નવરાત્રિમાં 108ને હાર્ટએટેકના 450થી વધુ મળ્યા કોલ, અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 10થી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-10-23 19:41:53

સમગ્ર રાજ્યમાં મા નવદુર્ગાના આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ મનાવવામાં આવી રહી છે. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે, અને ખૈલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘુમશે. જો કે સૌથી મોટી ચિંતા હાર્ટ એટેકના કારણે ઉભી થઈ છે. આ વખતે નવરાત્રિમાં હાર્ટ એટેક અને હ્રદયને લગતી બિમારીઓના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને ખેલૈયાઓમાં આ તકલીફો વધી રહી છે. તેમાં પણ લોકોને ખૂબ જ નાની ઉંમરે હાર્ટ એટેક આવે છે, તે મોટો ચિંતાનો વિષય બન્યો છે. 


અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 10થી વધુ કેસ


અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના 10થી વધુ કેસો નોંધાયા છે. મળતી માહિતી પ્રમાણે, નવરાત્રિ દરમિયાન અમદાવાદમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં 10થી વધુના હાર્ટ એટેકના કેસોથી મૃત્યુના સમાચારો સામે આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના સરેરાશ 84 કેસો આ વખતે નોંધાયા છે. નવરાત્રિ દરમિયાન ઈમર્જન્સી સારવાર સર્વિસ 108ને હાર્ટએટેક સંબંધિત 450થી વધુ કોલ મળ્યા હતા.


108ને હાર્ટએટેકના 450થી વધુ મળ્યા કોલ 


રાજ્યમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવ દરમિયાન  ઈમર્જન્સી સારવાર સર્વિસ 108ને અત્યાર સુધી 473 લોકોને હાર્ટ એટેક સંબંધિત હોવાની ફરિયાદ મળી છે. પહેલા નોરતાથી આઠમા નોરતા દરમિયાન સાંજના 6થી રાત્રિના 2 વાગ્યા સુધી 108ને 473 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે. પ્રથમ નોરતે 73, બીજા નોરતે 92, ત્રીજા નોરતે 69 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા છે. ચોથા નોરતે 109, પાંચમા નોરતે 102, છઠ્ઠા નોરતે 76 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. સાતમા નોરતે 70 અને આઠમા નોરતે 82 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. નવરાત્રિ દરમિયાન 108ને રાજ્ય ભરમાંથી રોજ સરેરાશ 84 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.