હિમાચલ પ્રદેશમાં 11 વાગ્યા સુધી 17.98 ટકા મતદાન, જેપી નડ્ડાએ પણ પોતાનો મત આપ્યો


  • Published By :
  • Published Date : 2022-11-12 13:25:07

  1. હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.
  2. સવારે 11 વાગ્યા સુધી 17.98 ટકા મતદાન.
  3. કુલ 55 લાખ 92 હજાર 882 મતદારો મતદાન કરશે.

હિમાચલ ચૂંટણી 2022 મતદાન લાઈવ: હિમાચલ પ્રદેશમાં 11 વાગ્યા સુધી 17.98 ટકા મતદાન, જેપી નડ્ડાએ પણ પોતાનો મત આપ્યો

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. કડકડતી ઠંડી છતાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. મતદાનના પ્રથમ કલાકમાં 5.3 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ મતદાનમાં ઉછાળો જોવા મળ્યો છે. હવે 11 વાગ્યા સુધી 17.98 ટકા મદદ થઈ છે. જણાવી દઈએ કે આ વખતે હિમાચલની કુલ 68 વિધાનસભા સીટો પર 412 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ વખતે આ બેઠકો પર કુલ 55 લાખ 92 હજાર 882 મતદારો મતદાન કરશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર હિમાચલમાં 28,54,945 પુરૂષ અને 27,37,845 મહિલા અને 38 તૃતીય લિંગના મતદારો મતદાન કરશે. આ સાથે રાજ્યમાં 67,559 સેવા મતદારો, 56,501 દિવ્યાંગ અને 22 NRI મતદારો છે.

હિમાચલ ચૂંટણી 2022 ડોદરા ક્વાર ક્ષેત્રમાં મતદાન કરવા લોકોની લાંબી લાઇન

હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આજે રાજ્યમાં મતદાન પ્રક્રિયા સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આ વખતે હિમાચલ પ્રદેશમાં 7,881 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્રણેય પક્ષોએ રાજ્યની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હાલમાં હિમાચલમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.