પાલનપુર હાઈવે ફરી બન્યો જીવલેણ, દર્શન કરીને આવતા લોકોને ટેન્કરે અડફેટે લીધા 4ના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 21:31:35

બનાસકાંઠા પાલનપુર-ઉદયપુર નેશનલ હાઈવે પર માલવ કટ નજીક ટેન્કર અને સ્વિફ્ટનો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા. 


કેવી રીતે બન્યો સમગ્ર બનાવ?

સ્વિફ્ટ કારમાં પરિવાર શારનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. માલવ નજીક સ્વિફ્ટ કાર અને ટેન્કરનો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આબુ રીકો પોલીસ મથકની હદમાં અકસ્માત સર્જાતા લોકોએ ગાડી રસ્તા પરથી સાઈડમાં લઈ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા. સ્થાનિક લોકોના મત અનુસાર તમામ લોકો રાજસ્થાનના બાલીના હોવાનું સામે આવ્યું છે. બાલીથી તમામ લોકો શારનેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા અને બાલી પરત જવા દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .