લોકડાઉનના સમયને યાદ કરાવતી મધુર ભંડારકરની ફિલ્મ 'ઈન્ડિયા લોકડાઉન'નું ટ્રેલર લોન્ચ


  • Published By :
  • Published Date : 2022-11-18 13:37:07

2019માં કોરોના મહામારીને કારણે દેશમાં તેમજ વિશ્વમાં લોકડાઉનમાં લગાડવામાં આવ્યું હતું. કોરોના મહામારી વધુ ન ફેલાય તેમજ તેને અટકાવવા દેશભરમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. લોકડાઉન પર મધુ ભંડારકર એક ફિલ્મ લઈને આવ્યા છે જેનું નામ છે ઈન્ડિયા લોકડાઉન. થોડા સમય પહેલા મધુ ભંડારકરે ફિલ્મનું ટિઝર રિલિઝ કર્યું હતું, ત્યારે હવે ફિલ્મ ઈન્ડિયા લોકડાઉનનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

  

ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થશે

આ ફિલ્મ રિયલ ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં શ્વેતા બાસુ પ્રસાદ, પ્રતીક બબ્બર તેમજ અનેક કલાકારો નજરે પડશે. આ ફિલ્મમાં લોકડાઉન દરમિયાન માણસોને પડેલી મુશ્કેલી બતાવવામાં આવી છે. લોકડાઉન વખતે લોકોને કેવો-કેવો સામનો કરવો પડ્યો હતો તે બધી ઘટનાઓ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. 2 ડિસેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. 


લોકડાઉનમાં લોકોને પડેલી મુશ્કેલી બતાવવાનો પ્રયત્ન 

આ ફિલ્મમાં શ્વેતા બાસુ મેહરૂન્નિસા, પ્રતિક બબ્બર માધવના રોલમાં તેમજ આહના કુમારા મૂન એલવીઝના રોલમાં જોવા મળશે.વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે લગભગ ચાર મહિના સુધી લોકો ઘરમાં પૂરાઈ ગયા હતા. કોરોનાને કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. કોરોના મહામારીને પગલે સમગ્ર દેશ ઠપ્પ થઈ ગયો હતો, ત્યારે લોકડાઉનમાં સામાન્ય માણસોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મમાં લોકોને પડેલી મુશ્કેલી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.   



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.