ઊર્જા કૌભાંડમાં વધુ 10 કર્મચારીઓને તેડું!, YuvrajSinhએ કહ્યું કે "યોગ્ય તપાસ થશે તો...."


  • Published By :
  • Published Date : 2023-12-15 16:09:06

ગુજરાત જાણે કૌભાંડોનું પર્યાય બની ગયું હોય તેમ લાગે છે. ગુજરાતમાં એક પછી એક બહાર આવી રહેલા કૌભાંડો પર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે જૂનું અને જેના પર સૌથી વધારે ચર્ચા થઈ છે એવું કૌભાંડ ઉર્જા વિભાગ કૌભાંડમાં વધુ લોકોના નામ સામે આવ્યા છે.  

કર્મીઓને આવ્યું ક્રાઈમ બ્રાન્ચનું તેડું 

ગુજરાતમાં ઉર્જા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુ છે. આ કૌભાંડના તપાસનો ધંધમાટ શરૂ છે. અલગ અલગ લોકોને ક્રાઈમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. આ મામલે તપાસ શરૂ છે ત્યારે હિંમતનગર સર્કલના 10 જેટલા વીજ કર્મીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડુ આવ્યું છે. આ તમામને 20 ડિસેમ્બરે સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવા માટે નોટિસ મળી છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હવે ફરી એકવાર ઉર્જા કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 


યુવરાજસિંહે આ અંગે કર્યું ટ્વિટ 

ત્રણ મહિના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવતા હિંમતનગર સર્કલના 10 વીજકર્મીઓને નોટિસ ફટકારી છે. આમાં અરવલ્લી જિલ્લાની બાયડ, સાઠંબા અને ધનસુરા વીજ કચેરીના 3 વીજકર્મીઓને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. એક સાથે 10 જેટલા વીજકર્મીઓને નોટિસ મળતા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. ત્રણેક માસ પછી ફરી એકવાર ઉર્જાકાંડનુ ભૂત ધૂણતા બીજા નવા નામ સામે આવી શકે તેવી સાંભવન પણ છે. આ મુદ્દે યુવાનેતા અને ઉર્જાવિભાગના કૌભાંડ બહાર લાવનાર યુવરાજસિંહએ એક ટ્વીટ કરી છે ઉપરાંત પ્રતિક્રિયા પણ આપી છે જેમાં તેમણે કહ્યું કે લખી કે જો યોગ્ય તપાસ થાય તો 300+ નામ ફક્ત અહીંયાથી મળે એમ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.