200નું પેટ્રોલ ભરાવ્યું અને પૈસા ચૂકવવા માટે આપી 2 હજારની નોટ! જુઓ પછી પેટ્રોલ પંપના કર્મચારીએ એવું શું કર્યું કે વીડિયો થઈ ગયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-24 10:24:10

જ્યારથી બે હજારની નોટને લઈ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી બે હજારની નોટો બજારમાં ફરતી જોવા મળી રહી છે. પૈસા બદલાવા માટે કોઈ બેંકોમાં જઈ રહ્યા છે તો કોઈ પેટ્રોલ પંપ, જ્વેલર્સને ત્યાં બે હજારની નોટને વટાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારથી બે હજારની નોટને લઈ સમાચાર સામે આવ્યા છે ત્યારથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકો બે હજારની નોટ આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ 200 રુપિયાનું પેટ્રોલ ભરાવ્યું અને પૈસા ચૂકવવા માટે બે હજારની નોટ આપી.

  

2000ની નોટ મળતા પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ કાઢી લીધું!  

આરબીઆઈના આ નિર્ણયની અસર પેટ્રોલ પંપ સંચાલકો પર પડી રહી છે. ઓછી રકમનું પેટ્રોલ ભરાવી સામે 2000 રુપિયાની નોટ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી હતી જેમાં 2000ની નોટ ન આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યારે હાલ પેટ્રોલ પંપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 200 રુપિયાનું પેટ્રોલ ભરાવવા 2000ની નોટ આપવામાં આવી. 2000ની નોટ મળતા પેટ્રોલ પંપમાં કામ કરતા કર્મચારીએ છુટ્ટા આપવાની વાત કરી. પરંતુ વાહન ચાલકે હાથ ઉંચા કરી દીધા કે તેની પાસે છુટ્ટા નથી. ત્યારે પેટ્રોલ પંપ વાળો કર્મચારી પણ જિદ્દી હતો. સ્કૂટીની ટાંકીમાં પાઈપ નાખી, ફૂંક મારી અને પેટ્રોલ કાઢી લીધું. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


વીડિયો વાયરલ થતાં લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા!

મળતી માહિતી અનુસાર આ વીડિયો ઉત્તરપ્રદેશના જાલૌનના એક પેટ્રોલ પંપનો છે. આ મામલે જ્યારે પેટ્રોલ પંપના ઓપરેટરે કહ્યું કે જ્યારથી આરબીઆઈનો આદેશ આવ્યો ત્યારથી જ 2000ની નોટ બજારમાં આવી છે. આની સીધી અસર પેટ્રોલ પંપના બિઝનેસ પર પડી રહી છે. પેટ્રોલ ભરાવવા માટે 2 હજારની નોટ લોકો આપી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે માર્કેટમાં કોઈ પણ 2 હજારની નોટ નથી લઈ રહ્યા, એ દુકાનદાર હોય કે પેટ્રોલ પંપ વાળા હોય. તો કોઈએ કહ્યું કે 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા માટે 2 હજારની નોટ આપવી ઠીક નથી. નોટની બદલી બેંકમાં થશે પેટ્રોલ પંપ પર નહીં, તેને બેન્ક ન બનાવો. ત્યારે આ વીડિયો વિશે તમારૂં શું કહેવું છે?               




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.