બનાસકાંઠામાં સરકારી શાળાઓમાં 353 વિદ્યાર્થીઓને હ્રદય રોગની બીમારી


  • Published By :
  • Published Date : 2023-10-20 11:06:18

હાલમાં ગુજરાતમાં હાર્ટ સબંધિત રોગોની સંખ્યા વધી થઈ છે. અને ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે કેટલાય લોકોનો જીવ જઈ રહ્યો છે. ગુજરાતમાં હાર્ટ એટકેના બનાવોએ આરોગ્ય વિભાગને પણ ચિંતામાં મૂકી દીધો છે કારણ કે બાળકોમાં પણ હવે હ્રદય રોગોની સંખ્યા વધી રહી છે. બનાસકાંઠાથી વિદ્યાર્થીઓમાં હ્રદય રોગના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ દર વર્ષે વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં ચાલુ વર્ષે 9 મહિનામાં 353 બાળકોને હ્રદયની બીમારી હોવાનું સામે આવ્યું છે. આ આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે


બાળકોમાં કેન્સરના લક્ષણો પણ જોવા મળ્યા

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ વર્ષમાં 161 છાત્રોને અત્યંત ગંભીર મનાતી કેન્સર રોગ હોવાનું પણ ખૂલ્યું છે. જે સંખ્યા પણ બાળકોમાં ઉત્તરોતર વધી રહી છે જે પણ ચિંતાજનક છે સાથે જ બાળકોને પહેલેથી ખોડખાંપણ હોવાના કારણે પણ તકલીફો દેખાઈ રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે