ક્ષત્રિય સમાજ ભાજપના નેતાનો વિરોધ નહીં કરે પરંતુ બીજેપી વિરોધી મતદાનની નીતિને યથાવત રાખશે? જાણો સંકલન સમિતીએ પત્રમાં શું કરી અપીલ?


  • Published By :
  • Published Date : 2024-05-01 12:00:34

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતના અનેક ભાગોમાં કરવામાં આવ્યો હતો. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે... આ બધા વચ્ચે પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સંકલન સમિતિ દ્વારા એક પત્ર સમાજને સંબોધીને લખવામાં આવ્યો છે જેમાં વિરોધ ના કરવા અપીલ કરવામાં આવી છે...  લોકશાહી ઢબે ક્ષત્રિય સમાજના લોકોને આંદોલન આગળ વધારવા અપીલ કરવામાં આવી છે..


ક્ષત્રિય સંકલન સમિતીએ બદલી રણનીતિ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્ષત્રિય સમાજના લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે... ગુજરાતના અનેક ભાગોથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે મુખ્યત્વે જામનગરથી સામે આવ્યા છે. આ બધા વચ્ચે પીએમ  મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. અનેક સભાઓને ગજવવાના છે ત્યારે ક્ષત્રિય સંકલન સમિતીએ રણનીતિ બદલી છે. પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઘર્ષણ વગર મત એ જ શસ્ત્રના ધ્યેય સાથે આગળ વધવા માટે અપીલ કરવામાં આવી છે.  



ભાજપના નેતાના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા હતા વિરોધ!

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદનને કારણે ગુજરાતમાં ઠેર ઠેર પરષોત્તમ રૂપાલા તેમજ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. જામનગરથી વિરોધના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો નેતાઓના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરે છે.. આ બધા વચ્ચે સંકલન સમિતિ દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સમસ્ત ક્ષત્રિય સમાજને સંદેશો આપવામાં આવ્યો છે... 



લોકશાહી ઢબે આંદોલન આગળ વધારવા લોકોને કરાઈ અપીલ

પત્રમાં લખવામાં આવ્યું છે કે  ગુજરાત રાજ્યના સમસ્ત શત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં લેવાય છે આપણી નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એ જ શસ્ત્રના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વ આગળ વધી રહ્યું છે..... 


ભાજપ વિરોધી ઉમેદવારને મતદાન કરવા.... 

પાર્ટ-2 નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બાઈકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહ્વાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં વધુ મજબૂત કરીને મતદાન કરી એ મુજબની રણનીતિ યથાવત રહેશે.. મહત્વનું છે કે સંકલન સમિતી દ્વારા આ પત્ર બહાર પાડવામાં આવ્યો છે... સંકલન સમિતીની વાત ક્ષત્રિય સમાજના લોકો કેટલી માને છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે... 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"