લોકડાઉનના સમયને યાદ કરાવતી મધુર ભંડારકરની ફિલ્મ 'ઈન્ડિયા લોકડાઉન'નું ટ્રેલર લોન્ચ


  • Published By :
  • Published Date : 2022-11-18 13:37:07

2019માં કોરોના મહામારીને કારણે દેશમાં તેમજ વિશ્વમાં લોકડાઉનમાં લગાડવામાં આવ્યું હતું. કોરોના મહામારી વધુ ન ફેલાય તેમજ તેને અટકાવવા દેશભરમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. લોકડાઉન પર મધુ ભંડારકર એક ફિલ્મ લઈને આવ્યા છે જેનું નામ છે ઈન્ડિયા લોકડાઉન. થોડા સમય પહેલા મધુ ભંડારકરે ફિલ્મનું ટિઝર રિલિઝ કર્યું હતું, ત્યારે હવે ફિલ્મ ઈન્ડિયા લોકડાઉનનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

  

ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થશે

આ ફિલ્મ રિયલ ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં શ્વેતા બાસુ પ્રસાદ, પ્રતીક બબ્બર તેમજ અનેક કલાકારો નજરે પડશે. આ ફિલ્મમાં લોકડાઉન દરમિયાન માણસોને પડેલી મુશ્કેલી બતાવવામાં આવી છે. લોકડાઉન વખતે લોકોને કેવો-કેવો સામનો કરવો પડ્યો હતો તે બધી ઘટનાઓ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. 2 ડિસેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. 


લોકડાઉનમાં લોકોને પડેલી મુશ્કેલી બતાવવાનો પ્રયત્ન 

આ ફિલ્મમાં શ્વેતા બાસુ મેહરૂન્નિસા, પ્રતિક બબ્બર માધવના રોલમાં તેમજ આહના કુમારા મૂન એલવીઝના રોલમાં જોવા મળશે.વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે લગભગ ચાર મહિના સુધી લોકો ઘરમાં પૂરાઈ ગયા હતા. કોરોનાને કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. કોરોના મહામારીને પગલે સમગ્ર દેશ ઠપ્પ થઈ ગયો હતો, ત્યારે લોકડાઉનમાં સામાન્ય માણસોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મમાં લોકોને પડેલી મુશ્કેલી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી