30માંથી 29 રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ છે કરોડપતિ! ADRએ રિપોર્ટ કર્યો જાહેર, જાણો કયા એક મુખ્યમંત્રી છે જેની પાસે છે સૌથી ઓછી સંપત્તિ


  • Published By :
  • Published Date : 2023-04-13 10:19:31

એડીઆર દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દેશના કયા રાજયના મુખ્યમંત્રી પાસે કેટલી સંપત્તિ છે તે દર્શાવવામાં આવ્યું છે. દેશના 30 રાજ્યોના મુખ્યમંત્રીઓ પૈકી 29 રાજ્યના મુખ્યમંત્રીઓ કરોડપતિ છે તેવો ખુલાસો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સૌથી સમૃદ્ધ મુખ્યમંત્રીની વાત કરીએ તો તે છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી. અને જો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીની વાત કરીએ તો તેમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ આવે છે. મમતા બેનર્જી પાસે બધા મુખ્યમંત્રીઓની તુલનામાં સૌથી ઓછી સંપત્તિ છે તેવી વાત રિપોર્ટમાં કરવામાં આવી છે. 


30માંથી 29 મુખ્યમંત્રીઓ છે કરોડપતિ!

ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા સોગંદનામું ભરવામાં આવે છે. જેમાં કોની પાસે કેટલી સંપત્તિ છે કેટલા ગુન્હાઓ તેમની વિરુદ્ધ ચાલી રહ્યા છે સહિતની અનેક વિગતો આપવાની હોય છે. ત્યારે આ વિગતોનું એનાલિસીસ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે એડીઆર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મળતી માહિતી અનુસાર દેશના 30 મુખ્યમંત્રીમાંથી 29 મુખ્યમંત્રી કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. 


મમતા બેનર્જી પાસે છે સૌથી ઓછી સંપત્તિ!

એડીઆરના રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પાસે સૌથી વધારે સંપત્તિ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.જગનમોહન રેડ્ડી પાસે 510 કરોડ રૂપિયા છે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પાસે 163 કરોડ અને જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી પાસે 63 કરોડની સંપત્તિ છે.  તે સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ હોવાની વાત રિપોર્ટમાં કરાઈ છે. રિપોર્ટ અનુસાર મમતા બેનર્જી પાસે 15 લાખ રૂપિયા છે.  

TMC loses national status: What the setback means for Mamata Banerjee's  party - India Today

અનેક મુખ્યમંત્રીઓ વિરૂદ્ધ દાખલ છે ગંભીર કેસ!

એડીઆર અને ઈલેક્શન વોચ અનુસાર આ રિપોર્ટમાં 28 રાજ્યોના મુખ્યમંત્રી તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે. સંપત્તિ સિવાય ગંભીર રીતે ગુન્હાઓ મામલે પણ માહિતી આપવામાં આવી હતી. 13 મુખ્યમંત્રીઓએ સોગંદનામામાં ગંભીર ગુનાહિત કેસ હોવાની માહિતી આપી હતી. આ ગંભીર ગુન્હાઓ કેસમાં હત્યાનો પ્રયાસ, અપહરણ વગેરેનો સમાવેશ થાય છે.     



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.