હાઈ-સ્પીડમાં જતા વાહનો પર નિયંત્રણ રાખવા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 2142 કેમેરા લગાવાશે


  • Published By :
  • Published Date : 2022-11-07 14:11:26

ઓવર સ્પીડ હોવાને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ઓવર સ્પીડ કરનાર પર નિયંત્રણ રાખવા તેમજ તેમને ટ્રેસ કરી મેમો ફાડવા અંગે તંત્ર વિચાર કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક પોલીસની મદદથી CCTv કેમેરા મેન્ટેનન્સ તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ પ્રોજેક્ટમાં અંદાજીત 2142 જેટલા કેમેરા જોઈએ છે જે હાઈ સ્પીડમાં ચાલતા વાહનોના HSRP નંબર પ્લેટ ટ્રેસ કરી મેમો ફાડી શકે. 

Cctv Traffic Camera In Ahmedabad - Dealers & Traders

હાઈ રિઝોલ્યુશન આપતા કેમેરા માટે ટેન્ડર બહાર પડાયા  

આજ કાલ હાઈ સ્પીડમાં વાહનો ચલાવી લોકો સ્ટંટ કરતા હોય છે. તેમના વાહનની ઓવર સ્પીડને કારણે અનેક વખત અકસ્માત પણ થાય છે. અનેક લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે આવા લોકો પર નિયંત્રણ રાખવા તેમજ દંડ કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. જે મુજબ કંપનીને 5 વર્ષ માટે કામગીરી સોંપવામાં આવશે. અત્યારે પણ ચાર રસ્તાઓ પર કેમેરા લગાવવામાં આવ્યા છે માત્ર નિયમનો ભંગ કરનાર વાહનને જ ટ્રેસ કરી શકે છે. તંત્ર એવા કેમેરા લગાવવા માગે છે કે જે ઓવર સ્પીડમાં ચાલતા વાહનોની નંબર પ્લેટ ટ્રેસ કરી ઈ- મેમો પણ જનરેટ કરે. કેમેરા મોનિટરિંગ માટે પણ અનેક પગલા લેવાયા છે. પાલડી અને દાણીપીઠ ખાતે મોનિટરિંગ સ્ટેશન પર વ્યવસ્થા ઉભી કરાશે.         




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"