સુરતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા ખોલાશે 25 ઈલેક્ટ્રિક સ્ટેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:27:57

દેશ જેમ જેમ પ્રગતિ કરી રહ્યું છે તેમ તેમ પ્રદુષણનું સ્તર પણ વધી રહ્યું છે. હાલ સૌથી મોટો પ્રશ્ન પ્રદુષણનો બની રહ્યો છે. પ્રદુષણનો સ્તર ઓછો થાય તે માટે ઈલેક્ટ્રિક વાહનો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે સુરત શહેરને આગામી સમયે ઈલેક્ટ્રિક વાહનોનું શહેર તરીકે ઓળખવામાં આવશે.  

Electric two-wheeler: How Indian two-wheeler market will pan out with  electrification of upto 150cc?, Auto News, ET Auto

ઈલેક્ટ્રિક વાહનોને ખરીદવા કરાયા પ્રોત્સાહિત  

ગુજરાતમાં પહેલા પણ વાયુ પ્રદુષણને ઘટાડવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી વાયુ પ્રદર્શન પણ ઘટશે. સુરત મહાનગર પાલિકાએ થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રિક વાહનોને લઈ પોલિસી જાહેર કરી હતી. જેમાં અનેક સુવિધાઓ આપવાની વાત કરી હતી. ઈલેક્ટ્રિલ વાહનોને ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ પાર્કિંગની સુવિધા આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહન ચાલકને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ સ્થળો પર ચાર્જિગ પોઈન્ટ બનાવવામાં આવશે. આગામી સમયમાં દરેક ઝોનમાં ઓછામાં ઓછા 50 ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવશે. 16 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો હાલ સુરતમાં દોડી રહ્યા છે. 

Top 20 electric vehicle charging station companies

ઈલેક્ટ્રિક વાહનોને કારણે ઘટશે વાયુ પ્રદુષણ 

રસ્તા પર અનેક ઈલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે. જો વધુ વાહનો વધશે તો વધારે ચાર્જિંગ પોઈન્ટ બનાવામાં આવશે. 25 જેટલા સ્થળો પર હાલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવ્યા છે. સરકારી ગ્રાન્ટની સહાયથી 200 અને 300 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે અને જેનો રેટ 14 રુપિયા આસપાસ રાખવામાં આવ્યો છે. જો રસ્તા પર વધારે ઈલેક્ટ્રિક વાહનો દોડશે તો પ્રદુર્ષણનો દર પણ ઘટી શકે છે. ક્વોલિટી ઈન્ડેઝમાં પણ સુધારો થઈ શકે છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.