પુણે-નાસિક હાઇવે પર SUV ગાડીએ 17 મહિલાઓને મારી ટક્કર, ઘટનામાં થયા પાંચ મહિલાઓના મોત


  • Published By :
  • Published Date : 2023-02-14 12:01:03

મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર સોમવાર રાત્રે એવી ઘટના બની જેમાં એક એસયુવી કારે 17 મહિલાઓને અડફેટે લઈ લીધી. આ અકસ્માતને પગલે 5 મહિલાઓના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા હતા જ્યારે બાકી મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પુણેથી 50 કિલોમીટર દૂર આવેલા શિરોલી ગામમાં બની હતી. 


ઘટનામાં થયા 5 મહિલાઓના મોત 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે. હાઈવે પર અકસ્માતો મુખ્યત્વે થતા હોય છે. ત્યારે સોમવાર રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક એસયુવી કારે 17 મહિલાઓને લપેટામાં લઈ લીધી હતી. આ ઘટનામાં પાંચ મહિલાના મોત થયા છે. આ ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે મહિલાના ઘટના સ્થળ પર મોત થયા છે જ્યારે 3 મહિલાઓના મોત સારવાર દરમિયાન થયા છે. આરોપી વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે.   


એસયુવીએ મહિલાઓને મારી ટક્કર 

મળતી માહિતી અનુસાર આ બધી મહિલાઓ કામ પરથી પરત આવી રહી હતી. આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યે બની હતી. પોતાનું કામ કરી ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન ખરપુડી ફાટા પર ઉતરી હતી. આ સમય દરમિયાન રસ્તા ક્રોસ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. પુણેથી આવી રહેલી એસયુવીએ મહિલાને જોરદાર ટક્કર મારી હતી.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.