ગાંધીનગર પાસે તળાવમાં કાર ડૂબી, ચારના મૃતદેહ મળ્યા


  • Published By :
  • Published Date : 2023-09-20 12:26:08

ચિલોડા હિંમતનગર હાઇવે પર દશેલા ગામ પાસે એક કાર તળાવમાં ડૂબી હતી જેમાં 4 વ્યકતિઓના મૃતદેહ મળ્યા છે.. અમદાવાદના પાંચ મિત્રો અમદાવાદથી રાજસ્થાન તરફ ફરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવતા ગાંધીનગર જિલ્લાના દશેલા ગામની સીમમાં વરસાદી પાણી ભરેલ હતું અને તળાવ ઓવરફ્લો હતો જેની જાણ ન રહેતા આ કાર તળાવમાં તણાઈ ગઈ હતી જેમાંથી કારમાં સવાર 5 લોકોમાંથી 4 વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થયા હતા   ગઈકાલે તણાયેલી કારમાં સવાર ચાર મૃતદેહ મળી આવ્યા છે. અંદાજે ગઈકાલે રાતે 9 વાગ્યે તણાયેલી કારમાં 5 વ્યક્તિઓ હાજર હતા. તળાવ સુધી કાર તણાતા પાંચેય કાર સવારો ડૂબ્યા હતા. ત્યારે આજે ફાયર વિભાગની ટીમે 4ના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે કારસવાર અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.


કેવી રીતે પરિવારને જાણ થઇ ?


બે દિવસથી પાંચેય વ્યક્તિનો કોઈ સંપર્ક ન થતા પરિવારે પોલીસને જાણ કરી હતી જેમાં પોલીસે લોકેશન કાઢતા લોકેશન ગાંધીનગર જિલ્લાના દશેલા ગામનું મળ્યું હતું ત્યાં તપાસ કરતા પોલીસને તળાવમાંથી કાર મળી આવી હતી અને ફાયર વિભાગની ટીમે 4 મૃતદેહો બહાર કાઢ્યા હતા. એક વ્યક્તિ હાલ પણ શોધખોળ ચાલી રહી છે પ્રાથમિક માહિતી મુજબ ત્યાં તળાવ ઓવરફ્લો થયો હતો કાર ચલાવનારને એવું લાગ્યું હશે કે વરસાદી પાણી ભરેલું હશે પણ કાર જેમ જેમ નજીક ગઈ તેમ ડૂબવા લાગી હતી  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી