પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે 8 IPS અને 1 IAS સસ્પેન્ડ, તપાસ રિપોર્ટ બાદ થઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-03-14 20:00:57

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલામાં પંજાબ સરકાર એક્શનમાં આવી ગઈ છે. પંજાબ સરકારના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆ દ્વારા 9 અધિકારીઓને ચાર્જશીટ કરવા માટે મુખ્ય પ્રધાન ભગવંત માનને ફાઇલ મોકલી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે PM મોદી જ્યારે 5 જાન્યુઆરી 2022ના રોજ પંજાબના પ્રવાસે ગયા હતા ત્યારે ભટિંડા એરપોર્ટથી હુસૈનીવાલા જતી વખતે તેમનો કાફલો અડધો કલાક સુધી ફ્લાયઓવર પર ફસાઈ ગયો હતો.


આ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી


PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બેદરકારીને લઈને પંજાબ સરકાર દ્વારા તત્કાલીન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી સિવાય DIG સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, SSP હરમનદીપ સિંહ હંસ, SSP ચરણજીત સિંહ, ADGP નાગેશ્વર, ADG નરેશ અરોડા, IG રાકેશ અગ્રવાલ, IG ઈન્દ્રવીર સિંહ અને DIG સુપજીત સિંહનો સમાવેશ થાય છે.


કેન્દ્રએ પંજાબ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ


કેન્દ્ર સરકારે તાજેતરમાં જ PM મોદીની સુરક્ષામાં થયેલ ચૂકનાં મામલામાં પંજાબ સરકારને પત્ર લખીને કાર્યવાહીની રિપોર્ટ માગી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબનાં મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને પત્ર લખીને દોષી અધિકારીઓની સામે અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીનો વિસ્તૃત રિપોર્ટ માગ્યો હતો. 


સમગ્ર મામલો શું હતો?


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત વર્ષ 5 જાન્યુઆરીનાં રોજ પંજાબનાં ફિરોજપુર જિલ્લાનાં હુસૈનીવાલા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન વરસાદનાં લીધે  PM મોદીને રોડ માર્ગથી જવું પડ્યું હતું. પરંતુ આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હુસૈનીવાલાથી આશરે 30 કિમીનો રસ્તો જામ કરી દીધો જેના લીધે PM મોદીનો સુરક્ષા કાફલા અડધો કલાક સુધી એક ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .