મોરબી દુર્ઘટનામાં ઓરેવાના 2 મેનેજર સહિત 4 જેલમાં !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 16:22:12


મોરબીમાં જુલતા પુલની દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. ત્યારે પોલીસએ કોઈ પણ કંપનીનું નામે લખ્યા વગર મેનેજમેન્ટ કરતી કપની વિરૃદ્ધ ફરિયાડ નોંધી હતી અને  આ ફરિયાદ બાદ ઓરેવા કંપનીના બે મેનેજર દીપક પારેખ અને દિનેશ જોશીને જ્યારે દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમાર, પ્રકાશ પરમાર, મનસુખ ટોપિયા, માદેવ સોલંકી,અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપી મનસુખ ટોપિયા, માદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને જેલમાં મોકલાયા છે. પોલીસ રિમાન્ડમાં રહેલા બંને કંપનીના મેનેજરના રિમાન્ડ પૂર્ણ થતા શનિવારે ફરી વાર કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં પોલીસે 5 દિવસના રિમાન્ડ માગ્યા હતો .. 


બચાવ પક્ષે શું કરી દલીલ ?

બચાવ પક્ષના વકીલે દલીલ કરી કે, પોલીસે રિમાન્ડ માટે રજૂ કરેલા મુદ્દા રિપીટ થયા છે. પોલીસે જે દસ્તાવેજ માગવાની અને તપાસની વાત કરી છે તે સ૨કા૨ી કચેરીમાંથી મેળવવાના છે. તેમાં તેમના અસીલની હાજરી જરૂરી નથી. રિમાન્ડની માગણી બિનજરૂરી છે. બચાવ પક્ષના વકીલે અગાઉના હાઈકોર્ટના આદેશનો પણ રેફરન્સ આપી વધારાના રિમાન્ડની માગણી રદ કરાય તેવી માગણી કરી હતી. બંને પક્ષની દલીલોના અંતે મેજિસ્ટ્રેટે વધારાના રિમાન્ડની માગ નામંજૂર કરી હતી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.