29 વર્ષીય તમિલ અભિનેત્રી પૌલિન જેસિકાનું મૃત્યુ.ચેન્નાઇ ખાતે એમના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળી આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 10:28:24

દીપા તરીકે જાણીતી, 29 વર્ષીય તમિલ અભિનેત્રી, પૌલિન જેસિકા તેના ચેન્નાઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. કોયમ્બેડુ પોલીસે કેસ દાખલ કર્યો અને તેની ડાયરીમાંથી એક નોંધ પણ મળી.અભિનેતાના મિત્ર, પ્રભાકરન તેના પરિવારના કોલ્સનો જવાબ ન મળતાં તપાસ કરવા તેના એપાર્ટમેન્ટમાં ગયા હતા. તેણીને મૃત જણાતા તેના પરિવારને જાણ કરી અને પોલીસને પણ જાણ કરી.

ઇન્ડસ્ટ્રીની ઉભરતી અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું અવસાન થયું છે. 'વૈધા' સાઉથની અભિનેત્રી દીપા ઉર્ફે પૌલિન જેસિકા તેના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. અભિનેત્રીના પોતાના એપાર્ટમેન્ટમાં તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય અભિનેત્રીએ કથિત રીતે તેની લવ લાઇફમાં સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી છે.


પૌલિન જેસિકા એટલે કે દીપાની લાશ તેમના ઘરના એક રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી.તે ચેન્નાઈના વિરુગમ્બક્કમ મલ્લિકાઈ એવન્યુમાં એકલી રહેતી હતી. પોલીસ તપાસમાં લાગેલી છે. રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દીપાના માતા-પિતા તેને તેની મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા. દીપા મિસ્કીન દ્વારા નિર્દેશિત હિટ ફિલ્મ 'થુપ્પરીવલન'માં પણ જોવા મળી હતી.


લોકો તમિલ અભિનેત્રી પૌલિન જેસિકાને પ્રેમથી દીપા કહીને બોલાવતા હતા અને તેને આ નામથી જ ઓળખ મળી હતી. રિપોર્ટ મુજબ તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. આ સમાચાર પછી સમગ્ર સિનેમા ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'