સુરતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા ખોલાશે 25 ઈલેક્ટ્રિક સ્ટેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:27:57

દેશ જેમ જેમ પ્રગતિ કરી રહ્યું છે તેમ તેમ પ્રદુષણનું સ્તર પણ વધી રહ્યું છે. હાલ સૌથી મોટો પ્રશ્ન પ્રદુષણનો બની રહ્યો છે. પ્રદુષણનો સ્તર ઓછો થાય તે માટે ઈલેક્ટ્રિક વાહનો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે સુરત શહેરને આગામી સમયે ઈલેક્ટ્રિક વાહનોનું શહેર તરીકે ઓળખવામાં આવશે.  

Electric two-wheeler: How Indian two-wheeler market will pan out with  electrification of upto 150cc?, Auto News, ET Auto

ઈલેક્ટ્રિક વાહનોને ખરીદવા કરાયા પ્રોત્સાહિત  

ગુજરાતમાં પહેલા પણ વાયુ પ્રદુષણને ઘટાડવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી વાયુ પ્રદર્શન પણ ઘટશે. સુરત મહાનગર પાલિકાએ થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રિક વાહનોને લઈ પોલિસી જાહેર કરી હતી. જેમાં અનેક સુવિધાઓ આપવાની વાત કરી હતી. ઈલેક્ટ્રિલ વાહનોને ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ પાર્કિંગની સુવિધા આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહન ચાલકને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ સ્થળો પર ચાર્જિગ પોઈન્ટ બનાવવામાં આવશે. આગામી સમયમાં દરેક ઝોનમાં ઓછામાં ઓછા 50 ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવશે. 16 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો હાલ સુરતમાં દોડી રહ્યા છે. 

Top 20 electric vehicle charging station companies

ઈલેક્ટ્રિક વાહનોને કારણે ઘટશે વાયુ પ્રદુષણ 

રસ્તા પર અનેક ઈલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે. જો વધુ વાહનો વધશે તો વધારે ચાર્જિંગ પોઈન્ટ બનાવામાં આવશે. 25 જેટલા સ્થળો પર હાલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવ્યા છે. સરકારી ગ્રાન્ટની સહાયથી 200 અને 300 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે અને જેનો રેટ 14 રુપિયા આસપાસ રાખવામાં આવ્યો છે. જો રસ્તા પર વધારે ઈલેક્ટ્રિક વાહનો દોડશે તો પ્રદુર્ષણનો દર પણ ઘટી શકે છે. ક્વોલિટી ઈન્ડેઝમાં પણ સુધારો થઈ શકે છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.