3 ઈડિયટ્સની સિક્વલમાં નહીં જોવા મળે કરીના કપૂર? વીડિયો શેર કરી કરીના કપૂર કેમ થયા ગુસ્સે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-24 17:24:28

2009માં ફિલ્મ 3 ઈડિયટ્સ આવી હતી જેણે બોલિવુડના અનેક રેકોર્ડ તોડ્યા હતા.એ ફિલ્મમાં આમિર ખાન, આર માધવન, શરમન જોશી, બોમન ઈરાની, કરીના કપુર સહિત અનેક કલાકારો જોવા મળ્યા હતા. ત્યારે આ ફિલ્મની સિક્વલ ક્યારે આવશે તેની રાહ દર્શકો જોઈ રહ્યા હતા. આ બધા વચ્ચે કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેને જોતા લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં 3 ઈડિયટ્સની સિક્વલ આવી રહી છે.


કરીના કપૂર નહીં જોવા મળે 3 ઈડિયટ્સ ફિલ્મમાં! 

કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં કરીના કપૂર અચંમબિત વાળું રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં આમિર, આર માધવન અને શરમન જોશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં બેઠા છે તેવો ફોટો છે અને તેમાં 3 ઈડિયટ્સ લખવામાં આવ્યું છે. આ ફોટાને લઈ કરીના કપૂર અચંબિત થઈ રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે પ્રેસ કોન્ફરન્સની ક્લીપ જે સામે આવી છે તેનું સિક્રેટ મારાથી છુપાવાવામાં આવ્યું છે. મને લાગી રહ્યું છે કે સિક્વલનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ માત્ર ખાલી આ ત્રણ જ, અને એ પણ મારા સિવાય. મને નથી લાગ્તું બમનને આ વિશે જાણકારી હશે. આ ત્રણેય સિક્વલ જરૂર લાવી રહ્યા છે. 

જાપાનમાં થિયેટર બંધ થતા પહેલાં અંતિમ શોમાં આમિર ખાન સ્ટારર 'થ્રી ઈડિયટ્સ'  ફિલ્મ રિલીઝ કરાઈ | Rajkumar Hirani's 3 Idiots becomes last film to play at  Japanese theatre - Divya Bhaskar


દર્શકો ફિલ્મને લઈ જોઈ રહ્યા છે રાહ!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા 3 ઈડિયટ્સ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ મીડિયા સાથેની વાતોમાં ફિલ્મની સિક્વલ આવી રહી છે તેવી માહિતી આપી હતી. ફિલ્મને લઈ હાલ સ્ક્રીપટિંગ ચાલી રહી છે. પરંતુ આ ફિલ્મમાં કોણ હશે ઉપરાંત સ્ટોરીને લઈને પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. 2009માં આવેલી ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. 55 કરોડમાં બનેલી આ ફિલ્મે 400 કરોડની કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મના સિક્વલને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 



રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.

દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.