200નું પેટ્રોલ ભરાવ્યું અને પૈસા ચૂકવવા માટે આપી 2 હજારની નોટ! જુઓ પછી પેટ્રોલ પંપના કર્મચારીએ એવું શું કર્યું કે વીડિયો થઈ ગયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-24 10:24:10

જ્યારથી બે હજારની નોટને લઈ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી બે હજારની નોટો બજારમાં ફરતી જોવા મળી રહી છે. પૈસા બદલાવા માટે કોઈ બેંકોમાં જઈ રહ્યા છે તો કોઈ પેટ્રોલ પંપ, જ્વેલર્સને ત્યાં બે હજારની નોટને વટાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારથી બે હજારની નોટને લઈ સમાચાર સામે આવ્યા છે ત્યારથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકો બે હજારની નોટ આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ 200 રુપિયાનું પેટ્રોલ ભરાવ્યું અને પૈસા ચૂકવવા માટે બે હજારની નોટ આપી.

  

2000ની નોટ મળતા પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ કાઢી લીધું!  

આરબીઆઈના આ નિર્ણયની અસર પેટ્રોલ પંપ સંચાલકો પર પડી રહી છે. ઓછી રકમનું પેટ્રોલ ભરાવી સામે 2000 રુપિયાની નોટ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી હતી જેમાં 2000ની નોટ ન આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યારે હાલ પેટ્રોલ પંપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 200 રુપિયાનું પેટ્રોલ ભરાવવા 2000ની નોટ આપવામાં આવી. 2000ની નોટ મળતા પેટ્રોલ પંપમાં કામ કરતા કર્મચારીએ છુટ્ટા આપવાની વાત કરી. પરંતુ વાહન ચાલકે હાથ ઉંચા કરી દીધા કે તેની પાસે છુટ્ટા નથી. ત્યારે પેટ્રોલ પંપ વાળો કર્મચારી પણ જિદ્દી હતો. સ્કૂટીની ટાંકીમાં પાઈપ નાખી, ફૂંક મારી અને પેટ્રોલ કાઢી લીધું. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


વીડિયો વાયરલ થતાં લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા!

મળતી માહિતી અનુસાર આ વીડિયો ઉત્તરપ્રદેશના જાલૌનના એક પેટ્રોલ પંપનો છે. આ મામલે જ્યારે પેટ્રોલ પંપના ઓપરેટરે કહ્યું કે જ્યારથી આરબીઆઈનો આદેશ આવ્યો ત્યારથી જ 2000ની નોટ બજારમાં આવી છે. આની સીધી અસર પેટ્રોલ પંપના બિઝનેસ પર પડી રહી છે. પેટ્રોલ ભરાવવા માટે 2 હજારની નોટ લોકો આપી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે માર્કેટમાં કોઈ પણ 2 હજારની નોટ નથી લઈ રહ્યા, એ દુકાનદાર હોય કે પેટ્રોલ પંપ વાળા હોય. તો કોઈએ કહ્યું કે 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા માટે 2 હજારની નોટ આપવી ઠીક નથી. નોટની બદલી બેંકમાં થશે પેટ્રોલ પંપ પર નહીં, તેને બેન્ક ન બનાવો. ત્યારે આ વીડિયો વિશે તમારૂં શું કહેવું છે?               




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.