ભારત જોડો યાત્રામાં સામેલ થયા સોનિયા ગાંધી, માતા અને પુત્ર ભેગા મળી કરી રહ્યા છે યાત્રાની આગેવાની


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:50:52

ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર પગપાળા જઈ રહ્યા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. હાલ આ યાત્રા કર્ણાટક ખાતે પહોંચી છે જ્યાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા છે. 

કર્ણાટકથી સોનિયા ગાંધી જોડાયા યાત્રામાં 

7 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી આ ભારત યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. પોતાની યાત્રા દરમિયાન અનેક સ્થળો પર તેમણે લોકો સાથે સંવાદ કર્યો છે. ઉપરાંત અનેક મંદિરોમાં પણ તેમણે દર્શન કર્યા છે. હાલ આ યાત્રા કેરળ થઈ કર્ણાટક પહોંચી છે. કર્ણાટકથી આ યાત્રામાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે. ખરાબ તબિયત હોવાને કારણે જાહેરમાં આવવાનું ટાળે છે. ત્યારે કર્ણાટકથી થોડા સમય માટે પગપાળા ચાલવાના છે.

 

કર્ણાટકમાં યોજાવાની છે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી  

કર્ણાટકથી સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાતા, તેની સાથે જોડાયેલા અનેક રાજકીય સંકેતો રાજકીય નિષ્ણાંતો જોઈ રહ્યા છે. મહત્વનું છે કે આવતા વર્ષે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. યાત્રાનો આ પહેલો રૂટ છે જ્યાં ભાજપ શાસિત રાજ્યમાંથી પસાર થવાની છે. જ્યારે જ્યારે પણ કોંગ્રેસ પર સંકટ આવ્યું છે ત્યારે ત્યારે દક્ષિણ ભારતે કોંગ્રેસને સંકટમાંથી ઉગાર્યું છે. 

પ્રિયંકા ગાંધી પણ થઈ શકે છે યાત્રામાં સામેલ

સોનિયા ગાંધી આશરે 15 મિનીટ ચાલ્યા હતા. જે બાદ તેમણે વિશ્રામ લીધો હતો. કોરોનાથી તેઓ થોડા સમય પહેલા જ સ્વસ્થ થયા હતા. પોતાના ખરાબ સ્વાસ્થયને કારણે તેઓ જાહેર જીવનમાં દેખાતા નથી. ત્યારે કર્ણાટકથી તેઓ યાત્રામાં સામેલ થયા છે જેને રાજનીતિ સાથે સીધુ સીધુ જોડવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી પણ થોડા દિવસોમાં આ યાત્રામાં સામેલ થઈ શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.