વિજાપુરમાંથી પકડાયો 3849 કિલો નકલી મરચાનો જથ્થો, સેમ્પલ રિપોર્ટ ફેલ થતાં વેપારી સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-12-13 15:23:56

રાજ્યમાં નકલી ચીજોનો રાફડો ફાટ્યો છે, નકલી કચેરી, ટોલ પ્લાઝા, અધિકારી, પોલીસ ઉપરાંત ખાદ્ય ચીજોમાં ભેળસેળ તો જાણે હવે રોજીંદી બની ગઈ છે. નકલી ઘી, ખાદ્યતેલ, મરચુ અને હળદર પણ નકલી મળી રહ્યું છે, લેભાગુ તત્વો તેમના અંગત સ્વાર્થ માટે લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પણ નકલી મરચાનો મોટો જથ્થો ઝડપાતા હાહાકાર મચી ગયો છે.


મરચાનો સેમ્પલ રિપોર્ટ ફેલ


વિજાપુરના જાણીતા વેપારી મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાં ગત 8 મેના રોજ શંકાસ્પદ મરચું ઝડપાયું હતું. ફુડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી હતી અને હલકી ગુણવત્તાના મરચા પર લાલ રંગ ચડાવીને ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું હતું. ફુડ વિભાગે રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કર્યો હતો. આ મરચાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલામાં આવ્યા હતા. જેમાં તે માનવ આરોગ્ય માટે હાનિકર્તા હોવાનું સાબિત થયું હતું. મરચાના સેમ્પલ રિપોર્ટ ફેલ થતા વેપારી મુકેશ મહેશ્વરી સામે ભેળસેળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિયે છે કે આ વેપારીના ગોડાઉનમાં આ પૂર્વે પણ બે વખત દરોડા પડી ચુક્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે