21 વર્ષનો યુવાન ગરબા રમતા રમત પડ્યોને થયું મોત !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 16:13:13

ગુજરાતના આનંદનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકનું  ગરબા રમતા રમતા મોત થઈ જાય છે. આ યુવક  21 વર્ષનો જ હોય છે અને અચાનક ગરબા રમતા રમતાતે પડી જાય છે અને સોસાઇટીવાળા તેને હોસ્પિટલ લઈ જાય છે ત્યારે રસ્તામાંજ તેનું મોત થાય છે.

 
કયા કારણોથી થયું મૃત્યુ ?

હોસ્પિટલમાં પોહચતા ડૉક્ટરે કહ્યું હાર્ટ અટેકને કારણે તેનું મૃત્યુ થયું છે. મૃતક યુવાનનું નામ વીરેન્દ્ર હતું.સોશિયલ મીડિયા પર આ વિડિયો ખુબજ વાઇરલ થયો છે વીરેન્દ્ર જ્યારે ગરબા રમવા આવ્યો ત્યારે તેનામાં કોઈ લક્ષણો દેખાતાન હતા પછી અચાનક ગરબા રમતા રમતાતે પડી ગયો. દેશમાં આવી કેટલીય ઘટનાઓ સામે આવી છે જેમાં અચાનક હાર્ટ અટેક આવ્યાથી લોકોનું તરત મૃત્યુ થયું હોય. ફતેહપુર જિલ્લાના સલેમપુર ગામમાં નવરાત્રિ દરમિયાન દેવી જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં સામેલ 65 વર્ષીય રામ સ્વરૂપ હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યા હતા. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ દરમિયાન રામ સ્વરૂપ અચાનક પડી જાય છે. પછી તેઓ મૃત્યુ પામે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .