ગુજરાતમાં આવતી કાલથી 21 દિવસનું દિવાળી વેકેશન ..........................


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:02:34


કોરોનાકાળમાં તમામ સ્કૂલ અને કોલેજ બંધ હતા શિક્ષણ ઓનલાઇન હતું. પરંતુ હવે સ્કૂલ ફરીથી શરૂ થઈ ગઈ છે અને સ્કૂલ કોલજ પણ ઓફલાઇન મોડમાં શરૂ થઈ ગઈ છે.  સ્કૂલો શરૂ થયા બાદ પરીક્ષા પણ ઓફલાઈન લેવાઈ હતી. ત્યારે હવે રાજ્ય સરકારે આવતીકાલ 20 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે. 21 દિવસ બાદ ફરીથી સ્કૂલોમાં નવા સત્રમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે.


દિવાળીનું વેકેશન શરૂ 

20 ઓક્ટોમ્બરથી શૈક્ષણિક કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન શરૂ થશે. અને આ વેકેશન 21 દિવસનું હશે. જે 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશન ચાલશે.ત્યાર બાદ 10 નવેમ્બરથી ફરીથી સ્કૂલ રાબેતા મુજબ શરૂ થશે. અગાઉ 2 વર્ષ દરમિયાન કોરોનાને કારણે અભ્યાસ ઓનલાઇન અને ઓફલાઇન બંને મોડમાં ચાલી રહ્યો હતો.પરંતુ આ વર્ષે સંપૂર્ણ ઓફલાઇન અભ્યાસ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને સંપૂર્ણ વેકેશન મળશે. વેકેશન પૂરું થતા જ સ્કૂલોમાં નવું સત્ર પણ શરૂ થશે.



વેકેશન બાદ પરીક્ષા 

ગુજરાત બોર્ડની સ્કૂલોમાં તાજેતરમા જ પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ થઈ. ત્યારે હવે દિવાળી વેકેશન પૂરું થતા બીજું સત્ર શરૂ થશે. કોલેજમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ સેમેસ્ટર- 5,3 અને 1ની તબક્કાવાર પરીક્ષા શરૂ થશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.