હિમાચલ પ્રદેશમાં 11 વાગ્યા સુધી 17.98 ટકા મતદાન, જેપી નડ્ડાએ પણ પોતાનો મત આપ્યો


  • Published By :
  • Published Date : 2022-11-12 13:25:07

  1. હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.
  2. સવારે 11 વાગ્યા સુધી 17.98 ટકા મતદાન.
  3. કુલ 55 લાખ 92 હજાર 882 મતદારો મતદાન કરશે.

હિમાચલ ચૂંટણી 2022 મતદાન લાઈવ: હિમાચલ પ્રદેશમાં 11 વાગ્યા સુધી 17.98 ટકા મતદાન, જેપી નડ્ડાએ પણ પોતાનો મત આપ્યો

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. કડકડતી ઠંડી છતાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. મતદાનના પ્રથમ કલાકમાં 5.3 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ મતદાનમાં ઉછાળો જોવા મળ્યો છે. હવે 11 વાગ્યા સુધી 17.98 ટકા મદદ થઈ છે. જણાવી દઈએ કે આ વખતે હિમાચલની કુલ 68 વિધાનસભા સીટો પર 412 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ વખતે આ બેઠકો પર કુલ 55 લાખ 92 હજાર 882 મતદારો મતદાન કરશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર હિમાચલમાં 28,54,945 પુરૂષ અને 27,37,845 મહિલા અને 38 તૃતીય લિંગના મતદારો મતદાન કરશે. આ સાથે રાજ્યમાં 67,559 સેવા મતદારો, 56,501 દિવ્યાંગ અને 22 NRI મતદારો છે.

હિમાચલ ચૂંટણી 2022 ડોદરા ક્વાર ક્ષેત્રમાં મતદાન કરવા લોકોની લાંબી લાઇન

હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આજે રાજ્યમાં મતદાન પ્રક્રિયા સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આ વખતે હિમાચલ પ્રદેશમાં 7,881 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્રણેય પક્ષોએ રાજ્યની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હાલમાં હિમાચલમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.