ક્ષત્રિય સમાજ ભાજપના નેતાનો વિરોધ નહીં કરે પરંતુ બીજેપી વિરોધી મતદાનની નીતિને યથાવત રાખશે? જાણો સંકલન સમિતીએ પત્રમાં શું કરી અપીલ?


  • Published By :
  • Published Date : 2024-05-01 12:00:34

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતના અનેક ભાગોમાં કરવામાં આવ્યો હતો. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે... આ બધા વચ્ચે પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સંકલન સમિતિ દ્વારા એક પત્ર સમાજને સંબોધીને લખવામાં આવ્યો છે જેમાં વિરોધ ના કરવા અપીલ કરવામાં આવી છે...  લોકશાહી ઢબે ક્ષત્રિય સમાજના લોકોને આંદોલન આગળ વધારવા અપીલ કરવામાં આવી છે..


ક્ષત્રિય સંકલન સમિતીએ બદલી રણનીતિ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્ષત્રિય સમાજના લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે... ગુજરાતના અનેક ભાગોથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે મુખ્યત્વે જામનગરથી સામે આવ્યા છે. આ બધા વચ્ચે પીએમ  મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. અનેક સભાઓને ગજવવાના છે ત્યારે ક્ષત્રિય સંકલન સમિતીએ રણનીતિ બદલી છે. પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઘર્ષણ વગર મત એ જ શસ્ત્રના ધ્યેય સાથે આગળ વધવા માટે અપીલ કરવામાં આવી છે.  



ભાજપના નેતાના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા હતા વિરોધ!

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદનને કારણે ગુજરાતમાં ઠેર ઠેર પરષોત્તમ રૂપાલા તેમજ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. જામનગરથી વિરોધના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો નેતાઓના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરે છે.. આ બધા વચ્ચે સંકલન સમિતિ દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સમસ્ત ક્ષત્રિય સમાજને સંદેશો આપવામાં આવ્યો છે... 



લોકશાહી ઢબે આંદોલન આગળ વધારવા લોકોને કરાઈ અપીલ

પત્રમાં લખવામાં આવ્યું છે કે  ગુજરાત રાજ્યના સમસ્ત શત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં લેવાય છે આપણી નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એ જ શસ્ત્રના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વ આગળ વધી રહ્યું છે..... 


ભાજપ વિરોધી ઉમેદવારને મતદાન કરવા.... 

પાર્ટ-2 નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બાઈકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહ્વાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં વધુ મજબૂત કરીને મતદાન કરી એ મુજબની રણનીતિ યથાવત રહેશે.. મહત્વનું છે કે સંકલન સમિતી દ્વારા આ પત્ર બહાર પાડવામાં આવ્યો છે... સંકલન સમિતીની વાત ક્ષત્રિય સમાજના લોકો કેટલી માને છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.