હાઈ-સ્પીડમાં જતા વાહનો પર નિયંત્રણ રાખવા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 2142 કેમેરા લગાવાશે


  • Published By :
  • Published Date : 2022-11-07 14:11:26

ઓવર સ્પીડ હોવાને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ઓવર સ્પીડ કરનાર પર નિયંત્રણ રાખવા તેમજ તેમને ટ્રેસ કરી મેમો ફાડવા અંગે તંત્ર વિચાર કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક પોલીસની મદદથી CCTv કેમેરા મેન્ટેનન્સ તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ પ્રોજેક્ટમાં અંદાજીત 2142 જેટલા કેમેરા જોઈએ છે જે હાઈ સ્પીડમાં ચાલતા વાહનોના HSRP નંબર પ્લેટ ટ્રેસ કરી મેમો ફાડી શકે. 

Cctv Traffic Camera In Ahmedabad - Dealers & Traders

હાઈ રિઝોલ્યુશન આપતા કેમેરા માટે ટેન્ડર બહાર પડાયા  

આજ કાલ હાઈ સ્પીડમાં વાહનો ચલાવી લોકો સ્ટંટ કરતા હોય છે. તેમના વાહનની ઓવર સ્પીડને કારણે અનેક વખત અકસ્માત પણ થાય છે. અનેક લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે આવા લોકો પર નિયંત્રણ રાખવા તેમજ દંડ કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. જે મુજબ કંપનીને 5 વર્ષ માટે કામગીરી સોંપવામાં આવશે. અત્યારે પણ ચાર રસ્તાઓ પર કેમેરા લગાવવામાં આવ્યા છે માત્ર નિયમનો ભંગ કરનાર વાહનને જ ટ્રેસ કરી શકે છે. તંત્ર એવા કેમેરા લગાવવા માગે છે કે જે ઓવર સ્પીડમાં ચાલતા વાહનોની નંબર પ્લેટ ટ્રેસ કરી ઈ- મેમો પણ જનરેટ કરે. કેમેરા મોનિટરિંગ માટે પણ અનેક પગલા લેવાયા છે. પાલડી અને દાણીપીઠ ખાતે મોનિટરિંગ સ્ટેશન પર વ્યવસ્થા ઉભી કરાશે.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.