લોકડાઉનના સમયને યાદ કરાવતી મધુર ભંડારકરની ફિલ્મ 'ઈન્ડિયા લોકડાઉન'નું ટ્રેલર લોન્ચ


  • Published By :
  • Published Date : 2022-11-18 13:37:07

2019માં કોરોના મહામારીને કારણે દેશમાં તેમજ વિશ્વમાં લોકડાઉનમાં લગાડવામાં આવ્યું હતું. કોરોના મહામારી વધુ ન ફેલાય તેમજ તેને અટકાવવા દેશભરમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. લોકડાઉન પર મધુ ભંડારકર એક ફિલ્મ લઈને આવ્યા છે જેનું નામ છે ઈન્ડિયા લોકડાઉન. થોડા સમય પહેલા મધુ ભંડારકરે ફિલ્મનું ટિઝર રિલિઝ કર્યું હતું, ત્યારે હવે ફિલ્મ ઈન્ડિયા લોકડાઉનનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

  

ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થશે

આ ફિલ્મ રિયલ ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં શ્વેતા બાસુ પ્રસાદ, પ્રતીક બબ્બર તેમજ અનેક કલાકારો નજરે પડશે. આ ફિલ્મમાં લોકડાઉન દરમિયાન માણસોને પડેલી મુશ્કેલી બતાવવામાં આવી છે. લોકડાઉન વખતે લોકોને કેવો-કેવો સામનો કરવો પડ્યો હતો તે બધી ઘટનાઓ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. 2 ડિસેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. 


લોકડાઉનમાં લોકોને પડેલી મુશ્કેલી બતાવવાનો પ્રયત્ન 

આ ફિલ્મમાં શ્વેતા બાસુ મેહરૂન્નિસા, પ્રતિક બબ્બર માધવના રોલમાં તેમજ આહના કુમારા મૂન એલવીઝના રોલમાં જોવા મળશે.વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે લગભગ ચાર મહિના સુધી લોકો ઘરમાં પૂરાઈ ગયા હતા. કોરોનાને કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. કોરોના મહામારીને પગલે સમગ્ર દેશ ઠપ્પ થઈ ગયો હતો, ત્યારે લોકડાઉનમાં સામાન્ય માણસોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મમાં લોકોને પડેલી મુશ્કેલી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.