3 ઈડિયટ્સની સિક્વલમાં નહીં જોવા મળે કરીના કપૂર? વીડિયો શેર કરી કરીના કપૂર કેમ થયા ગુસ્સે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-24 17:24:28

2009માં ફિલ્મ 3 ઈડિયટ્સ આવી હતી જેણે બોલિવુડના અનેક રેકોર્ડ તોડ્યા હતા.એ ફિલ્મમાં આમિર ખાન, આર માધવન, શરમન જોશી, બોમન ઈરાની, કરીના કપુર સહિત અનેક કલાકારો જોવા મળ્યા હતા. ત્યારે આ ફિલ્મની સિક્વલ ક્યારે આવશે તેની રાહ દર્શકો જોઈ રહ્યા હતા. આ બધા વચ્ચે કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેને જોતા લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં 3 ઈડિયટ્સની સિક્વલ આવી રહી છે.


કરીના કપૂર નહીં જોવા મળે 3 ઈડિયટ્સ ફિલ્મમાં! 

કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં કરીના કપૂર અચંમબિત વાળું રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં આમિર, આર માધવન અને શરમન જોશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં બેઠા છે તેવો ફોટો છે અને તેમાં 3 ઈડિયટ્સ લખવામાં આવ્યું છે. આ ફોટાને લઈ કરીના કપૂર અચંબિત થઈ રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે પ્રેસ કોન્ફરન્સની ક્લીપ જે સામે આવી છે તેનું સિક્રેટ મારાથી છુપાવાવામાં આવ્યું છે. મને લાગી રહ્યું છે કે સિક્વલનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ માત્ર ખાલી આ ત્રણ જ, અને એ પણ મારા સિવાય. મને નથી લાગ્તું બમનને આ વિશે જાણકારી હશે. આ ત્રણેય સિક્વલ જરૂર લાવી રહ્યા છે. 

જાપાનમાં થિયેટર બંધ થતા પહેલાં અંતિમ શોમાં આમિર ખાન સ્ટારર 'થ્રી ઈડિયટ્સ'  ફિલ્મ રિલીઝ કરાઈ | Rajkumar Hirani's 3 Idiots becomes last film to play at  Japanese theatre - Divya Bhaskar


દર્શકો ફિલ્મને લઈ જોઈ રહ્યા છે રાહ!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા 3 ઈડિયટ્સ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ મીડિયા સાથેની વાતોમાં ફિલ્મની સિક્વલ આવી રહી છે તેવી માહિતી આપી હતી. ફિલ્મને લઈ હાલ સ્ક્રીપટિંગ ચાલી રહી છે. પરંતુ આ ફિલ્મમાં કોણ હશે ઉપરાંત સ્ટોરીને લઈને પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. 2009માં આવેલી ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. 55 કરોડમાં બનેલી આ ફિલ્મે 400 કરોડની કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મના સિક્વલને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.