બનાસકાંઠામાં સરકારી શાળાઓમાં 353 વિદ્યાર્થીઓને હ્રદય રોગની બીમારી


  • Published By :
  • Published Date : 2023-10-20 11:06:18

હાલમાં ગુજરાતમાં હાર્ટ સબંધિત રોગોની સંખ્યા વધી થઈ છે. અને ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે કેટલાય લોકોનો જીવ જઈ રહ્યો છે. ગુજરાતમાં હાર્ટ એટકેના બનાવોએ આરોગ્ય વિભાગને પણ ચિંતામાં મૂકી દીધો છે કારણ કે બાળકોમાં પણ હવે હ્રદય રોગોની સંખ્યા વધી રહી છે. બનાસકાંઠાથી વિદ્યાર્થીઓમાં હ્રદય રોગના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ દર વર્ષે વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં ચાલુ વર્ષે 9 મહિનામાં 353 બાળકોને હ્રદયની બીમારી હોવાનું સામે આવ્યું છે. આ આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે


બાળકોમાં કેન્સરના લક્ષણો પણ જોવા મળ્યા

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ વર્ષમાં 161 છાત્રોને અત્યંત ગંભીર મનાતી કેન્સર રોગ હોવાનું પણ ખૂલ્યું છે. જે સંખ્યા પણ બાળકોમાં ઉત્તરોતર વધી રહી છે જે પણ ચિંતાજનક છે સાથે જ બાળકોને પહેલેથી ખોડખાંપણ હોવાના કારણે પણ તકલીફો દેખાઈ રહી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.