લોકડાઉનના સમયને યાદ કરાવતી મધુર ભંડારકરની ફિલ્મ 'ઈન્ડિયા લોકડાઉન'નું ટ્રેલર લોન્ચ


  • Published By :
  • Published Date : 2022-11-18 13:37:07

2019માં કોરોના મહામારીને કારણે દેશમાં તેમજ વિશ્વમાં લોકડાઉનમાં લગાડવામાં આવ્યું હતું. કોરોના મહામારી વધુ ન ફેલાય તેમજ તેને અટકાવવા દેશભરમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. લોકડાઉન પર મધુ ભંડારકર એક ફિલ્મ લઈને આવ્યા છે જેનું નામ છે ઈન્ડિયા લોકડાઉન. થોડા સમય પહેલા મધુ ભંડારકરે ફિલ્મનું ટિઝર રિલિઝ કર્યું હતું, ત્યારે હવે ફિલ્મ ઈન્ડિયા લોકડાઉનનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

  

ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થશે

આ ફિલ્મ રિયલ ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં શ્વેતા બાસુ પ્રસાદ, પ્રતીક બબ્બર તેમજ અનેક કલાકારો નજરે પડશે. આ ફિલ્મમાં લોકડાઉન દરમિયાન માણસોને પડેલી મુશ્કેલી બતાવવામાં આવી છે. લોકડાઉન વખતે લોકોને કેવો-કેવો સામનો કરવો પડ્યો હતો તે બધી ઘટનાઓ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. 2 ડિસેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. 


લોકડાઉનમાં લોકોને પડેલી મુશ્કેલી બતાવવાનો પ્રયત્ન 

આ ફિલ્મમાં શ્વેતા બાસુ મેહરૂન્નિસા, પ્રતિક બબ્બર માધવના રોલમાં તેમજ આહના કુમારા મૂન એલવીઝના રોલમાં જોવા મળશે.વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે લગભગ ચાર મહિના સુધી લોકો ઘરમાં પૂરાઈ ગયા હતા. કોરોનાને કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. કોરોના મહામારીને પગલે સમગ્ર દેશ ઠપ્પ થઈ ગયો હતો, ત્યારે લોકડાઉનમાં સામાન્ય માણસોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મમાં લોકોને પડેલી મુશ્કેલી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.   



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.