29 વર્ષીય તમિલ અભિનેત્રી પૌલિન જેસિકાનું મૃત્યુ.ચેન્નાઇ ખાતે એમના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળી આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 10:28:24

દીપા તરીકે જાણીતી, 29 વર્ષીય તમિલ અભિનેત્રી, પૌલિન જેસિકા તેના ચેન્નાઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. કોયમ્બેડુ પોલીસે કેસ દાખલ કર્યો અને તેની ડાયરીમાંથી એક નોંધ પણ મળી.અભિનેતાના મિત્ર, પ્રભાકરન તેના પરિવારના કોલ્સનો જવાબ ન મળતાં તપાસ કરવા તેના એપાર્ટમેન્ટમાં ગયા હતા. તેણીને મૃત જણાતા તેના પરિવારને જાણ કરી અને પોલીસને પણ જાણ કરી.

ઇન્ડસ્ટ્રીની ઉભરતી અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું અવસાન થયું છે. 'વૈધા' સાઉથની અભિનેત્રી દીપા ઉર્ફે પૌલિન જેસિકા તેના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. અભિનેત્રીના પોતાના એપાર્ટમેન્ટમાં તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય અભિનેત્રીએ કથિત રીતે તેની લવ લાઇફમાં સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી છે.


પૌલિન જેસિકા એટલે કે દીપાની લાશ તેમના ઘરના એક રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી.તે ચેન્નાઈના વિરુગમ્બક્કમ મલ્લિકાઈ એવન્યુમાં એકલી રહેતી હતી. પોલીસ તપાસમાં લાગેલી છે. રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દીપાના માતા-પિતા તેને તેની મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા. દીપા મિસ્કીન દ્વારા નિર્દેશિત હિટ ફિલ્મ 'થુપ્પરીવલન'માં પણ જોવા મળી હતી.


લોકો તમિલ અભિનેત્રી પૌલિન જેસિકાને પ્રેમથી દીપા કહીને બોલાવતા હતા અને તેને આ નામથી જ ઓળખ મળી હતી. રિપોર્ટ મુજબ તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. આ સમાચાર પછી સમગ્ર સિનેમા ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.