ગુજરાતમાં થશે કેન્દ્ર સરકારના 9 વર્ષની ઉજવણી, સીએમના નિવાસસ્થાને યોજાશે બેઠક!


  • Published By :
  • Published Date : 2023-05-29 17:15:15

થોડા દિવસો પહેલા કેન્દ્રમાં ભાજપની સરકારને આવે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. આ વાતને લઈ દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ધામધૂમથી આની ઉજવણી થાય તે માટે ગુજરાત ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકો સુધી ભાજપના કામો પહોંચાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવશે. તેને લઈ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાવાની છે. આ મીટિંગમાં સી.આર.પાટીલ સહીતના કોર ગ્રુપના સભ્યો હાજર રહેશે.

   

ભાજપ સરકારને 9 વર્ષ પૂર્ણ થતા કરવામાં આવ્યા કાર્યક્રમ!

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. ત્યારે લોકસભાને લઈ ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં સી.આર.પાટીલ સહિતના કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં 30મેથી 30 જૂન દરમિયાન કેન્દ્ર સરકારના 9 વર્ષની સિદ્ધિઓને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.      

સીએમ ભૂપેન્દ્ર પટેલે ગણાવી સિદ્ધિઓ!

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના સફળતાના 9 વર્ષ પૂર્ણ થયા છે. ભારતની આંતરરાષ્ટ્રીય છબીના 9 વર્ષ, આ 9 વર્ષ ખેડૂતોના કલ્યાણ માટે રહ્યા છે. કાશ્મીર જેવા રાજ્યમાં જી-20ની બેઠક સફળતા પૂર્વક પૂર્ણ થઈ છે. વડાપ્રધાન વિદેશ પ્રવાસ કરે ત્યાંરે લોકો તેમને નમન કરે છે. આ સન્માન દેશના 140 કરોડ ભારતીયોનું છે. લોકશાહી દેશમાં નવું સંસદભવન દેશના લોકોને અર્પિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના 9 વર્ષના શાસનમાં થયેલા કામો લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.