3 ઈડિયટ્સની સિક્વલમાં નહીં જોવા મળે કરીના કપૂર? વીડિયો શેર કરી કરીના કપૂર કેમ થયા ગુસ્સે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-24 17:24:28

2009માં ફિલ્મ 3 ઈડિયટ્સ આવી હતી જેણે બોલિવુડના અનેક રેકોર્ડ તોડ્યા હતા.એ ફિલ્મમાં આમિર ખાન, આર માધવન, શરમન જોશી, બોમન ઈરાની, કરીના કપુર સહિત અનેક કલાકારો જોવા મળ્યા હતા. ત્યારે આ ફિલ્મની સિક્વલ ક્યારે આવશે તેની રાહ દર્શકો જોઈ રહ્યા હતા. આ બધા વચ્ચે કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેને જોતા લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં 3 ઈડિયટ્સની સિક્વલ આવી રહી છે.


કરીના કપૂર નહીં જોવા મળે 3 ઈડિયટ્સ ફિલ્મમાં! 

કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં કરીના કપૂર અચંમબિત વાળું રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં આમિર, આર માધવન અને શરમન જોશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં બેઠા છે તેવો ફોટો છે અને તેમાં 3 ઈડિયટ્સ લખવામાં આવ્યું છે. આ ફોટાને લઈ કરીના કપૂર અચંબિત થઈ રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે પ્રેસ કોન્ફરન્સની ક્લીપ જે સામે આવી છે તેનું સિક્રેટ મારાથી છુપાવાવામાં આવ્યું છે. મને લાગી રહ્યું છે કે સિક્વલનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ માત્ર ખાલી આ ત્રણ જ, અને એ પણ મારા સિવાય. મને નથી લાગ્તું બમનને આ વિશે જાણકારી હશે. આ ત્રણેય સિક્વલ જરૂર લાવી રહ્યા છે. 

જાપાનમાં થિયેટર બંધ થતા પહેલાં અંતિમ શોમાં આમિર ખાન સ્ટારર 'થ્રી ઈડિયટ્સ'  ફિલ્મ રિલીઝ કરાઈ | Rajkumar Hirani's 3 Idiots becomes last film to play at  Japanese theatre - Divya Bhaskar


દર્શકો ફિલ્મને લઈ જોઈ રહ્યા છે રાહ!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા 3 ઈડિયટ્સ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ મીડિયા સાથેની વાતોમાં ફિલ્મની સિક્વલ આવી રહી છે તેવી માહિતી આપી હતી. ફિલ્મને લઈ હાલ સ્ક્રીપટિંગ ચાલી રહી છે. પરંતુ આ ફિલ્મમાં કોણ હશે ઉપરાંત સ્ટોરીને લઈને પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. 2009માં આવેલી ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. 55 કરોડમાં બનેલી આ ફિલ્મે 400 કરોડની કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મના સિક્વલને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી