Heart Attackનો સિલસિલો યથાવત! Morbiમાં ધુણતા ધૂણતા અચાનક ભુવાજી બેભાન થઈ પડી ગયા અને ઉડી ગયું પ્રાણ પંખેરૂ..!


  • Published By :
  • Published Date : 2024-05-23 14:13:28

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે... પ્રતિદિન હાર્ટ એટેકથી અનેક લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.. મળતી માહિતી અનુસાર મોરબીના વાઘપુર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃદ્ધ ધુણી રહ્યા હતા.. ધુણતા ધુણતા અચાનક વૃદ્ધ ઢળી પડ્યા.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેમને ત્યાં હાજર તબિબે મૃત જાહેર કર્યા.. આ હાર્ટ એટેકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.. 


ધુણતા ધુણતા અચાનક વ્યક્તિ ઢળી પડ્યો અને... 

કોરોનાને કારણે અનેક વસ્તુઓ બદલાઈ ગઈ છે.. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકો થાય છે પરંતુ કોરોના બાદ આ વસ્તુ બદલાઈ ગઈ હોય તેવું લાગે છે... નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને ભેટી રહ્યા છે.. થોડા દિવસ પહેલા સુરતથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બાઈક પર બેસતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો.. ત્યારે આવો એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે જેમાં ધુણતી વખતે ભુવાજી ઢળી પડ્યા અને મોતને ભેટ્યા...આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે..  


શું છે હાર્ટ એટેકના લક્ષણો અને કારણો? 

હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણો હોય છે.. જેમ કે અતિશય કસરત કરવી.. વધારે સ્ટ્રેસ લેવો, વ્યસન હોવું, પૂરતી ઉંઘ ના લેવી, સ્વાસ્થ્ય વર્ધક ખોરાક ના લેવો.. આ સિવાય પણ અનેક એવા કારણો હોય છે જેને કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે.. જો હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર તેમજ ગભરામણ થવી, અવાર નવાર થાક લાગવો, પરસેવો અને ધબકારા વધી જવા સહિત અનેક લક્ષણો હોઈ શકે છે.. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.