હવેઆ નેતાઓ કેસરીયો છોડી નવા રંગમાં રંગાય તેવી શક્યતા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 14:35:20

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કુલ 166 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે જેમને કાપ્યા અને જે નવા ચહેરાઓને તક આપી તેમાં ઘણી બેઠક પર ખટરાગ શરૂ થયો છે. જોકે ભાજપમાં કડક અવાજે હાઈકમાન્ડ સામે પકડાર ફેંકી બતાવે તેવા નેતાઓની ઉણપ છે અને આવા નેતાઓને આંગળીના વેઢે ગણી શકાય છે. આવા જ કેટલાક નેતાઓની હાલ આપણે વાત કરવા જઈ રહ્યા છે જેમણે પાર્ટીના ટિકિટ વહેંચણીના નિર્ણયને પડકાર્યો છે અને હવે ચૂંટણીમાં કેસરીયો રંગ છોડીને અપક્ષ ઉમેદવારી સાથે નવા રંગે રંગાવાના છે. આ લીસ્ટમાં વાઘોડિયા, કરજણ અને પાદરા એવી ત્રણ વડોદરાની બેઠકોનો સમાવેશ થાય છે જ્યાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે.


હવે આ નામ બદલાય એવી શક્યતા નહીં !

ભાજપના જાહેર કરેલા ઉમેદવારોના લિસ્ટમાં આમ તો 80થી વધુ કપાયા છે પરંતુ વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ બેઠકના સતિષ પટેલ અને પાદરાના દિનુ પટેલ ઘણા આક્રોશમાં જોવા મળી રહ્યા છે. એન આ મામલાને લઈને તેઓ ભાજપની ઉચ્ચ નેતાગીરી સાથે વાત કરવાના છે પરંતુ ભાજપ થુકેલું ચાટે તે વાતમાં માલ નથી. મતલબ કે આ નેતાઓની રજૂઆતને ગ્રાહ્ય રાખી ભાજપ આપેલી ટિકિટ પાછી લઈ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરશે તે વાતમાં કોઈને વિશ્વાસ નથી. 


અને હવે આ નેતાઓ અપક્ષમાંથી ચુંટણી લડવાની શક્યતા છે. પણ હવે અપક્ષમાથી પણ જીતશે કે નહીં એ હજી પ્રશ્ન છે પરંતુ એ પાકું છે કે હવેએ નેતાઓ કેસરીયો છોડી નવા રંગમાં રંગાય શકે છે 



રાજકોટ લોકસભા બેઠક ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલા આ બેઠકના ઉમેદવાર છે.. પરેશ ધાનાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લીડની વાત કરવામાં આવી રહી છે...

મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટ ઈલેક્શન યાત્રા પહોંચી હતી ભાવનગર.. ક્ષત્રિય સમાજના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ તેઓ કરી રહ્યા છે.

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા મંત્રી કનુ દેસાઈએ કોળી સમાજને લઈ નિવેદન આપ્યું હતું જે બાદ કોળી સમાજ મેદાને આવ્યું છે. કોળી સમાજના લોકોએ હવન કરાવ્યો છે.

મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..