30માંથી 29 રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ છે કરોડપતિ! ADRએ રિપોર્ટ કર્યો જાહેર, જાણો કયા એક મુખ્યમંત્રી છે જેની પાસે છે સૌથી ઓછી સંપત્તિ


  • Published By :
  • Published Date : 2023-04-13 10:19:31

એડીઆર દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દેશના કયા રાજયના મુખ્યમંત્રી પાસે કેટલી સંપત્તિ છે તે દર્શાવવામાં આવ્યું છે. દેશના 30 રાજ્યોના મુખ્યમંત્રીઓ પૈકી 29 રાજ્યના મુખ્યમંત્રીઓ કરોડપતિ છે તેવો ખુલાસો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સૌથી સમૃદ્ધ મુખ્યમંત્રીની વાત કરીએ તો તે છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી. અને જો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીની વાત કરીએ તો તેમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ આવે છે. મમતા બેનર્જી પાસે બધા મુખ્યમંત્રીઓની તુલનામાં સૌથી ઓછી સંપત્તિ છે તેવી વાત રિપોર્ટમાં કરવામાં આવી છે. 


30માંથી 29 મુખ્યમંત્રીઓ છે કરોડપતિ!

ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા સોગંદનામું ભરવામાં આવે છે. જેમાં કોની પાસે કેટલી સંપત્તિ છે કેટલા ગુન્હાઓ તેમની વિરુદ્ધ ચાલી રહ્યા છે સહિતની અનેક વિગતો આપવાની હોય છે. ત્યારે આ વિગતોનું એનાલિસીસ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે એડીઆર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મળતી માહિતી અનુસાર દેશના 30 મુખ્યમંત્રીમાંથી 29 મુખ્યમંત્રી કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. 


મમતા બેનર્જી પાસે છે સૌથી ઓછી સંપત્તિ!

એડીઆરના રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પાસે સૌથી વધારે સંપત્તિ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.જગનમોહન રેડ્ડી પાસે 510 કરોડ રૂપિયા છે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પાસે 163 કરોડ અને જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી પાસે 63 કરોડની સંપત્તિ છે.  તે સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ હોવાની વાત રિપોર્ટમાં કરાઈ છે. રિપોર્ટ અનુસાર મમતા બેનર્જી પાસે 15 લાખ રૂપિયા છે.  

TMC loses national status: What the setback means for Mamata Banerjee's  party - India Today

અનેક મુખ્યમંત્રીઓ વિરૂદ્ધ દાખલ છે ગંભીર કેસ!

એડીઆર અને ઈલેક્શન વોચ અનુસાર આ રિપોર્ટમાં 28 રાજ્યોના મુખ્યમંત્રી તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે. સંપત્તિ સિવાય ગંભીર રીતે ગુન્હાઓ મામલે પણ માહિતી આપવામાં આવી હતી. 13 મુખ્યમંત્રીઓએ સોગંદનામામાં ગંભીર ગુનાહિત કેસ હોવાની માહિતી આપી હતી. આ ગંભીર ગુન્હાઓ કેસમાં હત્યાનો પ્રયાસ, અપહરણ વગેરેનો સમાવેશ થાય છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.