હવેઆ નેતાઓ કેસરીયો છોડી નવા રંગમાં રંગાય તેવી શક્યતા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 14:35:20

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કુલ 166 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે જેમને કાપ્યા અને જે નવા ચહેરાઓને તક આપી તેમાં ઘણી બેઠક પર ખટરાગ શરૂ થયો છે. જોકે ભાજપમાં કડક અવાજે હાઈકમાન્ડ સામે પકડાર ફેંકી બતાવે તેવા નેતાઓની ઉણપ છે અને આવા નેતાઓને આંગળીના વેઢે ગણી શકાય છે. આવા જ કેટલાક નેતાઓની હાલ આપણે વાત કરવા જઈ રહ્યા છે જેમણે પાર્ટીના ટિકિટ વહેંચણીના નિર્ણયને પડકાર્યો છે અને હવે ચૂંટણીમાં કેસરીયો રંગ છોડીને અપક્ષ ઉમેદવારી સાથે નવા રંગે રંગાવાના છે. આ લીસ્ટમાં વાઘોડિયા, કરજણ અને પાદરા એવી ત્રણ વડોદરાની બેઠકોનો સમાવેશ થાય છે જ્યાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે.


હવે આ નામ બદલાય એવી શક્યતા નહીં !

ભાજપના જાહેર કરેલા ઉમેદવારોના લિસ્ટમાં આમ તો 80થી વધુ કપાયા છે પરંતુ વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ બેઠકના સતિષ પટેલ અને પાદરાના દિનુ પટેલ ઘણા આક્રોશમાં જોવા મળી રહ્યા છે. એન આ મામલાને લઈને તેઓ ભાજપની ઉચ્ચ નેતાગીરી સાથે વાત કરવાના છે પરંતુ ભાજપ થુકેલું ચાટે તે વાતમાં માલ નથી. મતલબ કે આ નેતાઓની રજૂઆતને ગ્રાહ્ય રાખી ભાજપ આપેલી ટિકિટ પાછી લઈ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરશે તે વાતમાં કોઈને વિશ્વાસ નથી. 


અને હવે આ નેતાઓ અપક્ષમાંથી ચુંટણી લડવાની શક્યતા છે. પણ હવે અપક્ષમાથી પણ જીતશે કે નહીં એ હજી પ્રશ્ન છે પરંતુ એ પાકું છે કે હવેએ નેતાઓ કેસરીયો છોડી નવા રંગમાં રંગાય શકે છે 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."