29 વર્ષીય તમિલ અભિનેત્રી પૌલિન જેસિકાનું મૃત્યુ.ચેન્નાઇ ખાતે એમના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળી આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 10:28:24

દીપા તરીકે જાણીતી, 29 વર્ષીય તમિલ અભિનેત્રી, પૌલિન જેસિકા તેના ચેન્નાઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. કોયમ્બેડુ પોલીસે કેસ દાખલ કર્યો અને તેની ડાયરીમાંથી એક નોંધ પણ મળી.અભિનેતાના મિત્ર, પ્રભાકરન તેના પરિવારના કોલ્સનો જવાબ ન મળતાં તપાસ કરવા તેના એપાર્ટમેન્ટમાં ગયા હતા. તેણીને મૃત જણાતા તેના પરિવારને જાણ કરી અને પોલીસને પણ જાણ કરી.

ઇન્ડસ્ટ્રીની ઉભરતી અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું અવસાન થયું છે. 'વૈધા' સાઉથની અભિનેત્રી દીપા ઉર્ફે પૌલિન જેસિકા તેના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. અભિનેત્રીના પોતાના એપાર્ટમેન્ટમાં તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય અભિનેત્રીએ કથિત રીતે તેની લવ લાઇફમાં સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી છે.


પૌલિન જેસિકા એટલે કે દીપાની લાશ તેમના ઘરના એક રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી.તે ચેન્નાઈના વિરુગમ્બક્કમ મલ્લિકાઈ એવન્યુમાં એકલી રહેતી હતી. પોલીસ તપાસમાં લાગેલી છે. રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દીપાના માતા-પિતા તેને તેની મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા. દીપા મિસ્કીન દ્વારા નિર્દેશિત હિટ ફિલ્મ 'થુપ્પરીવલન'માં પણ જોવા મળી હતી.


લોકો તમિલ અભિનેત્રી પૌલિન જેસિકાને પ્રેમથી દીપા કહીને બોલાવતા હતા અને તેને આ નામથી જ ઓળખ મળી હતી. રિપોર્ટ મુજબ તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. આ સમાચાર પછી સમગ્ર સિનેમા ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.