હાઈ-સ્પીડમાં જતા વાહનો પર નિયંત્રણ રાખવા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 2142 કેમેરા લગાવાશે


  • Published By :
  • Published Date : 2022-11-07 14:11:26

ઓવર સ્પીડ હોવાને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ઓવર સ્પીડ કરનાર પર નિયંત્રણ રાખવા તેમજ તેમને ટ્રેસ કરી મેમો ફાડવા અંગે તંત્ર વિચાર કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક પોલીસની મદદથી CCTv કેમેરા મેન્ટેનન્સ તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ પ્રોજેક્ટમાં અંદાજીત 2142 જેટલા કેમેરા જોઈએ છે જે હાઈ સ્પીડમાં ચાલતા વાહનોના HSRP નંબર પ્લેટ ટ્રેસ કરી મેમો ફાડી શકે. 

Cctv Traffic Camera In Ahmedabad - Dealers & Traders

હાઈ રિઝોલ્યુશન આપતા કેમેરા માટે ટેન્ડર બહાર પડાયા  

આજ કાલ હાઈ સ્પીડમાં વાહનો ચલાવી લોકો સ્ટંટ કરતા હોય છે. તેમના વાહનની ઓવર સ્પીડને કારણે અનેક વખત અકસ્માત પણ થાય છે. અનેક લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે આવા લોકો પર નિયંત્રણ રાખવા તેમજ દંડ કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. જે મુજબ કંપનીને 5 વર્ષ માટે કામગીરી સોંપવામાં આવશે. અત્યારે પણ ચાર રસ્તાઓ પર કેમેરા લગાવવામાં આવ્યા છે માત્ર નિયમનો ભંગ કરનાર વાહનને જ ટ્રેસ કરી શકે છે. તંત્ર એવા કેમેરા લગાવવા માગે છે કે જે ઓવર સ્પીડમાં ચાલતા વાહનોની નંબર પ્લેટ ટ્રેસ કરી ઈ- મેમો પણ જનરેટ કરે. કેમેરા મોનિટરિંગ માટે પણ અનેક પગલા લેવાયા છે. પાલડી અને દાણીપીઠ ખાતે મોનિટરિંગ સ્ટેશન પર વ્યવસ્થા ઉભી કરાશે.         




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.