ગુજરાતમાં થશે કેન્દ્ર સરકારના 9 વર્ષની ઉજવણી, સીએમના નિવાસસ્થાને યોજાશે બેઠક!


  • Published By :
  • Published Date : 2023-05-29 17:15:15

થોડા દિવસો પહેલા કેન્દ્રમાં ભાજપની સરકારને આવે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. આ વાતને લઈ દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ધામધૂમથી આની ઉજવણી થાય તે માટે ગુજરાત ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકો સુધી ભાજપના કામો પહોંચાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવશે. તેને લઈ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાવાની છે. આ મીટિંગમાં સી.આર.પાટીલ સહીતના કોર ગ્રુપના સભ્યો હાજર રહેશે.

   

ભાજપ સરકારને 9 વર્ષ પૂર્ણ થતા કરવામાં આવ્યા કાર્યક્રમ!

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. ત્યારે લોકસભાને લઈ ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં સી.આર.પાટીલ સહિતના કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં 30મેથી 30 જૂન દરમિયાન કેન્દ્ર સરકારના 9 વર્ષની સિદ્ધિઓને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.      

સીએમ ભૂપેન્દ્ર પટેલે ગણાવી સિદ્ધિઓ!

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના સફળતાના 9 વર્ષ પૂર્ણ થયા છે. ભારતની આંતરરાષ્ટ્રીય છબીના 9 વર્ષ, આ 9 વર્ષ ખેડૂતોના કલ્યાણ માટે રહ્યા છે. કાશ્મીર જેવા રાજ્યમાં જી-20ની બેઠક સફળતા પૂર્વક પૂર્ણ થઈ છે. વડાપ્રધાન વિદેશ પ્રવાસ કરે ત્યાંરે લોકો તેમને નમન કરે છે. આ સન્માન દેશના 140 કરોડ ભારતીયોનું છે. લોકશાહી દેશમાં નવું સંસદભવન દેશના લોકોને અર્પિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના 9 વર્ષના શાસનમાં થયેલા કામો લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.