આવનાર દિવસોમાં સતીષ કૌશિકના મૃત્યુ અંગે થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા! ફાર્મ હાઉસમાંથી મળી આવી શંકાસ્પદ દવાઓ


  • Published By :
  • Published Date : 2023-03-11 16:29:33

સતીષ કૌશિકનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે 8 માર્ચે થયું હતું. સતીષ કૌશિકના મોત બાદ પોલીસ તેમના મોતના કારણો શોધવામાં લાગી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર તપાસ દરમિયાન પોલીસને ફાર્મ હાઉસ પરથી કેટલીક દવાઓ મળી આવી હતી. પોલીસ ફાર્મ હાઉસના માલિકની પૂછપરછ કરવા માગતી હતી પરંતુ તે હાલ ફરાર છે. આ એ જ ફાર્મ હાઉસ છે જ્યાં તેમણે હોળીની ઉજવણી કરી હતી. સતીષ કૌશિકનું મોત સંશાસ્પદ સંજોગોમાં થયું હતું જેને કારણે તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. પોલીસ હત્યાના પરિપ્રેક્ષ્યમાં હવે આ મોતને જોતી હોય તેવું લાગી રહ્યું છે. 


ફાર્મ હાઉસમાંથી મળી આવી શંકાસ્પદ દવાઓ       

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સતીષ કૌશિકનું અવસાન 8 માર્ચના રોજ થયું હતું. તેમના મૃત્યુના એક દિવસ પહેલા તેમણે દિલ્હી ખાતે હોળીની ઉજવણી કરી હતી. બિજવાસન ફાર્માહાઉસમાં હોળી રમવા આવ્યા હતા અને તે બાદ રાત્રીના 11 વાગ્યા બાદ તેમને બેચેની થવા લાગી. જે બાદ તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેક આવવાને કારણે તેમનું નિધન થયું છે કે કોઈ અન્ય કારણોસર તેમનું મોત થયું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ જે ફાર્મ હાઉસમાં હોળી પાર્ટીનું આયોજન થયું હતું તે ફાર્મ હાઉસમાંથી પોલીસને કેટલીસ શંકાસ્પદ દવાઓ મળી આવી છે. જે બાદ પોલીસે તપાસ આ મામલે આગળ વધારી છે. પોલીસ ફાર્મ માલિકની પૂછપરછ માટે તપાસ કરી રહી છે કારણ કે તે ફરાર છે. 


પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે પોલીસ  

66 વર્ષની ઉંમરે સતીષ કૌશિકે અંતિમ શ્વાસ લીધા છે. અચાનક તેમનું મોત થતા તેમના ચાહકોમાં તેમજ બોલિવૂડ જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. આ અંગે પોલીસે જણાવ્યું કે સતીષ કૌશિકનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. જેને કારણે તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી પોસ્ટમોર્ટનો રિપોર્ટ આવ્યો નથી જેને કારણે તેમના મોતનું સાચું કારણ શું છે તે જાણી શકાયું નથી.  


આવનાર દિવસોમાં થઈ શકે છે મહત્વના ખુલાસા!

પોલીસ અનેક પ્રશ્નોને લઈ વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટસ પોલીસનું કહેવું છે કે જ્યારે સતિષ કૌશિકની તબિયત ખરાબ થઈ ત્યાંથી લઈ હોસ્પિટલ પહોંચવા સુધી તેમની સાથે કોણ હતું, તેમની સાથે શું થયું. આ બધી વાતોને ધ્યાનમાં રાખી તપાસ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં હાજર લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં આ અંગે મહત્વના ખુલાસા થઈ શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.  




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.