40 હજાર આંગણવાડી કાર્યકરો કાલે અમદાવાદમાં કરશે વિરોધ પ્રદર્શન, જાણો શું છે પડતર માગણીઓ


  • Published By :
  • Published Date : 2023-11-05 19:08:57

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત આંદોલનનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. રાજ્યના આંગણવાડીના કાર્યકરો અને તેડાગર મહિલાઓ ફરી એક વખત સરકાર સામે આંદોલનનું રણશિંગું ફુક્યું છે. આંગણવાડીના કાર્યકરો સરકારી કર્મચારીનો દરજ્જો આપવા સહિતની 18 જેટલી માંગણીઓને લઇને સરકાર દ્વારા પ્રતિભાવ નહીં અપાતા અપાયેલા હડતાલના એલાનના 10 દિવસ બાદ પણ કોઇ નિરાકરણ આવ્યું નથી તેથી આંગણવાડીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


ઉગ્ર આંદોલનની ચીમકી


રાજ્યની આંગણવાડી બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને મહિલા બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાને ઉપરાંત સચિવને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હોવા છતાંય પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા છે. શનિવારે દાહોદમાં થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આવતી કાલે તા 6 નવેમ્બરે રાજ્યની 40 હજારથી વધું આંગણવાડી બહેનો અમદાવાદમાં ધામા નાખશે. આંગણવાડી બહેનોની રજૂઆત છે કે, વર્ષ 2018થી પગાર વધારો કરાયો નથી. કેન્દ્ર સરકારની યોજના હોવા છતાંય વધારો અપાતો નથી. છેલ્લા કેટલાક મહિનાથી મસાલા - નાસ્તાના બીલો બાકી છે. મોબાઈલ incentive પણ બાકી છે. આ ઉપરાંત ઘર ભાડાં બાકી છે અને સરકાર નાણાં ચૂકવવા તૈયાર નથી. જો દિવાળી પેહલા પૈસા ના ચૂકવાય તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 


આંગણવાડી કાર્યકરોની શું છે પડતર માગ?


આંગણવાડી કાર્યકરોને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા ઉપરાંત લઘુતમ વેતન ધારાનો અમલ, આંગણવાડીનો સમય સવારે 10થી 3નો કરવા અને તેના પહેલા કે ત્યાર બાદ કોઇ કામગીરી નહીં સોંપવા, 45 વર્ષની વય મર્યાદાનો નિયમ રદ કરવા, ખાલી જગ્યાઓ તાત્કાલીક ભરવા, આઇસીડીએસ સિવાયની કામગીરી લેવાની પ્રથા બંધ કરવા, અન્ય ખાતામાંથી આવેલા કાર્યકર્તાની સિનીયોરિટી મુળ નોકરીમાં હાજરથયાની તારીખથી જ ગણવા, પોષણસુધાની કામગીરી અન્ય વિભાગને સોંપવા, રજીસ્ટર અથવા મોબાઇલ એપ બેમાંથી એક જ પદ્ધતિનો અમલ કરવાની સાથે કાર્યકરોના પર્સનલ મોબાઇલનો સરકારી કામમાં ઉપયોગ કરવાનો દુરાગ્રહ છોડવા સહિતની માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત નોટિસ કે બચાવની તક આપ્યા વગર પગાર કાપની એકતરફી કાર્યવાહી બંધ કરવા અને દર મહિને 1થી 8 તારીખ સુધીમાં પગાર કરવાની વ્યવસ્થા ગોઠવવા સહિતની માંગણીઓ સંબંધે દિવાળી પહેલા સરકાર નિર્ણય નહીં લે તો ઉપવાસ આંદોલનના આરંભ કરાશે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.