વિજાપુરમાંથી પકડાયો 3849 કિલો નકલી મરચાનો જથ્થો, સેમ્પલ રિપોર્ટ ફેલ થતાં વેપારી સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-12-13 15:23:56

રાજ્યમાં નકલી ચીજોનો રાફડો ફાટ્યો છે, નકલી કચેરી, ટોલ પ્લાઝા, અધિકારી, પોલીસ ઉપરાંત ખાદ્ય ચીજોમાં ભેળસેળ તો જાણે હવે રોજીંદી બની ગઈ છે. નકલી ઘી, ખાદ્યતેલ, મરચુ અને હળદર પણ નકલી મળી રહ્યું છે, લેભાગુ તત્વો તેમના અંગત સ્વાર્થ માટે લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પણ નકલી મરચાનો મોટો જથ્થો ઝડપાતા હાહાકાર મચી ગયો છે.


મરચાનો સેમ્પલ રિપોર્ટ ફેલ


વિજાપુરના જાણીતા વેપારી મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાં ગત 8 મેના રોજ શંકાસ્પદ મરચું ઝડપાયું હતું. ફુડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી હતી અને હલકી ગુણવત્તાના મરચા પર લાલ રંગ ચડાવીને ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું હતું. ફુડ વિભાગે રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કર્યો હતો. આ મરચાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલામાં આવ્યા હતા. જેમાં તે માનવ આરોગ્ય માટે હાનિકર્તા હોવાનું સાબિત થયું હતું. મરચાના સેમ્પલ રિપોર્ટ ફેલ થતા વેપારી મુકેશ મહેશ્વરી સામે ભેળસેળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિયે છે કે આ વેપારીના ગોડાઉનમાં આ પૂર્વે પણ બે વખત દરોડા પડી ચુક્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.