પાલનપુર હાઈવે ફરી બન્યો જીવલેણ, દર્શન કરીને આવતા લોકોને ટેન્કરે અડફેટે લીધા 4ના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 21:31:35

બનાસકાંઠા પાલનપુર-ઉદયપુર નેશનલ હાઈવે પર માલવ કટ નજીક ટેન્કર અને સ્વિફ્ટનો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા. 


કેવી રીતે બન્યો સમગ્ર બનાવ?

સ્વિફ્ટ કારમાં પરિવાર શારનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. માલવ નજીક સ્વિફ્ટ કાર અને ટેન્કરનો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આબુ રીકો પોલીસ મથકની હદમાં અકસ્માત સર્જાતા લોકોએ ગાડી રસ્તા પરથી સાઈડમાં લઈ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા. સ્થાનિક લોકોના મત અનુસાર તમામ લોકો રાજસ્થાનના બાલીના હોવાનું સામે આવ્યું છે. બાલીથી તમામ લોકો શારનેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા અને બાલી પરત જવા દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.