બનાસકાંઠામાં સરકારી શાળાઓમાં 353 વિદ્યાર્થીઓને હ્રદય રોગની બીમારી


  • Published By :
  • Published Date : 2023-10-20 11:06:18

હાલમાં ગુજરાતમાં હાર્ટ સબંધિત રોગોની સંખ્યા વધી થઈ છે. અને ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે કેટલાય લોકોનો જીવ જઈ રહ્યો છે. ગુજરાતમાં હાર્ટ એટકેના બનાવોએ આરોગ્ય વિભાગને પણ ચિંતામાં મૂકી દીધો છે કારણ કે બાળકોમાં પણ હવે હ્રદય રોગોની સંખ્યા વધી રહી છે. બનાસકાંઠાથી વિદ્યાર્થીઓમાં હ્રદય રોગના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ દર વર્ષે વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં ચાલુ વર્ષે 9 મહિનામાં 353 બાળકોને હ્રદયની બીમારી હોવાનું સામે આવ્યું છે. આ આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે


બાળકોમાં કેન્સરના લક્ષણો પણ જોવા મળ્યા

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ વર્ષમાં 161 છાત્રોને અત્યંત ગંભીર મનાતી કેન્સર રોગ હોવાનું પણ ખૂલ્યું છે. જે સંખ્યા પણ બાળકોમાં ઉત્તરોતર વધી રહી છે જે પણ ચિંતાજનક છે સાથે જ બાળકોને પહેલેથી ખોડખાંપણ હોવાના કારણે પણ તકલીફો દેખાઈ રહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.