ગાંધીનગર પાસે તળાવમાં કાર ડૂબી, ચારના મૃતદેહ મળ્યા


  • Published By :
  • Published Date : 2023-09-20 12:26:08

ચિલોડા હિંમતનગર હાઇવે પર દશેલા ગામ પાસે એક કાર તળાવમાં ડૂબી હતી જેમાં 4 વ્યકતિઓના મૃતદેહ મળ્યા છે.. અમદાવાદના પાંચ મિત્રો અમદાવાદથી રાજસ્થાન તરફ ફરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવતા ગાંધીનગર જિલ્લાના દશેલા ગામની સીમમાં વરસાદી પાણી ભરેલ હતું અને તળાવ ઓવરફ્લો હતો જેની જાણ ન રહેતા આ કાર તળાવમાં તણાઈ ગઈ હતી જેમાંથી કારમાં સવાર 5 લોકોમાંથી 4 વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થયા હતા   ગઈકાલે તણાયેલી કારમાં સવાર ચાર મૃતદેહ મળી આવ્યા છે. અંદાજે ગઈકાલે રાતે 9 વાગ્યે તણાયેલી કારમાં 5 વ્યક્તિઓ હાજર હતા. તળાવ સુધી કાર તણાતા પાંચેય કાર સવારો ડૂબ્યા હતા. ત્યારે આજે ફાયર વિભાગની ટીમે 4ના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે કારસવાર અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.


કેવી રીતે પરિવારને જાણ થઇ ?


બે દિવસથી પાંચેય વ્યક્તિનો કોઈ સંપર્ક ન થતા પરિવારે પોલીસને જાણ કરી હતી જેમાં પોલીસે લોકેશન કાઢતા લોકેશન ગાંધીનગર જિલ્લાના દશેલા ગામનું મળ્યું હતું ત્યાં તપાસ કરતા પોલીસને તળાવમાંથી કાર મળી આવી હતી અને ફાયર વિભાગની ટીમે 4 મૃતદેહો બહાર કાઢ્યા હતા. એક વ્યક્તિ હાલ પણ શોધખોળ ચાલી રહી છે પ્રાથમિક માહિતી મુજબ ત્યાં તળાવ ઓવરફ્લો થયો હતો કાર ચલાવનારને એવું લાગ્યું હશે કે વરસાદી પાણી ભરેલું હશે પણ કાર જેમ જેમ નજીક ગઈ તેમ ડૂબવા લાગી હતી  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.