વિજાપુરમાંથી પકડાયો 3849 કિલો નકલી મરચાનો જથ્થો, સેમ્પલ રિપોર્ટ ફેલ થતાં વેપારી સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-12-13 15:23:56

રાજ્યમાં નકલી ચીજોનો રાફડો ફાટ્યો છે, નકલી કચેરી, ટોલ પ્લાઝા, અધિકારી, પોલીસ ઉપરાંત ખાદ્ય ચીજોમાં ભેળસેળ તો જાણે હવે રોજીંદી બની ગઈ છે. નકલી ઘી, ખાદ્યતેલ, મરચુ અને હળદર પણ નકલી મળી રહ્યું છે, લેભાગુ તત્વો તેમના અંગત સ્વાર્થ માટે લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પણ નકલી મરચાનો મોટો જથ્થો ઝડપાતા હાહાકાર મચી ગયો છે.


મરચાનો સેમ્પલ રિપોર્ટ ફેલ


વિજાપુરના જાણીતા વેપારી મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાં ગત 8 મેના રોજ શંકાસ્પદ મરચું ઝડપાયું હતું. ફુડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી હતી અને હલકી ગુણવત્તાના મરચા પર લાલ રંગ ચડાવીને ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું હતું. ફુડ વિભાગે રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કર્યો હતો. આ મરચાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલામાં આવ્યા હતા. જેમાં તે માનવ આરોગ્ય માટે હાનિકર્તા હોવાનું સાબિત થયું હતું. મરચાના સેમ્પલ રિપોર્ટ ફેલ થતા વેપારી મુકેશ મહેશ્વરી સામે ભેળસેળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિયે છે કે આ વેપારીના ગોડાઉનમાં આ પૂર્વે પણ બે વખત દરોડા પડી ચુક્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.