અમેરિકામાં ગુજરાતી પરિવારના 3 સભ્યોની હત્યા, બિલીમોરાના નિવૃત્ત PSIના દોહિત્ર એ જ પરિવારજનોનું કર્યુ ખૂન


  • Published By :
  • Published Date : 2023-11-28 20:14:26

અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા અને હત્યાના સમાચારો અવારનવાર આવતા રહે છે. આજે વહેલી સવારે નવસારીના એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોની અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યારો પરિવારનો સભ્ય જ હતો. મૂળ નવસારીના બિલોમોરાના રહેવાસી દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ પરિવાર સાથે અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં છેલ્લા 15 વર્ષથી રહેતા હતા. જો કે આજે સવારે તેમના જ દોહિત્રએ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ અગાઉ બિલીમોરામાં PSI તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. 


સગો દોહિત્ર બન્યો હત્યારો


દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં પોતાના ઘરમાં હતા, ત્યારે તેમના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ ત્યાં આવ્યો હતો. બંને વચ્ચે કોઈ મામલો જબરદસ્ત ઝઘડો થયો હતો. જો કે આ પારિવારિક ઝઘડો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો. આ ઝઘડામાં નિવૃત્ત પીએસઆઇ દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના 23 વર્ષીય દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટે દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ તેમના પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને તેમના દીકરા યશ બ્રહ્મભટ્ટની હત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમાર બ્રહ્મભટ્ટનો તેમની પુત્રીના પુત્ર એટલે કે દોહિત્ર સાથે મનમેળ નહોંતો. તેમની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી પારિવારિક ઝઘડા ચાલી રહ્યાં હતા, આ ઝઘડામાં આજે નિવૃત PSI, તેમના પત્ની અને તેમના દીકરાની તેમના જ દોહિત્રએ હત્યા કરી દીધી હતી. હાલ હત્યારા દોહિત્રની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી