સુરતમાં છેલ્લા 12 કલાકમાં 3 બાળકો બન્યા રખડતા શ્વાનનો શિકાર, રજૂઆત છતાંય નહીં કરાઈ કોઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-04 17:09:35

રાજ્યમાં રખડતા પશુ તેમજ રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પશુ તેમજ શ્વાનને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે સુરતથી છેલ્લા 12 કલાકમાં એવા ત્રણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રખડતા શ્વાનનો ભોગ માસુમ બાળકો બન્યા છે. શ્વાન દ્વારા 3 જેટલા બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે જેના સીસીટીવી સામે આવ્યા છે. શ્વાનના આતંકને લઈ અનેક ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.


12 કલાકમાં 3 બાળકો પર શ્વાને કર્યો હુમલો   

અનેક વખત શ્વાનના હુમલાને કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. રખડતા પશુ તેમજ શ્વાનની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. માસુમ બાળકો તેમનો શિકાર થતા હોય છે. ત્યારે સુરતમાં છેલ્લા 12 કલાકમાં 3 કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રખડતા શ્વાને 3 જેટલા બાળકો પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. 

 

ફરિયાદ છતાંય કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી

આ ઘટના બની તેના થોડા સમય પહેલા આવી ઘટના બની હતી. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હંસ સોસાયટીમાં એક સાત વર્ષની બાળકી ઘરના આંગણામાં રમતી હતી ત્યારે સોસાયટીમાં રખડતા શ્વાને તેની પર હુમલો કરી દીધો હતો. બાળકીને છોડાવા ગયેલા દાદી પર પણ શ્વાને હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. બાળકીના મોઢાના ભાગ સહિત અનેક ભાગમાં શ્વાને બચકાં ભર્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીના લોકોએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.