823 વનરક્ષક બીટગાર્ડની સીધી ભરતી થશેઃ ગુજરાત વનમંત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:29:20

વનરક્ષક બીટગાર્ડની ભરતી કરાશે

ગુજરાતના વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્ય વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યમાં વન રક્ષક બીટગાર્ડની 823 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે અને ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. 1 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરુઆત થશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના મત મેળવવા તેમને ખુશીના સમાચાર આપ્યા છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોત પોતાની રીતે બળ લગાવી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રીતે લોકોને લુભાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ભાજપ પાસે સાશન હોવાનો મોટો પ્લસ પોઈન્ટ છે. ભાજપ પાસે સરકાર હોવાથી આચાર સંહિતા પહેલા કોઈ પણ જાહેરાત કરી શકે છે ત્યારે તેમણે વનરક્ષકોની ભરતી બાબતે જાહેરાત કરી છે. 




 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે