200નું પેટ્રોલ ભરાવ્યું અને પૈસા ચૂકવવા માટે આપી 2 હજારની નોટ! જુઓ પછી પેટ્રોલ પંપના કર્મચારીએ એવું શું કર્યું કે વીડિયો થઈ ગયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-24 10:24:10

જ્યારથી બે હજારની નોટને લઈ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી બે હજારની નોટો બજારમાં ફરતી જોવા મળી રહી છે. પૈસા બદલાવા માટે કોઈ બેંકોમાં જઈ રહ્યા છે તો કોઈ પેટ્રોલ પંપ, જ્વેલર્સને ત્યાં બે હજારની નોટને વટાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારથી બે હજારની નોટને લઈ સમાચાર સામે આવ્યા છે ત્યારથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકો બે હજારની નોટ આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ 200 રુપિયાનું પેટ્રોલ ભરાવ્યું અને પૈસા ચૂકવવા માટે બે હજારની નોટ આપી.

  

2000ની નોટ મળતા પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ કાઢી લીધું!  

આરબીઆઈના આ નિર્ણયની અસર પેટ્રોલ પંપ સંચાલકો પર પડી રહી છે. ઓછી રકમનું પેટ્રોલ ભરાવી સામે 2000 રુપિયાની નોટ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી હતી જેમાં 2000ની નોટ ન આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યારે હાલ પેટ્રોલ પંપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 200 રુપિયાનું પેટ્રોલ ભરાવવા 2000ની નોટ આપવામાં આવી. 2000ની નોટ મળતા પેટ્રોલ પંપમાં કામ કરતા કર્મચારીએ છુટ્ટા આપવાની વાત કરી. પરંતુ વાહન ચાલકે હાથ ઉંચા કરી દીધા કે તેની પાસે છુટ્ટા નથી. ત્યારે પેટ્રોલ પંપ વાળો કર્મચારી પણ જિદ્દી હતો. સ્કૂટીની ટાંકીમાં પાઈપ નાખી, ફૂંક મારી અને પેટ્રોલ કાઢી લીધું. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


વીડિયો વાયરલ થતાં લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા!

મળતી માહિતી અનુસાર આ વીડિયો ઉત્તરપ્રદેશના જાલૌનના એક પેટ્રોલ પંપનો છે. આ મામલે જ્યારે પેટ્રોલ પંપના ઓપરેટરે કહ્યું કે જ્યારથી આરબીઆઈનો આદેશ આવ્યો ત્યારથી જ 2000ની નોટ બજારમાં આવી છે. આની સીધી અસર પેટ્રોલ પંપના બિઝનેસ પર પડી રહી છે. પેટ્રોલ ભરાવવા માટે 2 હજારની નોટ લોકો આપી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે માર્કેટમાં કોઈ પણ 2 હજારની નોટ નથી લઈ રહ્યા, એ દુકાનદાર હોય કે પેટ્રોલ પંપ વાળા હોય. તો કોઈએ કહ્યું કે 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા માટે 2 હજારની નોટ આપવી ઠીક નથી. નોટની બદલી બેંકમાં થશે પેટ્રોલ પંપ પર નહીં, તેને બેન્ક ન બનાવો. ત્યારે આ વીડિયો વિશે તમારૂં શું કહેવું છે?               




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.