જીમમાં વર્કઆઉટ કરતી વખતે 'કસૌટી જિંદગી કી' ફેમ સિદ્ધાંત સૂર્યવંશીનું નિધન


  • Published By :
  • Published Date : 2022-11-11 17:44:21

ટેલિવિઝન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. મળતી માહિતી મુજબ વર્કઆઉટ દરમિયાન સિદ્ધાંતનું મોત થયું હતું. અભિનેતા માત્ર 46 વર્ષનો હતો અને ઇન્ડસ્ટ્રીમાં સારું કામ કરી રહ્યો હતો. સિદ્ધાંત વીર સૂર્યવંશીનું આકસ્મિક અવસાન ટીવી જગત માટે આઘાતજનક સમાચાર છે. તેઓ લાંબા સમયથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા અને ઘણા કલાકારો સાથે તેમના સારા સંબંધો હતા.

આ સીરિયલોમાં જોવા મળ્યો હતો સિદ્ધાંત

સિદ્ધાંતે થોડા સમય પહેલા જ પોતાનું નામ આનંદ સૂર્યવંશી (Anand Surryavanshi)માંથી બદલીને સિદ્ધાંત વીર સૂર્યવંશી કર્યું હતું. સિદ્ધાંતે સીરિયલ 'કુસુમ' દ્વારા ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે 'કૃષ્ણા અર્જુન', 'કસૌટી જિંદગી કી', 'ઝમીન સે આસમાન તક', 'વિરુદ્ધ', 'ભાગ્યવિધાતા', 'ક્યા દિલ મેં હૈ' વગેરે જેવી સીરિયલોમાં જોવા મળ્યો હતો. તેણે સીરિયલ 'ગૃહસ્થી'માં ઋષિનો લીડ રોલ કર્યો હતો.

TV actor Siddhant Suryavanshi (Kasauti Zindagi Ki Fame) Dies Of A Heart  Attack in Gym, - The National Bulletin

મળતી માહિતી મુજબ, જ્યારે સિદ્ધાંત સવારે વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સિદ્ધાંતની સારવાર કરી અને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ડોકટરો તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.



પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.

મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટ ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોમાં ફરી રહી છે. ત્યારે આણંદના વિદ્યાનગર યાત્રા પહોંચી હતી. ત્યાંના વિદ્યાર્થીઓએ અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.