બનાસકાંઠામાં સરકારી શાળાઓમાં 353 વિદ્યાર્થીઓને હ્રદય રોગની બીમારી


  • Published By :
  • Published Date : 2023-10-20 11:06:18

હાલમાં ગુજરાતમાં હાર્ટ સબંધિત રોગોની સંખ્યા વધી થઈ છે. અને ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે કેટલાય લોકોનો જીવ જઈ રહ્યો છે. ગુજરાતમાં હાર્ટ એટકેના બનાવોએ આરોગ્ય વિભાગને પણ ચિંતામાં મૂકી દીધો છે કારણ કે બાળકોમાં પણ હવે હ્રદય રોગોની સંખ્યા વધી રહી છે. બનાસકાંઠાથી વિદ્યાર્થીઓમાં હ્રદય રોગના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ દર વર્ષે વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં ચાલુ વર્ષે 9 મહિનામાં 353 બાળકોને હ્રદયની બીમારી હોવાનું સામે આવ્યું છે. આ આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે


બાળકોમાં કેન્સરના લક્ષણો પણ જોવા મળ્યા

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ વર્ષમાં 161 છાત્રોને અત્યંત ગંભીર મનાતી કેન્સર રોગ હોવાનું પણ ખૂલ્યું છે. જે સંખ્યા પણ બાળકોમાં ઉત્તરોતર વધી રહી છે જે પણ ચિંતાજનક છે સાથે જ બાળકોને પહેલેથી ખોડખાંપણ હોવાના કારણે પણ તકલીફો દેખાઈ રહી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.