દિંવગત અભિનેતા પુનીત રાજકુમારનું કર્ણાટક સરકારે સર્વોચ્ચ એવોર્ડથી સન્માન કર્યું


  • Published By :
  • Published Date : 2022-11-03 17:52:40

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ચમકતુ નામ દિંવગત અભિનેતા પુનીત રાજકુમારનું કર્ણાટક સરકારે સર્વોચ્ચ એવોર્ડથી સન્માન કર્યું છે. આ સાથે તેના જીવનના એક અધ્યાયને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવા અંગે સરકાર વિમર્શ કરશે. પુનીત રાજકુમારે જીંદગીના 46 વર્ષમાં ખુબ નામના મેળવી હતી. તે તેના પિતાના સંસ્કારો અને સમાજ સેવા કરવામાં માનતા હતા.

Puneeth Rajkumar Dead: Die Hard Fan Of Kannada Actor Dies By Suicide, 2  More Dead Due To Cardiac Arrest

કર્ણાટક સરકારે મંગળવારે દિવંગત અભિનેતા પુનીત રાજકુમારને બેંગલુરુના વિધાન સૌધ ખાતે આયોજિત 67માં કન્નડ રાજ્યોત્સવના ભવ્ય સમારોહ દરમિયાન ‘કર્ણાટક રત્ન’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.


રાજ્યનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન પુનીત રાજકુમારની પત્ની અશ્વિની પુનીત રાજકુમારએ લીધું હતું. પુનીત રાજકુમાર આ એવોર્ડ મેળવનાર નવમાં ક્રમે છે. ઉલ્લેખનીય છે કે, ‘કર્ણાટક રત્ન’ પુરસ્કાર છેલ્લે 2009માં સમાજ સેવા બદલ ડૉ. વીરેન્દ્ર હેગડેને આપવામાં આવ્યો હતો.

Puneeth was awarded a posthumous doctorate by the University of Mysore |  Bengaluru - Hindustan Times

આ એવોર્ડનું વિતરણ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત અને જુનિયર એનટીઆર તેમજ ઇન્ફોસિસના ચેરમેન સુધા મુર્તિની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.પુનીત રાજકુમારના મોટા ભાઈ શિવ રાજકુમાર પણ આ કાર્યક્રમમાં હાજરી રહ્યા હતા. કાર્યક્રમને પગલે ભારે ભીડ હોવાથી આંબેડકર રોડને બંધ કરી દેવાયો હતો. જેને પગલે પોલીસે લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે એડવાઇઝરી જાહેર કરી વિનંતી કરી હતી.મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકાર પાઠ્યપુસ્તકોમાં પુનીત રાજકુમારના જીવન પરના એક પાઠને સામેલ કરવા અંગે વિચાર કરશે. મુખ્યમંત્રી અભિનેતાના પ્રશંસકોના એક વર્ગ દ્વારા પાઠ્યક્રમમાં તેના જીવનના એક અધ્યાયને સામેલ કરવાની માંગને લઇ મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા.


સીએમ બોમાઈએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, પુનીત રાજકુમાર પ્રેરણાના સ્ત્રોત હતા. તેમના દ્વારા સ્થાપિત ઉદાહરણને અનુસરીને તેમના ઘણા પ્રશંસકોએ તેમના અંગોનું દાન કર્યું છે. જે સમાજ પ્રત્યે તેમની સેવા વિશે ઘણું જણાવે છે.ઉલ્લેખનીય છે કે, ફિટનેસના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા પુનીતને જીમમાં બે કલાકની કસરત કર્યા બાદ હાર્ટમાં દુ:ખાવો ઉપડ્યો હતો. પુનીતની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તબીબોએ સતત તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કમનસીબે તેમનું નિધન થયુ હતુ.


પુનીત દક્ષિણ ભારતીય ફિલ્મોનું જાણીતુ નામ હતુ. પુનીતના પિતા રાજકુમાર ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ હતુ. તેમને કન્નડ સિનેમાના આઈકન માનવામાં આવતા હતા. તેઓ પહેલા એવા કન્નડ ઈન્ડસ્ટ્રીના અભિનેતા હતા. જેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. પુનીતના પિતા રાજકુમાર તેમને અને તેમની બહેનને ફિલ્મના સેટ પર લઇ જતા હતા. પુનીતનો કન્નડ સિનેમામાં સૌથી વધુ ફી લેનારા અભિનેતામાં સમાવેશ થાય છે.અભિનેતાએ પોતાના પિતાની જેમ પોતાની આંખોનું દાન કર્યુ હતુ. પ્રસિદ્ધ અભિનેતા ડૉ. રાજકુમારે 1994માં પોતાના આખા પરિવારને આંખોનું દાન કરાવવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ડૉ. રાજકુમારનું પણ નિધન વર્ષ 2006માં હાર્ટ એટેકના કારણે થયુ હતુ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.