Congressના 7 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ફિરાકમાં! સી.જે.ચાવડા આ તારીખે કેસરિયો કરશે ધારણ, જાણો કોના નામોની થઈ રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-02-05 16:12:32

એક સમય હતો જ્યારે ભાજપના નેતાઓ કહેતા હતા કે ગુજરાત કોંગ્રેસ મુક્ત બનાવવાની છે પરંતુ હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થવા જઈ રહી છે! કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે તો આગામી દિવસોમાં વધુ 7 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી સંભાવના છે. માત્ર મંત્રીપદ માટે વાત અટકી છે તેવી માહિતી સામે આવી છે.  

કોંગ્રેસના વધુ સાત ધારાસભ્યો આપી શકે છે પદ પરથી રાજીનામું 

લોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોથી માંડીને નેતા-કાર્યકરો કમલમ તરફ દોટ મૂકી રહ્યા છે. ભાજપમાં જોડાતા જ ધારાસભ્યોના, કાર્યકર્તાઓના હૃદય પરિવર્તન થઈ રહ્યા છે. ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા-વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ સાતેક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરી શકે છે. સી.આર.પાટીલને હજુ 182 ના જીતવાનો વસવસો છે અને દરેક કાર્યક્રમમાં એ કહે છે કે મારુ હૃદય અંદરથી રડી રહ્યું છે એટલે એ લક્ષ્ય ભાજપ પૂરું કરતાં દેખાય છે.


આ ધારાસભ્યના નામોને લઈ ચાલી રહી છે અટકળો!

ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી પણ 182 બેઠકો હાંસલ કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. અનેક ધારાસભ્યો પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. હજુ કોંગ્રેસના સાતેક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરવાની ફિરાકમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર બાબુ વાજા, રઘુ દેસાઇ, અમરીશ ડેર, ભીખાભાઈ જોશી, વિમલ ચુડાસમા, લલિત વસોયા જેવા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. અર્જૂન મોઢવાડિયા અને શૈલેષ પરમારનું મંત્રીપદ માટે અટક્યુ છે. જો ટર્મ્સ એંડ કન્ડિશન સરખી બેસશે તો રાતો રાત આ બધાના મન બદલાઈ જશે ભાજપની વિચાર ધારા આ બધાને શ્રેષ્ઠ લાગવા મંડ્શે 


ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે અને ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે!

કોંગ્રેસ દિવસેને દિવસે નબળી થઈ રહી છે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તી કરવામાં આવી ત્યારે બધાને આશા હતી કે હવે કોંગ્રેસ મજબૂત થશે પણ ખેર એ આશા પર પાણી ફરી ગયું છે. જો આ જ પરિસ્થિતિ રહી તો, લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપ કોંગ્રેસ યુક્ત અને ગુજરાત કોંગ્રેસ મુક્ત બની જશે તે આ વાત નક્કી છે! ડેમેજ કંટ્રોલ કરવાને બદલે શક્તિસિંહ હજુય ધારાસભ્યો-નેતાઓને સાચવવામાં નિષ્ફળ રહ્યા છે એટલુ જ નહી, ખુદ ધારાસભ્યો શક્તિસિંહને પ્રવાસી પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે કેમ કે, તેઓ દિલ્હીમાં જ ઘણો સમય રહે છે. ગુજરાતમાં પ્રવાસના નામે અન્ય જિલ્લામાં ફરતા રહે છે. આમ કોંગ્રેસનું આંતરિક  વિખવાદ ચરમસિમાએ છે 


12 ફુબ્રુઆરીએ સી.જે.ચાવડા કેસરિયો ધારણ કરશે

કોંગ્રેસના ધારાસભ્યો જેમણે રાજીનામાં આપ્યા છે એ એક બાદ એક ભાજપમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સી.જે. ચાવડા ભાજપમાં 12મી ફેબ્રુઆરીએ જોડાશે હજુ ગઈકાલે જ ચિરાગ પટેલ ખંભાતમાં સી.આર.પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાયા 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવાના છે સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે ત્યારે કોંગ્રેસની આ પરિસ્થતિ પાછળ કોણ જવાબદાર તે એક મોટો પ્રશ્ન છે..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.