અમદાવાદમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:13:03

અમદાવાદ નિર્માણાધિન એસ્પાયર-2 નામની બિલ્ડિંગના સાતમા મેળીથી લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. સાતમા માળેથી લિફ્ટ સીધી નીચે ધસી આવી હતી જેમાં શ્રમિકોના મોત થયા હતા. ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. મળતી માહિતી મુજબ તમામ મજૂરો પંચમહાલના ઘોઘંબા તાલુકાના વતની છે. હાલ 1 મજૂરોની હાલત ગંભીર છે.


કેવી રીતે સર્જાઈ સમગ્ર ઘટના 

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી નજીક  એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. જેમાં તમામ મજૂરો કામગીરી કરી રહ્યા હતા. સવારે 9થી સાડા નવ વાગ્યા વચ્ચે અચાનક સાતમા માળેથી લિફ્ટ તૂટતા સાત શ્રમિકોના મોત થયા છે. અન્ય 1 ગંભીર રીતે ઘાયલ મજૂરોને સારવાર આપવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ નિર્માણાધીન એસ્પાયર-2 બિલ્ડિંગ ખાતે પહોંચી તપાસ કામગીરી કરી હતી. 


ફાયર બ્રિગેડ જવાનોએ શું પ્રતિક્રિયા આપી

 ફાયર બ્રિગેડની ટીમે માહિતી આપી હતી કે બિલ્ડિંગના માલિકો દ્વારા કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી. પત્રકારોએ માહિતી આપ્યા બાદ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી હતી. દુર્ઘટનાસ્થળે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર મળ્યો નથી.

 


લિફ્ટ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ




સમાચાર અપડેટ થઈ રહ્યા છે.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.