હવેઆ નેતાઓ કેસરીયો છોડી નવા રંગમાં રંગાય તેવી શક્યતા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 14:35:20

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કુલ 166 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે જેમને કાપ્યા અને જે નવા ચહેરાઓને તક આપી તેમાં ઘણી બેઠક પર ખટરાગ શરૂ થયો છે. જોકે ભાજપમાં કડક અવાજે હાઈકમાન્ડ સામે પકડાર ફેંકી બતાવે તેવા નેતાઓની ઉણપ છે અને આવા નેતાઓને આંગળીના વેઢે ગણી શકાય છે. આવા જ કેટલાક નેતાઓની હાલ આપણે વાત કરવા જઈ રહ્યા છે જેમણે પાર્ટીના ટિકિટ વહેંચણીના નિર્ણયને પડકાર્યો છે અને હવે ચૂંટણીમાં કેસરીયો રંગ છોડીને અપક્ષ ઉમેદવારી સાથે નવા રંગે રંગાવાના છે. આ લીસ્ટમાં વાઘોડિયા, કરજણ અને પાદરા એવી ત્રણ વડોદરાની બેઠકોનો સમાવેશ થાય છે જ્યાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે.


હવે આ નામ બદલાય એવી શક્યતા નહીં !

ભાજપના જાહેર કરેલા ઉમેદવારોના લિસ્ટમાં આમ તો 80થી વધુ કપાયા છે પરંતુ વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ બેઠકના સતિષ પટેલ અને પાદરાના દિનુ પટેલ ઘણા આક્રોશમાં જોવા મળી રહ્યા છે. એન આ મામલાને લઈને તેઓ ભાજપની ઉચ્ચ નેતાગીરી સાથે વાત કરવાના છે પરંતુ ભાજપ થુકેલું ચાટે તે વાતમાં માલ નથી. મતલબ કે આ નેતાઓની રજૂઆતને ગ્રાહ્ય રાખી ભાજપ આપેલી ટિકિટ પાછી લઈ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરશે તે વાતમાં કોઈને વિશ્વાસ નથી. 


અને હવે આ નેતાઓ અપક્ષમાંથી ચુંટણી લડવાની શક્યતા છે. પણ હવે અપક્ષમાથી પણ જીતશે કે નહીં એ હજી પ્રશ્ન છે પરંતુ એ પાકું છે કે હવેએ નેતાઓ કેસરીયો છોડી નવા રંગમાં રંગાય શકે છે 



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .