વિજાપુરમાંથી પકડાયો 3849 કિલો નકલી મરચાનો જથ્થો, સેમ્પલ રિપોર્ટ ફેલ થતાં વેપારી સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-12-13 15:23:56

રાજ્યમાં નકલી ચીજોનો રાફડો ફાટ્યો છે, નકલી કચેરી, ટોલ પ્લાઝા, અધિકારી, પોલીસ ઉપરાંત ખાદ્ય ચીજોમાં ભેળસેળ તો જાણે હવે રોજીંદી બની ગઈ છે. નકલી ઘી, ખાદ્યતેલ, મરચુ અને હળદર પણ નકલી મળી રહ્યું છે, લેભાગુ તત્વો તેમના અંગત સ્વાર્થ માટે લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પણ નકલી મરચાનો મોટો જથ્થો ઝડપાતા હાહાકાર મચી ગયો છે.


મરચાનો સેમ્પલ રિપોર્ટ ફેલ


વિજાપુરના જાણીતા વેપારી મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાં ગત 8 મેના રોજ શંકાસ્પદ મરચું ઝડપાયું હતું. ફુડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી હતી અને હલકી ગુણવત્તાના મરચા પર લાલ રંગ ચડાવીને ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું હતું. ફુડ વિભાગે રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કર્યો હતો. આ મરચાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલામાં આવ્યા હતા. જેમાં તે માનવ આરોગ્ય માટે હાનિકર્તા હોવાનું સાબિત થયું હતું. મરચાના સેમ્પલ રિપોર્ટ ફેલ થતા વેપારી મુકેશ મહેશ્વરી સામે ભેળસેળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિયે છે કે આ વેપારીના ગોડાઉનમાં આ પૂર્વે પણ બે વખત દરોડા પડી ચુક્યા છે.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.