આ ટ્રીકથી માઈગ્રેનની થઈ શકે છે ટાંઈ ટાંઈ ફીસસસસ.....


  • Published By :
  • Published Date : 2022-11-16 21:44:51

ભાગદોડ ભર્યા આ જીવનમાં શાંતિની બે મિનિટો નથી મળી શકતી. આપણે સૌ અત્યારે દોડમાં લાગ્યા છીએ, આ દોડ એવી છે જે ક્યાં પૂરી થાય છે તે આપણને ખબર પણ નથી હોતી. આવી પરિસ્થિતિની અંદર અમુક લોકો માઈગ્રેનથી પીડાઈ જતા હોય છે. માઈગ્રેન એટલે બોલચાલની ભાષામાં સમજવું હોય તો એક પ્રકારનો માથાનો દુખાવો, આ દુખાવો સાદા દુખાવા જેવો નથી હોતો પણ તેનાથી અતિશય વધારે દુઃખાવો થાય તેવો હોય છે. આ રોગમાં હમણાં માથું ફાટી જશે તેવું લાગવા લાગે છે. મગજના કેમિકલ અને પીઠના ભાગમાં આવેલા ચેતાતંત્રમાં ગરબડ થવાના કારણે આવું લાગતું હોય છે. 


માઈગ્રેનમાં શું-શું થાય છે?

આમ તો માઈગ્રેનમાં એક કોમન વસ્તુ હોય છે માથાનો દુખાવો પણ તેની સાથે વ્યક્તિ પર નિર્ભર હોય છે કે તેમને શું થાય છે. માઈગ્રેનનો અસર અલગ-અલગ વ્યક્તિ પર જુદી જુદી થાય છે. અમુક લોકોને મૂડ બદલાવા લાગે છે તો અમુક લોકોને કબજિયાત થઈ જાય છે, અમુક લોકો સતત બગાસા ખાવા લાગે છે. અમુક લોકોને પ્રકાશ મોઢા પર પડે તો તકલીફ થવા લાગે છે તો અમુક લોકોને ઉલટી અને ઉબકા આવવા લાગતા હોય છે. અલગ-અલગ લોકો પર અલગ-અલગ અસર થાય છે. 

All About the Migraine - SSB Healthcare

કયા કારણથી માઈગ્રેન થઈ શકે છે?

જો તમે તમારા કામમાં બહુ તણાવ અનુભવતા હોવ છો તો તમને માઈગ્રેન થવાની સંભાવના વધારે છે. જ્યારે તમે સમય અનુસાર નથી ખાતા, મનફાવે ત્યારે ભોજન લો છો અને તમારો જમવાનો કોઈ ચોક્કસ સમય નથી ત્યારે તમને માઈગ્રેન થઈ શકે છે. જો તમારો સૂવાનો સમય નક્કી નથી હોતો ત્યારે  માઈગ્રેનની સંભાવના વધી જાય છે. જમવામાં મેગ્નેશિયમ નામના તત્વની ઘટત હોય તો પણ માઈગ્રેનની શક્યતા વધી જાય છે. આથી એવો ખોરાક લેવો જોઈએ જેમાં મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય. જો તમારા પેટના જીવાણું(માઈક્રોબિયમ) યોગ્ય રીતે બનતા ના હોય અને કામ ના કરતા હોય તો તમને માઈગ્રેન થવાની સંભાવના વધી જતી હોય છે. 

Migraine Headaches Symptoms, Risk Factors, Diagnosis and Treatment |  Narayana Health

તમારા ટ્રિગરને યાદ રાખો

તમારે અમુક ચોક્કસ ખોરાકો વિશે પણ જાણવું જોઈએ કારણ કે ક્યારેક કોઈ ખોરાકથી પણ આપણને તકલીફ થતી હોય છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિક લોકોની ભાષામાં તેને ટ્રિગર કહેવાય છે. અમુક ભોજન માઈગ્રેનને ટ્રિગર કરતું હોય છે, એટલે કે અમુક ખોરાક ખાઈએ ત્યારે માઈગ્રેન થવાનું શરૂ થઈ જતું હોય છે. એટલે હંમેશા યાદ રાખવું જોઈએ કે તમે શું ખાવ છો. અઠવાડિયામાં એક લિસ્ટ બનાવી લેવાનું જેમાં એક ખોરાક બીજીવાર ના આવે તેનું ધ્યાન રાખવાનું. હવે જ્યારે તમને માઈગ્રેન થાય એટલે યાદ કરવાનું કે શું ખાધુ હતું. પછી આગલા અઠવાડિયામાં એ ખોરાક નહીં ખાવાનો જે ખાવાથી તમને માઈગ્રેન થયું હોય. જો આવતું અઠવાડિયા માઈગ્રેન વગર જાય તો તે ખોરાક તમારો માઈગ્રેનનો ટ્રિગર હોઈ શકે. આવા માઈગ્રેનના ટ્રિગરને ખાવાનું ટાળવાનું રાખવું જેથી માઈગ્રેનની તકલીફથી બચી શકાય. ખૂબ પાણી પીવાનું રાખવાનું જેથી આપણું જઠર અને આંતરડા યોગ્ય રીતે કામ કરી શકે અને શરીર પાણીવાળું રહે. સવારે ઉઠીને યોગ કે ધ્યાન ધરવામાં આવે તો પણ ફરક પડી શકે છે. બીજી વસ્તુ યાદ રાખવાનું કે તમારી ઉંઘ પૂરતી હોવી જોઈએ અને એક સમય પર હોવી જોઈએ. તમારું સૂવાનું નક્કી ના હોય, ચોક્કસ સમય વગર સૂવાનું થતું હોય છે તેનાથી માઈગ્રેનની તકલીફો વધતી હોય છે. અમેરિકાનું એક માઈગ્રેનનું ફાઉન્ડેશન છે. તેમને એવું જાણવા મળ્યું છે કે વીટામીન બીટુ એટલે કે વૈજ્ઞાનિક ભાષામાં રિબોફ્લેવિન, તે માઈગ્રેન ઘટાડવામાં મદદ કરે છે. આથી વે પ્રોટીન, માછલી, ગાયનું દૂધ, ઈંડા, ચીઝ, દહીં, બદામ, મશરૂમ, બ્રેડ, પાસ્તા અને ચોખા વગેરે ખાવાનું રાખવાનું. આ ખાવાનું ખાવાથી લેવાથી વિટામીન બીટુ ભરપૂર માત્રામાં મળી રહે છે. 

Natural and Home Remedies for Migraine Headache - Apollo Hospitals Blog

દોડભાગ ભર્યા આ જીવનમાં જેમાં માણસને બે મિનિટ બેસીને વિચારવાનો પણ સમય નથી મળતો તેમાં સવારે ઉઠીને ધ્યાન ધરવું અતિ આવશ્યક બની જાય છે. સવારે ઉઠીને બને તો કસરત પણ કરવી જોઈએ જેનાથી મગજમાં એવા કેમિકલ નીકળે છે જે તમને ઊર્જાથી ભરી દે છે અને તેનાથી તમારો દિવસ તાજગીભર્યો રહે છે. ઊંઘવાનો અને જમવાનો ચોક્કસ સમય રાખવો જોઈએ જેથી આવા રોગથી બચી શકાય છે. અલગ-અલગ લોકોમાં અલગ-અલગ રીતે માઈગ્રેન થતો હોય છે. બધાને સરખી રીતે માઈગ્રેનમાં તકલીફો નથી થતી વ્યક્તિ મુજબ અલગ-અગલ રીતે અસરો થતી હોય છે. આથી અમુક વસ્તુઓનું ધ્યાન રાખીશું તો આવી બીમારીથી બચી શકીશું. 

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.