પુણે-નાસિક હાઇવે પર SUV ગાડીએ 17 મહિલાઓને મારી ટક્કર, ઘટનામાં થયા પાંચ મહિલાઓના મોત


  • Published By :
  • Published Date : 2023-02-14 12:01:03

મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર સોમવાર રાત્રે એવી ઘટના બની જેમાં એક એસયુવી કારે 17 મહિલાઓને અડફેટે લઈ લીધી. આ અકસ્માતને પગલે 5 મહિલાઓના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા હતા જ્યારે બાકી મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પુણેથી 50 કિલોમીટર દૂર આવેલા શિરોલી ગામમાં બની હતી. 


ઘટનામાં થયા 5 મહિલાઓના મોત 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે. હાઈવે પર અકસ્માતો મુખ્યત્વે થતા હોય છે. ત્યારે સોમવાર રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક એસયુવી કારે 17 મહિલાઓને લપેટામાં લઈ લીધી હતી. આ ઘટનામાં પાંચ મહિલાના મોત થયા છે. આ ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે મહિલાના ઘટના સ્થળ પર મોત થયા છે જ્યારે 3 મહિલાઓના મોત સારવાર દરમિયાન થયા છે. આરોપી વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે.   


એસયુવીએ મહિલાઓને મારી ટક્કર 

મળતી માહિતી અનુસાર આ બધી મહિલાઓ કામ પરથી પરત આવી રહી હતી. આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યે બની હતી. પોતાનું કામ કરી ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન ખરપુડી ફાટા પર ઉતરી હતી. આ સમય દરમિયાન રસ્તા ક્રોસ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. પુણેથી આવી રહેલી એસયુવીએ મહિલાને જોરદાર ટક્કર મારી હતી.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.