17


સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેંચે બંધારણના 103માં સુધારા અધિનિયમ, 2019ની કાયદેસરતાની યથાસ્થિતી જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આવકાર્યો છે. જો કે તેમણે અનામતના વર્તમાન 50 ટકાની મર્યાદાને વધારવાની માગ કરી છે. નિતીશ કુમારની આ નવી માગથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.  


સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું


નિતીશ કુમારે મીડિયાના સવાલના જવાબમાં કહ્યું કે EWS પર સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય યોગ્ય છે. આ નિર્ણયનો અમે લોકોએ પહેલા પણ સ્વાગત કર્યું હતું. આ સારૂ છે પણ અનામતની વર્તમાન 50%ની મર્યાદાને વધારવી જોઈએ.


બિહારમાં જાતિગત વસ્તી ગણતરી  


નિતીશ કુમારે દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે અમે બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી રહ્યા છીએ, જાતિગત વસ્તી ગણતરી એક વખત પુરી થઈ ગયા પછી જાણી શકાશે કે રાજ્યમાં કઈ જાતિની શું સ્થિતી છે. જેથી તેની આર્થિક સ્થિતીમાં સુધારો લાવી શકાય. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે