હાઈ-સ્પીડમાં જતા વાહનો પર નિયંત્રણ રાખવા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 2142 કેમેરા લગાવાશે


  • Published By :
  • Published Date : 2022-11-07 14:11:26

ઓવર સ્પીડ હોવાને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ઓવર સ્પીડ કરનાર પર નિયંત્રણ રાખવા તેમજ તેમને ટ્રેસ કરી મેમો ફાડવા અંગે તંત્ર વિચાર કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક પોલીસની મદદથી CCTv કેમેરા મેન્ટેનન્સ તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ પ્રોજેક્ટમાં અંદાજીત 2142 જેટલા કેમેરા જોઈએ છે જે હાઈ સ્પીડમાં ચાલતા વાહનોના HSRP નંબર પ્લેટ ટ્રેસ કરી મેમો ફાડી શકે. 

Cctv Traffic Camera In Ahmedabad - Dealers & Traders

હાઈ રિઝોલ્યુશન આપતા કેમેરા માટે ટેન્ડર બહાર પડાયા  

આજ કાલ હાઈ સ્પીડમાં વાહનો ચલાવી લોકો સ્ટંટ કરતા હોય છે. તેમના વાહનની ઓવર સ્પીડને કારણે અનેક વખત અકસ્માત પણ થાય છે. અનેક લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે આવા લોકો પર નિયંત્રણ રાખવા તેમજ દંડ કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. જે મુજબ કંપનીને 5 વર્ષ માટે કામગીરી સોંપવામાં આવશે. અત્યારે પણ ચાર રસ્તાઓ પર કેમેરા લગાવવામાં આવ્યા છે માત્ર નિયમનો ભંગ કરનાર વાહનને જ ટ્રેસ કરી શકે છે. તંત્ર એવા કેમેરા લગાવવા માગે છે કે જે ઓવર સ્પીડમાં ચાલતા વાહનોની નંબર પ્લેટ ટ્રેસ કરી ઈ- મેમો પણ જનરેટ કરે. કેમેરા મોનિટરિંગ માટે પણ અનેક પગલા લેવાયા છે. પાલડી અને દાણીપીઠ ખાતે મોનિટરિંગ સ્ટેશન પર વ્યવસ્થા ઉભી કરાશે.         




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.