હિમાચલ પ્રદેશમાં 11 વાગ્યા સુધી 17.98 ટકા મતદાન, જેપી નડ્ડાએ પણ પોતાનો મત આપ્યો


  • Published By :
  • Published Date : 2022-11-12 13:25:07

  1. હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.
  2. સવારે 11 વાગ્યા સુધી 17.98 ટકા મતદાન.
  3. કુલ 55 લાખ 92 હજાર 882 મતદારો મતદાન કરશે.

હિમાચલ ચૂંટણી 2022 મતદાન લાઈવ: હિમાચલ પ્રદેશમાં 11 વાગ્યા સુધી 17.98 ટકા મતદાન, જેપી નડ્ડાએ પણ પોતાનો મત આપ્યો

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. કડકડતી ઠંડી છતાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. મતદાનના પ્રથમ કલાકમાં 5.3 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ મતદાનમાં ઉછાળો જોવા મળ્યો છે. હવે 11 વાગ્યા સુધી 17.98 ટકા મદદ થઈ છે. જણાવી દઈએ કે આ વખતે હિમાચલની કુલ 68 વિધાનસભા સીટો પર 412 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ વખતે આ બેઠકો પર કુલ 55 લાખ 92 હજાર 882 મતદારો મતદાન કરશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર હિમાચલમાં 28,54,945 પુરૂષ અને 27,37,845 મહિલા અને 38 તૃતીય લિંગના મતદારો મતદાન કરશે. આ સાથે રાજ્યમાં 67,559 સેવા મતદારો, 56,501 દિવ્યાંગ અને 22 NRI મતદારો છે.

હિમાચલ ચૂંટણી 2022 ડોદરા ક્વાર ક્ષેત્રમાં મતદાન કરવા લોકોની લાંબી લાઇન

હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આજે રાજ્યમાં મતદાન પ્રક્રિયા સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આ વખતે હિમાચલ પ્રદેશમાં 7,881 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્રણેય પક્ષોએ રાજ્યની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હાલમાં હિમાચલમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.