Congressના 7 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ફિરાકમાં! સી.જે.ચાવડા આ તારીખે કેસરિયો કરશે ધારણ, જાણો કોના નામોની થઈ રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-02-05 16:12:32

એક સમય હતો જ્યારે ભાજપના નેતાઓ કહેતા હતા કે ગુજરાત કોંગ્રેસ મુક્ત બનાવવાની છે પરંતુ હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થવા જઈ રહી છે! કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે તો આગામી દિવસોમાં વધુ 7 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી સંભાવના છે. માત્ર મંત્રીપદ માટે વાત અટકી છે તેવી માહિતી સામે આવી છે.  

કોંગ્રેસના વધુ સાત ધારાસભ્યો આપી શકે છે પદ પરથી રાજીનામું 

લોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોથી માંડીને નેતા-કાર્યકરો કમલમ તરફ દોટ મૂકી રહ્યા છે. ભાજપમાં જોડાતા જ ધારાસભ્યોના, કાર્યકર્તાઓના હૃદય પરિવર્તન થઈ રહ્યા છે. ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા-વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ સાતેક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરી શકે છે. સી.આર.પાટીલને હજુ 182 ના જીતવાનો વસવસો છે અને દરેક કાર્યક્રમમાં એ કહે છે કે મારુ હૃદય અંદરથી રડી રહ્યું છે એટલે એ લક્ષ્ય ભાજપ પૂરું કરતાં દેખાય છે.


આ ધારાસભ્યના નામોને લઈ ચાલી રહી છે અટકળો!

ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી પણ 182 બેઠકો હાંસલ કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. અનેક ધારાસભ્યો પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. હજુ કોંગ્રેસના સાતેક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરવાની ફિરાકમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર બાબુ વાજા, રઘુ દેસાઇ, અમરીશ ડેર, ભીખાભાઈ જોશી, વિમલ ચુડાસમા, લલિત વસોયા જેવા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. અર્જૂન મોઢવાડિયા અને શૈલેષ પરમારનું મંત્રીપદ માટે અટક્યુ છે. જો ટર્મ્સ એંડ કન્ડિશન સરખી બેસશે તો રાતો રાત આ બધાના મન બદલાઈ જશે ભાજપની વિચાર ધારા આ બધાને શ્રેષ્ઠ લાગવા મંડ્શે 


ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે અને ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે!

કોંગ્રેસ દિવસેને દિવસે નબળી થઈ રહી છે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તી કરવામાં આવી ત્યારે બધાને આશા હતી કે હવે કોંગ્રેસ મજબૂત થશે પણ ખેર એ આશા પર પાણી ફરી ગયું છે. જો આ જ પરિસ્થિતિ રહી તો, લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપ કોંગ્રેસ યુક્ત અને ગુજરાત કોંગ્રેસ મુક્ત બની જશે તે આ વાત નક્કી છે! ડેમેજ કંટ્રોલ કરવાને બદલે શક્તિસિંહ હજુય ધારાસભ્યો-નેતાઓને સાચવવામાં નિષ્ફળ રહ્યા છે એટલુ જ નહી, ખુદ ધારાસભ્યો શક્તિસિંહને પ્રવાસી પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે કેમ કે, તેઓ દિલ્હીમાં જ ઘણો સમય રહે છે. ગુજરાતમાં પ્રવાસના નામે અન્ય જિલ્લામાં ફરતા રહે છે. આમ કોંગ્રેસનું આંતરિક  વિખવાદ ચરમસિમાએ છે 


12 ફુબ્રુઆરીએ સી.જે.ચાવડા કેસરિયો ધારણ કરશે

કોંગ્રેસના ધારાસભ્યો જેમણે રાજીનામાં આપ્યા છે એ એક બાદ એક ભાજપમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સી.જે. ચાવડા ભાજપમાં 12મી ફેબ્રુઆરીએ જોડાશે હજુ ગઈકાલે જ ચિરાગ પટેલ ખંભાતમાં સી.આર.પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાયા 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવાના છે સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે ત્યારે કોંગ્રેસની આ પરિસ્થતિ પાછળ કોણ જવાબદાર તે એક મોટો પ્રશ્ન છે..  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.