21 વર્ષનો યુવાન ગરબા રમતા રમત પડ્યોને થયું મોત !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 16:13:13

ગુજરાતના આનંદનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકનું  ગરબા રમતા રમતા મોત થઈ જાય છે. આ યુવક  21 વર્ષનો જ હોય છે અને અચાનક ગરબા રમતા રમતાતે પડી જાય છે અને સોસાઇટીવાળા તેને હોસ્પિટલ લઈ જાય છે ત્યારે રસ્તામાંજ તેનું મોત થાય છે.

 
કયા કારણોથી થયું મૃત્યુ ?

હોસ્પિટલમાં પોહચતા ડૉક્ટરે કહ્યું હાર્ટ અટેકને કારણે તેનું મૃત્યુ થયું છે. મૃતક યુવાનનું નામ વીરેન્દ્ર હતું.સોશિયલ મીડિયા પર આ વિડિયો ખુબજ વાઇરલ થયો છે વીરેન્દ્ર જ્યારે ગરબા રમવા આવ્યો ત્યારે તેનામાં કોઈ લક્ષણો દેખાતાન હતા પછી અચાનક ગરબા રમતા રમતાતે પડી ગયો. દેશમાં આવી કેટલીય ઘટનાઓ સામે આવી છે જેમાં અચાનક હાર્ટ અટેક આવ્યાથી લોકોનું તરત મૃત્યુ થયું હોય. ફતેહપુર જિલ્લાના સલેમપુર ગામમાં નવરાત્રિ દરમિયાન દેવી જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં સામેલ 65 વર્ષીય રામ સ્વરૂપ હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યા હતા. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ દરમિયાન રામ સ્વરૂપ અચાનક પડી જાય છે. પછી તેઓ મૃત્યુ પામે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.