30માંથી 29 રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ છે કરોડપતિ! ADRએ રિપોર્ટ કર્યો જાહેર, જાણો કયા એક મુખ્યમંત્રી છે જેની પાસે છે સૌથી ઓછી સંપત્તિ


  • Published By :
  • Published Date : 2023-04-13 10:19:31

એડીઆર દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દેશના કયા રાજયના મુખ્યમંત્રી પાસે કેટલી સંપત્તિ છે તે દર્શાવવામાં આવ્યું છે. દેશના 30 રાજ્યોના મુખ્યમંત્રીઓ પૈકી 29 રાજ્યના મુખ્યમંત્રીઓ કરોડપતિ છે તેવો ખુલાસો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સૌથી સમૃદ્ધ મુખ્યમંત્રીની વાત કરીએ તો તે છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી. અને જો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીની વાત કરીએ તો તેમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ આવે છે. મમતા બેનર્જી પાસે બધા મુખ્યમંત્રીઓની તુલનામાં સૌથી ઓછી સંપત્તિ છે તેવી વાત રિપોર્ટમાં કરવામાં આવી છે. 


30માંથી 29 મુખ્યમંત્રીઓ છે કરોડપતિ!

ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા સોગંદનામું ભરવામાં આવે છે. જેમાં કોની પાસે કેટલી સંપત્તિ છે કેટલા ગુન્હાઓ તેમની વિરુદ્ધ ચાલી રહ્યા છે સહિતની અનેક વિગતો આપવાની હોય છે. ત્યારે આ વિગતોનું એનાલિસીસ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે એડીઆર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મળતી માહિતી અનુસાર દેશના 30 મુખ્યમંત્રીમાંથી 29 મુખ્યમંત્રી કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. 


મમતા બેનર્જી પાસે છે સૌથી ઓછી સંપત્તિ!

એડીઆરના રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પાસે સૌથી વધારે સંપત્તિ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.જગનમોહન રેડ્ડી પાસે 510 કરોડ રૂપિયા છે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પાસે 163 કરોડ અને જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી પાસે 63 કરોડની સંપત્તિ છે.  તે સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ હોવાની વાત રિપોર્ટમાં કરાઈ છે. રિપોર્ટ અનુસાર મમતા બેનર્જી પાસે 15 લાખ રૂપિયા છે.  

TMC loses national status: What the setback means for Mamata Banerjee's  party - India Today

અનેક મુખ્યમંત્રીઓ વિરૂદ્ધ દાખલ છે ગંભીર કેસ!

એડીઆર અને ઈલેક્શન વોચ અનુસાર આ રિપોર્ટમાં 28 રાજ્યોના મુખ્યમંત્રી તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે. સંપત્તિ સિવાય ગંભીર રીતે ગુન્હાઓ મામલે પણ માહિતી આપવામાં આવી હતી. 13 મુખ્યમંત્રીઓએ સોગંદનામામાં ગંભીર ગુનાહિત કેસ હોવાની માહિતી આપી હતી. આ ગંભીર ગુન્હાઓ કેસમાં હત્યાનો પ્રયાસ, અપહરણ વગેરેનો સમાવેશ થાય છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.