ભારત જોડો યાત્રામાં સામેલ થયા સોનિયા ગાંધી, માતા અને પુત્ર ભેગા મળી કરી રહ્યા છે યાત્રાની આગેવાની


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:50:52

ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર પગપાળા જઈ રહ્યા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. હાલ આ યાત્રા કર્ણાટક ખાતે પહોંચી છે જ્યાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા છે. 

કર્ણાટકથી સોનિયા ગાંધી જોડાયા યાત્રામાં 

7 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી આ ભારત યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. પોતાની યાત્રા દરમિયાન અનેક સ્થળો પર તેમણે લોકો સાથે સંવાદ કર્યો છે. ઉપરાંત અનેક મંદિરોમાં પણ તેમણે દર્શન કર્યા છે. હાલ આ યાત્રા કેરળ થઈ કર્ણાટક પહોંચી છે. કર્ણાટકથી આ યાત્રામાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે. ખરાબ તબિયત હોવાને કારણે જાહેરમાં આવવાનું ટાળે છે. ત્યારે કર્ણાટકથી થોડા સમય માટે પગપાળા ચાલવાના છે.

 

કર્ણાટકમાં યોજાવાની છે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી  

કર્ણાટકથી સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાતા, તેની સાથે જોડાયેલા અનેક રાજકીય સંકેતો રાજકીય નિષ્ણાંતો જોઈ રહ્યા છે. મહત્વનું છે કે આવતા વર્ષે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. યાત્રાનો આ પહેલો રૂટ છે જ્યાં ભાજપ શાસિત રાજ્યમાંથી પસાર થવાની છે. જ્યારે જ્યારે પણ કોંગ્રેસ પર સંકટ આવ્યું છે ત્યારે ત્યારે દક્ષિણ ભારતે કોંગ્રેસને સંકટમાંથી ઉગાર્યું છે. 

પ્રિયંકા ગાંધી પણ થઈ શકે છે યાત્રામાં સામેલ

સોનિયા ગાંધી આશરે 15 મિનીટ ચાલ્યા હતા. જે બાદ તેમણે વિશ્રામ લીધો હતો. કોરોનાથી તેઓ થોડા સમય પહેલા જ સ્વસ્થ થયા હતા. પોતાના ખરાબ સ્વાસ્થયને કારણે તેઓ જાહેર જીવનમાં દેખાતા નથી. ત્યારે કર્ણાટકથી તેઓ યાત્રામાં સામેલ થયા છે જેને રાજનીતિ સાથે સીધુ સીધુ જોડવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી પણ થોડા દિવસોમાં આ યાત્રામાં સામેલ થઈ શકે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .