આવનાર દિવસોમાં સતીષ કૌશિકના મૃત્યુ અંગે થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા! ફાર્મ હાઉસમાંથી મળી આવી શંકાસ્પદ દવાઓ


  • Published By :
  • Published Date : 2023-03-11 16:29:33

સતીષ કૌશિકનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે 8 માર્ચે થયું હતું. સતીષ કૌશિકના મોત બાદ પોલીસ તેમના મોતના કારણો શોધવામાં લાગી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર તપાસ દરમિયાન પોલીસને ફાર્મ હાઉસ પરથી કેટલીક દવાઓ મળી આવી હતી. પોલીસ ફાર્મ હાઉસના માલિકની પૂછપરછ કરવા માગતી હતી પરંતુ તે હાલ ફરાર છે. આ એ જ ફાર્મ હાઉસ છે જ્યાં તેમણે હોળીની ઉજવણી કરી હતી. સતીષ કૌશિકનું મોત સંશાસ્પદ સંજોગોમાં થયું હતું જેને કારણે તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. પોલીસ હત્યાના પરિપ્રેક્ષ્યમાં હવે આ મોતને જોતી હોય તેવું લાગી રહ્યું છે. 


ફાર્મ હાઉસમાંથી મળી આવી શંકાસ્પદ દવાઓ       

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સતીષ કૌશિકનું અવસાન 8 માર્ચના રોજ થયું હતું. તેમના મૃત્યુના એક દિવસ પહેલા તેમણે દિલ્હી ખાતે હોળીની ઉજવણી કરી હતી. બિજવાસન ફાર્માહાઉસમાં હોળી રમવા આવ્યા હતા અને તે બાદ રાત્રીના 11 વાગ્યા બાદ તેમને બેચેની થવા લાગી. જે બાદ તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેક આવવાને કારણે તેમનું નિધન થયું છે કે કોઈ અન્ય કારણોસર તેમનું મોત થયું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ જે ફાર્મ હાઉસમાં હોળી પાર્ટીનું આયોજન થયું હતું તે ફાર્મ હાઉસમાંથી પોલીસને કેટલીસ શંકાસ્પદ દવાઓ મળી આવી છે. જે બાદ પોલીસે તપાસ આ મામલે આગળ વધારી છે. પોલીસ ફાર્મ માલિકની પૂછપરછ માટે તપાસ કરી રહી છે કારણ કે તે ફરાર છે. 


પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે પોલીસ  

66 વર્ષની ઉંમરે સતીષ કૌશિકે અંતિમ શ્વાસ લીધા છે. અચાનક તેમનું મોત થતા તેમના ચાહકોમાં તેમજ બોલિવૂડ જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. આ અંગે પોલીસે જણાવ્યું કે સતીષ કૌશિકનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. જેને કારણે તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી પોસ્ટમોર્ટનો રિપોર્ટ આવ્યો નથી જેને કારણે તેમના મોતનું સાચું કારણ શું છે તે જાણી શકાયું નથી.  


આવનાર દિવસોમાં થઈ શકે છે મહત્વના ખુલાસા!

પોલીસ અનેક પ્રશ્નોને લઈ વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટસ પોલીસનું કહેવું છે કે જ્યારે સતિષ કૌશિકની તબિયત ખરાબ થઈ ત્યાંથી લઈ હોસ્પિટલ પહોંચવા સુધી તેમની સાથે કોણ હતું, તેમની સાથે શું થયું. આ બધી વાતોને ધ્યાનમાં રાખી તપાસ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં હાજર લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં આ અંગે મહત્વના ખુલાસા થઈ શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી