અમદાવાદમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:13:03

અમદાવાદ નિર્માણાધિન એસ્પાયર-2 નામની બિલ્ડિંગના સાતમા મેળીથી લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. સાતમા માળેથી લિફ્ટ સીધી નીચે ધસી આવી હતી જેમાં શ્રમિકોના મોત થયા હતા. ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. મળતી માહિતી મુજબ તમામ મજૂરો પંચમહાલના ઘોઘંબા તાલુકાના વતની છે. હાલ 1 મજૂરોની હાલત ગંભીર છે.


કેવી રીતે સર્જાઈ સમગ્ર ઘટના 

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી નજીક  એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. જેમાં તમામ મજૂરો કામગીરી કરી રહ્યા હતા. સવારે 9થી સાડા નવ વાગ્યા વચ્ચે અચાનક સાતમા માળેથી લિફ્ટ તૂટતા સાત શ્રમિકોના મોત થયા છે. અન્ય 1 ગંભીર રીતે ઘાયલ મજૂરોને સારવાર આપવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ નિર્માણાધીન એસ્પાયર-2 બિલ્ડિંગ ખાતે પહોંચી તપાસ કામગીરી કરી હતી. 


ફાયર બ્રિગેડ જવાનોએ શું પ્રતિક્રિયા આપી

 ફાયર બ્રિગેડની ટીમે માહિતી આપી હતી કે બિલ્ડિંગના માલિકો દ્વારા કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી. પત્રકારોએ માહિતી આપ્યા બાદ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી હતી. દુર્ઘટનાસ્થળે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર મળ્યો નથી.

 


લિફ્ટ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ




સમાચાર અપડેટ થઈ રહ્યા છે.... 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .