જીમમાં વર્કઆઉટ કરતી વખતે 'કસૌટી જિંદગી કી' ફેમ સિદ્ધાંત સૂર્યવંશીનું નિધન


  • Published By :
  • Published Date : 2022-11-11 17:44:21

ટેલિવિઝન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. મળતી માહિતી મુજબ વર્કઆઉટ દરમિયાન સિદ્ધાંતનું મોત થયું હતું. અભિનેતા માત્ર 46 વર્ષનો હતો અને ઇન્ડસ્ટ્રીમાં સારું કામ કરી રહ્યો હતો. સિદ્ધાંત વીર સૂર્યવંશીનું આકસ્મિક અવસાન ટીવી જગત માટે આઘાતજનક સમાચાર છે. તેઓ લાંબા સમયથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા અને ઘણા કલાકારો સાથે તેમના સારા સંબંધો હતા.

આ સીરિયલોમાં જોવા મળ્યો હતો સિદ્ધાંત

સિદ્ધાંતે થોડા સમય પહેલા જ પોતાનું નામ આનંદ સૂર્યવંશી (Anand Surryavanshi)માંથી બદલીને સિદ્ધાંત વીર સૂર્યવંશી કર્યું હતું. સિદ્ધાંતે સીરિયલ 'કુસુમ' દ્વારા ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે 'કૃષ્ણા અર્જુન', 'કસૌટી જિંદગી કી', 'ઝમીન સે આસમાન તક', 'વિરુદ્ધ', 'ભાગ્યવિધાતા', 'ક્યા દિલ મેં હૈ' વગેરે જેવી સીરિયલોમાં જોવા મળ્યો હતો. તેણે સીરિયલ 'ગૃહસ્થી'માં ઋષિનો લીડ રોલ કર્યો હતો.

TV actor Siddhant Suryavanshi (Kasauti Zindagi Ki Fame) Dies Of A Heart  Attack in Gym, - The National Bulletin

મળતી માહિતી મુજબ, જ્યારે સિદ્ધાંત સવારે વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સિદ્ધાંતની સારવાર કરી અને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ડોકટરો તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.