મહીસાગરમાં અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:55:35

મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આજે બપોરના સમયે બાલાસિનોર બસ સ્ટેશન પાસે ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનું મોત થયું છે. અકસ્માત સર્જાતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પરિવારમાં પતિ, પત્ની અને બાળકનું મોત થયું હતું. 


ભારતમાં અકસ્માતની ઘટનાઓની જાણે કે લાઈન લાગી છે. ગઈકાલે જ ધંધુકા-બગોદરા રોડ પર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. સુરત શહેરમાં ઓગસ્ટ માસમાં 352 જેટલા અકસ્માતો સર્જાયા હતા. ગત 15 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં અકસ્માત સર્જાતા પણ 7 જેટલા લોકોના મોત થયા હતા. આમ જ બેદરકારી રીતે વાહન ચલાવવાના કારણે અને સારા રસ્તા ન હોવાના કારણે અને સ્થાનિક વિસ્તારોમાં ખોટા વળાંકોના કારણે અકસ્માત સર્જાયો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે