Heart Attackનો સિલસિલો યથાવત! Morbiમાં ધુણતા ધૂણતા અચાનક ભુવાજી બેભાન થઈ પડી ગયા અને ઉડી ગયું પ્રાણ પંખેરૂ..!


  • Published By :
  • Published Date : 2024-05-23 14:13:28

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે... પ્રતિદિન હાર્ટ એટેકથી અનેક લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.. મળતી માહિતી અનુસાર મોરબીના વાઘપુર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃદ્ધ ધુણી રહ્યા હતા.. ધુણતા ધુણતા અચાનક વૃદ્ધ ઢળી પડ્યા.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેમને ત્યાં હાજર તબિબે મૃત જાહેર કર્યા.. આ હાર્ટ એટેકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.. 


ધુણતા ધુણતા અચાનક વ્યક્તિ ઢળી પડ્યો અને... 

કોરોનાને કારણે અનેક વસ્તુઓ બદલાઈ ગઈ છે.. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકો થાય છે પરંતુ કોરોના બાદ આ વસ્તુ બદલાઈ ગઈ હોય તેવું લાગે છે... નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને ભેટી રહ્યા છે.. થોડા દિવસ પહેલા સુરતથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બાઈક પર બેસતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો.. ત્યારે આવો એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે જેમાં ધુણતી વખતે ભુવાજી ઢળી પડ્યા અને મોતને ભેટ્યા...આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે..  


શું છે હાર્ટ એટેકના લક્ષણો અને કારણો? 

હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણો હોય છે.. જેમ કે અતિશય કસરત કરવી.. વધારે સ્ટ્રેસ લેવો, વ્યસન હોવું, પૂરતી ઉંઘ ના લેવી, સ્વાસ્થ્ય વર્ધક ખોરાક ના લેવો.. આ સિવાય પણ અનેક એવા કારણો હોય છે જેને કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે.. જો હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર તેમજ ગભરામણ થવી, અવાર નવાર થાક લાગવો, પરસેવો અને ધબકારા વધી જવા સહિત અનેક લક્ષણો હોઈ શકે છે.. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે