40 હજાર આંગણવાડી કાર્યકરો કાલે અમદાવાદમાં કરશે વિરોધ પ્રદર્શન, જાણો શું છે પડતર માગણીઓ


  • Published By :
  • Published Date : 2023-11-05 19:08:57

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત આંદોલનનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. રાજ્યના આંગણવાડીના કાર્યકરો અને તેડાગર મહિલાઓ ફરી એક વખત સરકાર સામે આંદોલનનું રણશિંગું ફુક્યું છે. આંગણવાડીના કાર્યકરો સરકારી કર્મચારીનો દરજ્જો આપવા સહિતની 18 જેટલી માંગણીઓને લઇને સરકાર દ્વારા પ્રતિભાવ નહીં અપાતા અપાયેલા હડતાલના એલાનના 10 દિવસ બાદ પણ કોઇ નિરાકરણ આવ્યું નથી તેથી આંગણવાડીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


ઉગ્ર આંદોલનની ચીમકી


રાજ્યની આંગણવાડી બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને મહિલા બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાને ઉપરાંત સચિવને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હોવા છતાંય પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા છે. શનિવારે દાહોદમાં થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આવતી કાલે તા 6 નવેમ્બરે રાજ્યની 40 હજારથી વધું આંગણવાડી બહેનો અમદાવાદમાં ધામા નાખશે. આંગણવાડી બહેનોની રજૂઆત છે કે, વર્ષ 2018થી પગાર વધારો કરાયો નથી. કેન્દ્ર સરકારની યોજના હોવા છતાંય વધારો અપાતો નથી. છેલ્લા કેટલાક મહિનાથી મસાલા - નાસ્તાના બીલો બાકી છે. મોબાઈલ incentive પણ બાકી છે. આ ઉપરાંત ઘર ભાડાં બાકી છે અને સરકાર નાણાં ચૂકવવા તૈયાર નથી. જો દિવાળી પેહલા પૈસા ના ચૂકવાય તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 


આંગણવાડી કાર્યકરોની શું છે પડતર માગ?


આંગણવાડી કાર્યકરોને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા ઉપરાંત લઘુતમ વેતન ધારાનો અમલ, આંગણવાડીનો સમય સવારે 10થી 3નો કરવા અને તેના પહેલા કે ત્યાર બાદ કોઇ કામગીરી નહીં સોંપવા, 45 વર્ષની વય મર્યાદાનો નિયમ રદ કરવા, ખાલી જગ્યાઓ તાત્કાલીક ભરવા, આઇસીડીએસ સિવાયની કામગીરી લેવાની પ્રથા બંધ કરવા, અન્ય ખાતામાંથી આવેલા કાર્યકર્તાની સિનીયોરિટી મુળ નોકરીમાં હાજરથયાની તારીખથી જ ગણવા, પોષણસુધાની કામગીરી અન્ય વિભાગને સોંપવા, રજીસ્ટર અથવા મોબાઇલ એપ બેમાંથી એક જ પદ્ધતિનો અમલ કરવાની સાથે કાર્યકરોના પર્સનલ મોબાઇલનો સરકારી કામમાં ઉપયોગ કરવાનો દુરાગ્રહ છોડવા સહિતની માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત નોટિસ કે બચાવની તક આપ્યા વગર પગાર કાપની એકતરફી કાર્યવાહી બંધ કરવા અને દર મહિને 1થી 8 તારીખ સુધીમાં પગાર કરવાની વ્યવસ્થા ગોઠવવા સહિતની માંગણીઓ સંબંધે દિવાળી પહેલા સરકાર નિર્ણય નહીં લે તો ઉપવાસ આંદોલનના આરંભ કરાશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.