3 ઈડિયટ્સની સિક્વલમાં નહીં જોવા મળે કરીના કપૂર? વીડિયો શેર કરી કરીના કપૂર કેમ થયા ગુસ્સે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-24 17:24:28

2009માં ફિલ્મ 3 ઈડિયટ્સ આવી હતી જેણે બોલિવુડના અનેક રેકોર્ડ તોડ્યા હતા.એ ફિલ્મમાં આમિર ખાન, આર માધવન, શરમન જોશી, બોમન ઈરાની, કરીના કપુર સહિત અનેક કલાકારો જોવા મળ્યા હતા. ત્યારે આ ફિલ્મની સિક્વલ ક્યારે આવશે તેની રાહ દર્શકો જોઈ રહ્યા હતા. આ બધા વચ્ચે કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેને જોતા લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં 3 ઈડિયટ્સની સિક્વલ આવી રહી છે.


કરીના કપૂર નહીં જોવા મળે 3 ઈડિયટ્સ ફિલ્મમાં! 

કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં કરીના કપૂર અચંમબિત વાળું રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં આમિર, આર માધવન અને શરમન જોશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં બેઠા છે તેવો ફોટો છે અને તેમાં 3 ઈડિયટ્સ લખવામાં આવ્યું છે. આ ફોટાને લઈ કરીના કપૂર અચંબિત થઈ રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે પ્રેસ કોન્ફરન્સની ક્લીપ જે સામે આવી છે તેનું સિક્રેટ મારાથી છુપાવાવામાં આવ્યું છે. મને લાગી રહ્યું છે કે સિક્વલનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ માત્ર ખાલી આ ત્રણ જ, અને એ પણ મારા સિવાય. મને નથી લાગ્તું બમનને આ વિશે જાણકારી હશે. આ ત્રણેય સિક્વલ જરૂર લાવી રહ્યા છે. 

જાપાનમાં થિયેટર બંધ થતા પહેલાં અંતિમ શોમાં આમિર ખાન સ્ટારર 'થ્રી ઈડિયટ્સ'  ફિલ્મ રિલીઝ કરાઈ | Rajkumar Hirani's 3 Idiots becomes last film to play at  Japanese theatre - Divya Bhaskar


દર્શકો ફિલ્મને લઈ જોઈ રહ્યા છે રાહ!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા 3 ઈડિયટ્સ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ મીડિયા સાથેની વાતોમાં ફિલ્મની સિક્વલ આવી રહી છે તેવી માહિતી આપી હતી. ફિલ્મને લઈ હાલ સ્ક્રીપટિંગ ચાલી રહી છે. પરંતુ આ ફિલ્મમાં કોણ હશે ઉપરાંત સ્ટોરીને લઈને પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. 2009માં આવેલી ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. 55 કરોડમાં બનેલી આ ફિલ્મે 400 કરોડની કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મના સિક્વલને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .