ગુજરાતમાં આવતી કાલથી 21 દિવસનું દિવાળી વેકેશન ..........................


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:02:34


કોરોનાકાળમાં તમામ સ્કૂલ અને કોલેજ બંધ હતા શિક્ષણ ઓનલાઇન હતું. પરંતુ હવે સ્કૂલ ફરીથી શરૂ થઈ ગઈ છે અને સ્કૂલ કોલજ પણ ઓફલાઇન મોડમાં શરૂ થઈ ગઈ છે.  સ્કૂલો શરૂ થયા બાદ પરીક્ષા પણ ઓફલાઈન લેવાઈ હતી. ત્યારે હવે રાજ્ય સરકારે આવતીકાલ 20 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે. 21 દિવસ બાદ ફરીથી સ્કૂલોમાં નવા સત્રમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે.


દિવાળીનું વેકેશન શરૂ 

20 ઓક્ટોમ્બરથી શૈક્ષણિક કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન શરૂ થશે. અને આ વેકેશન 21 દિવસનું હશે. જે 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશન ચાલશે.ત્યાર બાદ 10 નવેમ્બરથી ફરીથી સ્કૂલ રાબેતા મુજબ શરૂ થશે. અગાઉ 2 વર્ષ દરમિયાન કોરોનાને કારણે અભ્યાસ ઓનલાઇન અને ઓફલાઇન બંને મોડમાં ચાલી રહ્યો હતો.પરંતુ આ વર્ષે સંપૂર્ણ ઓફલાઇન અભ્યાસ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને સંપૂર્ણ વેકેશન મળશે. વેકેશન પૂરું થતા જ સ્કૂલોમાં નવું સત્ર પણ શરૂ થશે.



વેકેશન બાદ પરીક્ષા 

ગુજરાત બોર્ડની સ્કૂલોમાં તાજેતરમા જ પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ થઈ. ત્યારે હવે દિવાળી વેકેશન પૂરું થતા બીજું સત્ર શરૂ થશે. કોલેજમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ સેમેસ્ટર- 5,3 અને 1ની તબક્કાવાર પરીક્ષા શરૂ થશે. 




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."