સુરતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા ખોલાશે 25 ઈલેક્ટ્રિક સ્ટેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:27:57

દેશ જેમ જેમ પ્રગતિ કરી રહ્યું છે તેમ તેમ પ્રદુષણનું સ્તર પણ વધી રહ્યું છે. હાલ સૌથી મોટો પ્રશ્ન પ્રદુષણનો બની રહ્યો છે. પ્રદુષણનો સ્તર ઓછો થાય તે માટે ઈલેક્ટ્રિક વાહનો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે સુરત શહેરને આગામી સમયે ઈલેક્ટ્રિક વાહનોનું શહેર તરીકે ઓળખવામાં આવશે.  

Electric two-wheeler: How Indian two-wheeler market will pan out with  electrification of upto 150cc?, Auto News, ET Auto

ઈલેક્ટ્રિક વાહનોને ખરીદવા કરાયા પ્રોત્સાહિત  

ગુજરાતમાં પહેલા પણ વાયુ પ્રદુષણને ઘટાડવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી વાયુ પ્રદર્શન પણ ઘટશે. સુરત મહાનગર પાલિકાએ થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રિક વાહનોને લઈ પોલિસી જાહેર કરી હતી. જેમાં અનેક સુવિધાઓ આપવાની વાત કરી હતી. ઈલેક્ટ્રિલ વાહનોને ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ પાર્કિંગની સુવિધા આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહન ચાલકને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ સ્થળો પર ચાર્જિગ પોઈન્ટ બનાવવામાં આવશે. આગામી સમયમાં દરેક ઝોનમાં ઓછામાં ઓછા 50 ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવશે. 16 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો હાલ સુરતમાં દોડી રહ્યા છે. 

Top 20 electric vehicle charging station companies

ઈલેક્ટ્રિક વાહનોને કારણે ઘટશે વાયુ પ્રદુષણ 

રસ્તા પર અનેક ઈલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે. જો વધુ વાહનો વધશે તો વધારે ચાર્જિંગ પોઈન્ટ બનાવામાં આવશે. 25 જેટલા સ્થળો પર હાલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવ્યા છે. સરકારી ગ્રાન્ટની સહાયથી 200 અને 300 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે અને જેનો રેટ 14 રુપિયા આસપાસ રાખવામાં આવ્યો છે. જો રસ્તા પર વધારે ઈલેક્ટ્રિક વાહનો દોડશે તો પ્રદુર્ષણનો દર પણ ઘટી શકે છે. ક્વોલિટી ઈન્ડેઝમાં પણ સુધારો થઈ શકે છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.