મુંબઈ એરપોર્ટ પર ગોવિંદાને મળ્યો તેનો હમશકલ:ગોવિંદા તેને મળી ખુશ થયા;જુઓ વિડિઓ


  • Published By :
  • Published Date : 2022-11-05 16:32:10

આજે પણ 90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદાની કોમેડી ફિલ્મો જોઈને આપણાચહેરા પર સ્મિત આવી જાય છે. ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં જોવા મળ્યો નથી. જો કે તે ચોક્કસપણે કેટલાક શોમાં ગેસ્ટ તરીકે જોવા મળી છે. તેના અભિનય અને નૃત્યના લાખો-કરોડો ચાહકો છે. શનિવારે ગોવિંદા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેમની સાથે તેમની પત્ની સુનીતા કપૂર પણ હતી. આ દરમિયાન તેનો હમશકલ પણ જોવા મળ્યો જે ગોવિંદાને મળ્યા અને ફૂલોનો ગુલદસ્તો આપ્યો.

actor govinda met his duplicate fan at mumbai airport watch video -आईला! एक  साथ दिखाई दिए 2-2 गोविंदा..., हैरान यूजर्स बोले- बीवी तो गलत एक्टर के साथ  चली गई

23 વર્ષ પછી મુલાકાત

ગોવિંદાને જોતા જ વ્યક્તિ તેના પગને સ્પર્શ કરે છે અને તે પછી તે તેની સાથે વાત કરવા લાગે છે. વ્યક્તિએ જણાવ્યું કે તે તેને 23 વર્ષ પછી મળ્યો હતો. ફોનમાં ગોવિંદા સાથેનો તેનો ફોટો બતાવે છે અને કહે છે કે તે તેને પહેલા પણ મળ્યો છે. ગોવિંદા આ જોઈ ખુશ થાઈ છે.


યૂઝર્સોએ પ્રતિક્રિયા આપી 

એક વાર વીડિયો જોઈને તમે પણ છેતરાઈ શકો છો. એક યુઝરે કહ્યું, 'ખરેખર મને લાગ્યું કે ગોવિંદા કોઈ બીજાના પગને સ્પર્શ કરી રહ્યો છે.' એક યુઝરે લખ્યું, 'અરે, કોણ અસલી નથી અને કોણ નકલી છે.' બીજાએ કહ્યું, 'પહેલા કોને સમજાયું નહીં? સા અસલી હૈ.' એક યુઝરે લખ્યું. , 'ઓએમજી ડુપ્લિકેટ.'


21 વર્ષની ઉમરે ધડધડ 75 ફિલ્મો સાઈન કરી હતી

ગોવિંદાનું માનવું છે કે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ નથી કર્યો, પરંતુ ઈન્ડસ્ટ્રી તેનામાં આવી. 21 વર્ષની ઉંમરે તેણે 75 ફિલ્મો સાઈન કરી હતી. વધુ પડતા કામના કારણે તેમની તબિયત પણ બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.