સુરતમાં છેલ્લા 12 કલાકમાં 3 બાળકો બન્યા રખડતા શ્વાનનો શિકાર, રજૂઆત છતાંય નહીં કરાઈ કોઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-04 17:09:35

રાજ્યમાં રખડતા પશુ તેમજ રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પશુ તેમજ શ્વાનને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે સુરતથી છેલ્લા 12 કલાકમાં એવા ત્રણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રખડતા શ્વાનનો ભોગ માસુમ બાળકો બન્યા છે. શ્વાન દ્વારા 3 જેટલા બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે જેના સીસીટીવી સામે આવ્યા છે. શ્વાનના આતંકને લઈ અનેક ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.


12 કલાકમાં 3 બાળકો પર શ્વાને કર્યો હુમલો   

અનેક વખત શ્વાનના હુમલાને કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. રખડતા પશુ તેમજ શ્વાનની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. માસુમ બાળકો તેમનો શિકાર થતા હોય છે. ત્યારે સુરતમાં છેલ્લા 12 કલાકમાં 3 કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રખડતા શ્વાને 3 જેટલા બાળકો પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. 

 

ફરિયાદ છતાંય કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી

આ ઘટના બની તેના થોડા સમય પહેલા આવી ઘટના બની હતી. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હંસ સોસાયટીમાં એક સાત વર્ષની બાળકી ઘરના આંગણામાં રમતી હતી ત્યારે સોસાયટીમાં રખડતા શ્વાને તેની પર હુમલો કરી દીધો હતો. બાળકીને છોડાવા ગયેલા દાદી પર પણ શ્વાને હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. બાળકીના મોઢાના ભાગ સહિત અનેક ભાગમાં શ્વાને બચકાં ભર્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીના લોકોએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.