ભારત જોડો યાત્રામાં સામેલ થયા સોનિયા ગાંધી, માતા અને પુત્ર ભેગા મળી કરી રહ્યા છે યાત્રાની આગેવાની


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:50:52

ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર પગપાળા જઈ રહ્યા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. હાલ આ યાત્રા કર્ણાટક ખાતે પહોંચી છે જ્યાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા છે. 

કર્ણાટકથી સોનિયા ગાંધી જોડાયા યાત્રામાં 

7 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી આ ભારત યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. પોતાની યાત્રા દરમિયાન અનેક સ્થળો પર તેમણે લોકો સાથે સંવાદ કર્યો છે. ઉપરાંત અનેક મંદિરોમાં પણ તેમણે દર્શન કર્યા છે. હાલ આ યાત્રા કેરળ થઈ કર્ણાટક પહોંચી છે. કર્ણાટકથી આ યાત્રામાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે. ખરાબ તબિયત હોવાને કારણે જાહેરમાં આવવાનું ટાળે છે. ત્યારે કર્ણાટકથી થોડા સમય માટે પગપાળા ચાલવાના છે.

 

કર્ણાટકમાં યોજાવાની છે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી  

કર્ણાટકથી સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાતા, તેની સાથે જોડાયેલા અનેક રાજકીય સંકેતો રાજકીય નિષ્ણાંતો જોઈ રહ્યા છે. મહત્વનું છે કે આવતા વર્ષે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. યાત્રાનો આ પહેલો રૂટ છે જ્યાં ભાજપ શાસિત રાજ્યમાંથી પસાર થવાની છે. જ્યારે જ્યારે પણ કોંગ્રેસ પર સંકટ આવ્યું છે ત્યારે ત્યારે દક્ષિણ ભારતે કોંગ્રેસને સંકટમાંથી ઉગાર્યું છે. 

પ્રિયંકા ગાંધી પણ થઈ શકે છે યાત્રામાં સામેલ

સોનિયા ગાંધી આશરે 15 મિનીટ ચાલ્યા હતા. જે બાદ તેમણે વિશ્રામ લીધો હતો. કોરોનાથી તેઓ થોડા સમય પહેલા જ સ્વસ્થ થયા હતા. પોતાના ખરાબ સ્વાસ્થયને કારણે તેઓ જાહેર જીવનમાં દેખાતા નથી. ત્યારે કર્ણાટકથી તેઓ યાત્રામાં સામેલ થયા છે જેને રાજનીતિ સાથે સીધુ સીધુ જોડવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી પણ થોડા દિવસોમાં આ યાત્રામાં સામેલ થઈ શકે છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.