ઊર્જા કૌભાંડમાં વધુ 10 કર્મચારીઓને તેડું!, YuvrajSinhએ કહ્યું કે "યોગ્ય તપાસ થશે તો...."


  • Published By :
  • Published Date : 2023-12-15 16:09:06

ગુજરાત જાણે કૌભાંડોનું પર્યાય બની ગયું હોય તેમ લાગે છે. ગુજરાતમાં એક પછી એક બહાર આવી રહેલા કૌભાંડો પર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે જૂનું અને જેના પર સૌથી વધારે ચર્ચા થઈ છે એવું કૌભાંડ ઉર્જા વિભાગ કૌભાંડમાં વધુ લોકોના નામ સામે આવ્યા છે.  

કર્મીઓને આવ્યું ક્રાઈમ બ્રાન્ચનું તેડું 

ગુજરાતમાં ઉર્જા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુ છે. આ કૌભાંડના તપાસનો ધંધમાટ શરૂ છે. અલગ અલગ લોકોને ક્રાઈમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. આ મામલે તપાસ શરૂ છે ત્યારે હિંમતનગર સર્કલના 10 જેટલા વીજ કર્મીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડુ આવ્યું છે. આ તમામને 20 ડિસેમ્બરે સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવા માટે નોટિસ મળી છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હવે ફરી એકવાર ઉર્જા કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 


યુવરાજસિંહે આ અંગે કર્યું ટ્વિટ 

ત્રણ મહિના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવતા હિંમતનગર સર્કલના 10 વીજકર્મીઓને નોટિસ ફટકારી છે. આમાં અરવલ્લી જિલ્લાની બાયડ, સાઠંબા અને ધનસુરા વીજ કચેરીના 3 વીજકર્મીઓને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. એક સાથે 10 જેટલા વીજકર્મીઓને નોટિસ મળતા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. ત્રણેક માસ પછી ફરી એકવાર ઉર્જાકાંડનુ ભૂત ધૂણતા બીજા નવા નામ સામે આવી શકે તેવી સાંભવન પણ છે. આ મુદ્દે યુવાનેતા અને ઉર્જાવિભાગના કૌભાંડ બહાર લાવનાર યુવરાજસિંહએ એક ટ્વીટ કરી છે ઉપરાંત પ્રતિક્રિયા પણ આપી છે જેમાં તેમણે કહ્યું કે લખી કે જો યોગ્ય તપાસ થાય તો 300+ નામ ફક્ત અહીંયાથી મળે એમ છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.