પુણે-નાસિક હાઇવે પર SUV ગાડીએ 17 મહિલાઓને મારી ટક્કર, ઘટનામાં થયા પાંચ મહિલાઓના મોત


  • Published By :
  • Published Date : 2023-02-14 12:01:03

મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર સોમવાર રાત્રે એવી ઘટના બની જેમાં એક એસયુવી કારે 17 મહિલાઓને અડફેટે લઈ લીધી. આ અકસ્માતને પગલે 5 મહિલાઓના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા હતા જ્યારે બાકી મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પુણેથી 50 કિલોમીટર દૂર આવેલા શિરોલી ગામમાં બની હતી. 


ઘટનામાં થયા 5 મહિલાઓના મોત 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે. હાઈવે પર અકસ્માતો મુખ્યત્વે થતા હોય છે. ત્યારે સોમવાર રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક એસયુવી કારે 17 મહિલાઓને લપેટામાં લઈ લીધી હતી. આ ઘટનામાં પાંચ મહિલાના મોત થયા છે. આ ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે મહિલાના ઘટના સ્થળ પર મોત થયા છે જ્યારે 3 મહિલાઓના મોત સારવાર દરમિયાન થયા છે. આરોપી વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે.   


એસયુવીએ મહિલાઓને મારી ટક્કર 

મળતી માહિતી અનુસાર આ બધી મહિલાઓ કામ પરથી પરત આવી રહી હતી. આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યે બની હતી. પોતાનું કામ કરી ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન ખરપુડી ફાટા પર ઉતરી હતી. આ સમય દરમિયાન રસ્તા ક્રોસ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. પુણેથી આવી રહેલી એસયુવીએ મહિલાને જોરદાર ટક્કર મારી હતી.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.