Heart Attackનો સિલસિલો યથાવત! Morbiમાં ધુણતા ધૂણતા અચાનક ભુવાજી બેભાન થઈ પડી ગયા અને ઉડી ગયું પ્રાણ પંખેરૂ..!


  • Published By :
  • Published Date : 2024-05-23 14:13:28

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે... પ્રતિદિન હાર્ટ એટેકથી અનેક લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.. મળતી માહિતી અનુસાર મોરબીના વાઘપુર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃદ્ધ ધુણી રહ્યા હતા.. ધુણતા ધુણતા અચાનક વૃદ્ધ ઢળી પડ્યા.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેમને ત્યાં હાજર તબિબે મૃત જાહેર કર્યા.. આ હાર્ટ એટેકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.. 


ધુણતા ધુણતા અચાનક વ્યક્તિ ઢળી પડ્યો અને... 

કોરોનાને કારણે અનેક વસ્તુઓ બદલાઈ ગઈ છે.. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકો થાય છે પરંતુ કોરોના બાદ આ વસ્તુ બદલાઈ ગઈ હોય તેવું લાગે છે... નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને ભેટી રહ્યા છે.. થોડા દિવસ પહેલા સુરતથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બાઈક પર બેસતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો.. ત્યારે આવો એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે જેમાં ધુણતી વખતે ભુવાજી ઢળી પડ્યા અને મોતને ભેટ્યા...આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે..  


શું છે હાર્ટ એટેકના લક્ષણો અને કારણો? 

હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણો હોય છે.. જેમ કે અતિશય કસરત કરવી.. વધારે સ્ટ્રેસ લેવો, વ્યસન હોવું, પૂરતી ઉંઘ ના લેવી, સ્વાસ્થ્ય વર્ધક ખોરાક ના લેવો.. આ સિવાય પણ અનેક એવા કારણો હોય છે જેને કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે.. જો હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર તેમજ ગભરામણ થવી, અવાર નવાર થાક લાગવો, પરસેવો અને ધબકારા વધી જવા સહિત અનેક લક્ષણો હોઈ શકે છે.. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.