બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે અનામતની વર્તમાન 50% મર્યાદાને વધારવાની માંગ કરી


  • Published By :
  • Published Date : 2022-11-08 18:47:17


સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેંચે બંધારણના 103માં સુધારા અધિનિયમ, 2019ની કાયદેસરતાની યથાસ્થિતી જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આવકાર્યો છે. જો કે તેમણે અનામતના વર્તમાન 50 ટકાની મર્યાદાને વધારવાની માગ કરી છે. નિતીશ કુમારની આ નવી માગથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.  


સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું


નિતીશ કુમારે મીડિયાના સવાલના જવાબમાં કહ્યું કે EWS પર સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય યોગ્ય છે. આ નિર્ણયનો અમે લોકોએ પહેલા પણ સ્વાગત કર્યું હતું. આ સારૂ છે પણ અનામતની વર્તમાન 50%ની મર્યાદાને વધારવી જોઈએ.


બિહારમાં જાતિગત વસ્તી ગણતરી  


નિતીશ કુમારે દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે અમે બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી રહ્યા છીએ, જાતિગત વસ્તી ગણતરી એક વખત પુરી થઈ ગયા પછી જાણી શકાશે કે રાજ્યમાં કઈ જાતિની શું સ્થિતી છે. જેથી તેની આર્થિક સ્થિતીમાં સુધારો લાવી શકાય. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.