ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્લેટફોર્મ એક્સ પર આ રાહત પેકેજ વિશે જાણકારી આપતા લખ્યું છે કે , " ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું. "

આમ હવે ગુજરાતના ખેડૂતો જે રાહત પેકેજની ખુબ આતુરતાથી રાહ જોતા હતા તેની જાહેરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. આપને જણાવી દયિકે, સરકારે પાકનુક્શાનીનો સર્વે કરવા માટે ગામે-ગામ કૃષિ ટીમોની સંખ્યા વધારીને , અંદાજે ૫ હાજર કરી દીધી હતી. સાથે જ ખેડૂતો દ્વારા તો આ કૃષિ ટીમોનો વિરોધ કરવામાં આવ્યો હતો કેમ કે , ખેડૂતોને આશંકા છે કે , અમુકને આ રાહત મળી જશે , જે ખરેખર અસરગ્રસ્ત ખેડૂતો છે તેમને રાહત નઈ મળે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કૃષિ રાહત પેકેજને લઇને કહ્યું છે કે , " રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલ આ રાહત - સહાય પેકેજ ગુજરાતના અન્નદાતાઓને હિંમત આપશે. રાજ્ય સરકાર વિકટ સ્થિતિમાં પૂરી સહાનુભૂતિ સાથે ખેડૂતો સાથે ખભેખભો મિલાવીને ઊભી છે. "






.jpg)








