40 હજાર આંગણવાડી કાર્યકરો કાલે અમદાવાદમાં કરશે વિરોધ પ્રદર્શન, જાણો શું છે પડતર માગણીઓ


  • Published By :
  • Published Date : 2023-11-05 19:08:57

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત આંદોલનનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. રાજ્યના આંગણવાડીના કાર્યકરો અને તેડાગર મહિલાઓ ફરી એક વખત સરકાર સામે આંદોલનનું રણશિંગું ફુક્યું છે. આંગણવાડીના કાર્યકરો સરકારી કર્મચારીનો દરજ્જો આપવા સહિતની 18 જેટલી માંગણીઓને લઇને સરકાર દ્વારા પ્રતિભાવ નહીં અપાતા અપાયેલા હડતાલના એલાનના 10 દિવસ બાદ પણ કોઇ નિરાકરણ આવ્યું નથી તેથી આંગણવાડીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


ઉગ્ર આંદોલનની ચીમકી


રાજ્યની આંગણવાડી બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને મહિલા બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાને ઉપરાંત સચિવને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હોવા છતાંય પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા છે. શનિવારે દાહોદમાં થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આવતી કાલે તા 6 નવેમ્બરે રાજ્યની 40 હજારથી વધું આંગણવાડી બહેનો અમદાવાદમાં ધામા નાખશે. આંગણવાડી બહેનોની રજૂઆત છે કે, વર્ષ 2018થી પગાર વધારો કરાયો નથી. કેન્દ્ર સરકારની યોજના હોવા છતાંય વધારો અપાતો નથી. છેલ્લા કેટલાક મહિનાથી મસાલા - નાસ્તાના બીલો બાકી છે. મોબાઈલ incentive પણ બાકી છે. આ ઉપરાંત ઘર ભાડાં બાકી છે અને સરકાર નાણાં ચૂકવવા તૈયાર નથી. જો દિવાળી પેહલા પૈસા ના ચૂકવાય તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 


આંગણવાડી કાર્યકરોની શું છે પડતર માગ?


આંગણવાડી કાર્યકરોને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા ઉપરાંત લઘુતમ વેતન ધારાનો અમલ, આંગણવાડીનો સમય સવારે 10થી 3નો કરવા અને તેના પહેલા કે ત્યાર બાદ કોઇ કામગીરી નહીં સોંપવા, 45 વર્ષની વય મર્યાદાનો નિયમ રદ કરવા, ખાલી જગ્યાઓ તાત્કાલીક ભરવા, આઇસીડીએસ સિવાયની કામગીરી લેવાની પ્રથા બંધ કરવા, અન્ય ખાતામાંથી આવેલા કાર્યકર્તાની સિનીયોરિટી મુળ નોકરીમાં હાજરથયાની તારીખથી જ ગણવા, પોષણસુધાની કામગીરી અન્ય વિભાગને સોંપવા, રજીસ્ટર અથવા મોબાઇલ એપ બેમાંથી એક જ પદ્ધતિનો અમલ કરવાની સાથે કાર્યકરોના પર્સનલ મોબાઇલનો સરકારી કામમાં ઉપયોગ કરવાનો દુરાગ્રહ છોડવા સહિતની માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત નોટિસ કે બચાવની તક આપ્યા વગર પગાર કાપની એકતરફી કાર્યવાહી બંધ કરવા અને દર મહિને 1થી 8 તારીખ સુધીમાં પગાર કરવાની વ્યવસ્થા ગોઠવવા સહિતની માંગણીઓ સંબંધે દિવાળી પહેલા સરકાર નિર્ણય નહીં લે તો ઉપવાસ આંદોલનના આરંભ કરાશે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.