200નું પેટ્રોલ ભરાવ્યું અને પૈસા ચૂકવવા માટે આપી 2 હજારની નોટ! જુઓ પછી પેટ્રોલ પંપના કર્મચારીએ એવું શું કર્યું કે વીડિયો થઈ ગયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-24 10:24:10

જ્યારથી બે હજારની નોટને લઈ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી બે હજારની નોટો બજારમાં ફરતી જોવા મળી રહી છે. પૈસા બદલાવા માટે કોઈ બેંકોમાં જઈ રહ્યા છે તો કોઈ પેટ્રોલ પંપ, જ્વેલર્સને ત્યાં બે હજારની નોટને વટાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારથી બે હજારની નોટને લઈ સમાચાર સામે આવ્યા છે ત્યારથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકો બે હજારની નોટ આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ 200 રુપિયાનું પેટ્રોલ ભરાવ્યું અને પૈસા ચૂકવવા માટે બે હજારની નોટ આપી.

  

2000ની નોટ મળતા પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ કાઢી લીધું!  

આરબીઆઈના આ નિર્ણયની અસર પેટ્રોલ પંપ સંચાલકો પર પડી રહી છે. ઓછી રકમનું પેટ્રોલ ભરાવી સામે 2000 રુપિયાની નોટ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી હતી જેમાં 2000ની નોટ ન આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યારે હાલ પેટ્રોલ પંપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 200 રુપિયાનું પેટ્રોલ ભરાવવા 2000ની નોટ આપવામાં આવી. 2000ની નોટ મળતા પેટ્રોલ પંપમાં કામ કરતા કર્મચારીએ છુટ્ટા આપવાની વાત કરી. પરંતુ વાહન ચાલકે હાથ ઉંચા કરી દીધા કે તેની પાસે છુટ્ટા નથી. ત્યારે પેટ્રોલ પંપ વાળો કર્મચારી પણ જિદ્દી હતો. સ્કૂટીની ટાંકીમાં પાઈપ નાખી, ફૂંક મારી અને પેટ્રોલ કાઢી લીધું. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


વીડિયો વાયરલ થતાં લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા!

મળતી માહિતી અનુસાર આ વીડિયો ઉત્તરપ્રદેશના જાલૌનના એક પેટ્રોલ પંપનો છે. આ મામલે જ્યારે પેટ્રોલ પંપના ઓપરેટરે કહ્યું કે જ્યારથી આરબીઆઈનો આદેશ આવ્યો ત્યારથી જ 2000ની નોટ બજારમાં આવી છે. આની સીધી અસર પેટ્રોલ પંપના બિઝનેસ પર પડી રહી છે. પેટ્રોલ ભરાવવા માટે 2 હજારની નોટ લોકો આપી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે માર્કેટમાં કોઈ પણ 2 હજારની નોટ નથી લઈ રહ્યા, એ દુકાનદાર હોય કે પેટ્રોલ પંપ વાળા હોય. તો કોઈએ કહ્યું કે 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા માટે 2 હજારની નોટ આપવી ઠીક નથી. નોટની બદલી બેંકમાં થશે પેટ્રોલ પંપ પર નહીં, તેને બેન્ક ન બનાવો. ત્યારે આ વીડિયો વિશે તમારૂં શું કહેવું છે?               




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.