21 વર્ષનો યુવાન ગરબા રમતા રમત પડ્યોને થયું મોત !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 16:13:13

ગુજરાતના આનંદનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકનું  ગરબા રમતા રમતા મોત થઈ જાય છે. આ યુવક  21 વર્ષનો જ હોય છે અને અચાનક ગરબા રમતા રમતાતે પડી જાય છે અને સોસાઇટીવાળા તેને હોસ્પિટલ લઈ જાય છે ત્યારે રસ્તામાંજ તેનું મોત થાય છે.

 
કયા કારણોથી થયું મૃત્યુ ?

હોસ્પિટલમાં પોહચતા ડૉક્ટરે કહ્યું હાર્ટ અટેકને કારણે તેનું મૃત્યુ થયું છે. મૃતક યુવાનનું નામ વીરેન્દ્ર હતું.સોશિયલ મીડિયા પર આ વિડિયો ખુબજ વાઇરલ થયો છે વીરેન્દ્ર જ્યારે ગરબા રમવા આવ્યો ત્યારે તેનામાં કોઈ લક્ષણો દેખાતાન હતા પછી અચાનક ગરબા રમતા રમતાતે પડી ગયો. દેશમાં આવી કેટલીય ઘટનાઓ સામે આવી છે જેમાં અચાનક હાર્ટ અટેક આવ્યાથી લોકોનું તરત મૃત્યુ થયું હોય. ફતેહપુર જિલ્લાના સલેમપુર ગામમાં નવરાત્રિ દરમિયાન દેવી જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં સામેલ 65 વર્ષીય રામ સ્વરૂપ હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યા હતા. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ દરમિયાન રામ સ્વરૂપ અચાનક પડી જાય છે. પછી તેઓ મૃત્યુ પામે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.