40 હજાર આંગણવાડી કાર્યકરો કાલે અમદાવાદમાં કરશે વિરોધ પ્રદર્શન, જાણો શું છે પડતર માગણીઓ


  • Published By :
  • Published Date : 2023-11-05 19:08:57

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત આંદોલનનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. રાજ્યના આંગણવાડીના કાર્યકરો અને તેડાગર મહિલાઓ ફરી એક વખત સરકાર સામે આંદોલનનું રણશિંગું ફુક્યું છે. આંગણવાડીના કાર્યકરો સરકારી કર્મચારીનો દરજ્જો આપવા સહિતની 18 જેટલી માંગણીઓને લઇને સરકાર દ્વારા પ્રતિભાવ નહીં અપાતા અપાયેલા હડતાલના એલાનના 10 દિવસ બાદ પણ કોઇ નિરાકરણ આવ્યું નથી તેથી આંગણવાડીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


ઉગ્ર આંદોલનની ચીમકી


રાજ્યની આંગણવાડી બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને મહિલા બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાને ઉપરાંત સચિવને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હોવા છતાંય પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા છે. શનિવારે દાહોદમાં થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આવતી કાલે તા 6 નવેમ્બરે રાજ્યની 40 હજારથી વધું આંગણવાડી બહેનો અમદાવાદમાં ધામા નાખશે. આંગણવાડી બહેનોની રજૂઆત છે કે, વર્ષ 2018થી પગાર વધારો કરાયો નથી. કેન્દ્ર સરકારની યોજના હોવા છતાંય વધારો અપાતો નથી. છેલ્લા કેટલાક મહિનાથી મસાલા - નાસ્તાના બીલો બાકી છે. મોબાઈલ incentive પણ બાકી છે. આ ઉપરાંત ઘર ભાડાં બાકી છે અને સરકાર નાણાં ચૂકવવા તૈયાર નથી. જો દિવાળી પેહલા પૈસા ના ચૂકવાય તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 


આંગણવાડી કાર્યકરોની શું છે પડતર માગ?


આંગણવાડી કાર્યકરોને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા ઉપરાંત લઘુતમ વેતન ધારાનો અમલ, આંગણવાડીનો સમય સવારે 10થી 3નો કરવા અને તેના પહેલા કે ત્યાર બાદ કોઇ કામગીરી નહીં સોંપવા, 45 વર્ષની વય મર્યાદાનો નિયમ રદ કરવા, ખાલી જગ્યાઓ તાત્કાલીક ભરવા, આઇસીડીએસ સિવાયની કામગીરી લેવાની પ્રથા બંધ કરવા, અન્ય ખાતામાંથી આવેલા કાર્યકર્તાની સિનીયોરિટી મુળ નોકરીમાં હાજરથયાની તારીખથી જ ગણવા, પોષણસુધાની કામગીરી અન્ય વિભાગને સોંપવા, રજીસ્ટર અથવા મોબાઇલ એપ બેમાંથી એક જ પદ્ધતિનો અમલ કરવાની સાથે કાર્યકરોના પર્સનલ મોબાઇલનો સરકારી કામમાં ઉપયોગ કરવાનો દુરાગ્રહ છોડવા સહિતની માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત નોટિસ કે બચાવની તક આપ્યા વગર પગાર કાપની એકતરફી કાર્યવાહી બંધ કરવા અને દર મહિને 1થી 8 તારીખ સુધીમાં પગાર કરવાની વ્યવસ્થા ગોઠવવા સહિતની માંગણીઓ સંબંધે દિવાળી પહેલા સરકાર નિર્ણય નહીં લે તો ઉપવાસ આંદોલનના આરંભ કરાશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી