ગુજરાતમાં થશે કેન્દ્ર સરકારના 9 વર્ષની ઉજવણી, સીએમના નિવાસસ્થાને યોજાશે બેઠક!


  • Published By :
  • Published Date : 2023-05-29 17:15:15

થોડા દિવસો પહેલા કેન્દ્રમાં ભાજપની સરકારને આવે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. આ વાતને લઈ દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ધામધૂમથી આની ઉજવણી થાય તે માટે ગુજરાત ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકો સુધી ભાજપના કામો પહોંચાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવશે. તેને લઈ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાવાની છે. આ મીટિંગમાં સી.આર.પાટીલ સહીતના કોર ગ્રુપના સભ્યો હાજર રહેશે.

   

ભાજપ સરકારને 9 વર્ષ પૂર્ણ થતા કરવામાં આવ્યા કાર્યક્રમ!

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. ત્યારે લોકસભાને લઈ ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં સી.આર.પાટીલ સહિતના કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં 30મેથી 30 જૂન દરમિયાન કેન્દ્ર સરકારના 9 વર્ષની સિદ્ધિઓને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.      

સીએમ ભૂપેન્દ્ર પટેલે ગણાવી સિદ્ધિઓ!

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના સફળતાના 9 વર્ષ પૂર્ણ થયા છે. ભારતની આંતરરાષ્ટ્રીય છબીના 9 વર્ષ, આ 9 વર્ષ ખેડૂતોના કલ્યાણ માટે રહ્યા છે. કાશ્મીર જેવા રાજ્યમાં જી-20ની બેઠક સફળતા પૂર્વક પૂર્ણ થઈ છે. વડાપ્રધાન વિદેશ પ્રવાસ કરે ત્યાંરે લોકો તેમને નમન કરે છે. આ સન્માન દેશના 140 કરોડ ભારતીયોનું છે. લોકશાહી દેશમાં નવું સંસદભવન દેશના લોકોને અર્પિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના 9 વર્ષના શાસનમાં થયેલા કામો લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.