દિવાળીના ત્રણ જ દિવસમાં 914 અકસ્માત થયા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 20:42:51


દિવાળીના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. 108 ઇમરજન્સી સેવાને આ દિવસો દરમ્યાન ખૂબ જ કોલ મળતાં હોય છે ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે નોંધાતા કેસ કરતાં આવા બનાવોનું પ્રમાણ થોડું ઘટ્યું છે. 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ અકસ્માતના બનાવો રાજ્યમાં વધ્યા હતા. દિવાળીના દિવસે 4.26 ટકા, પડતર દિવસે 5.81 ટકા અને નવા વર્ષના દિવસે 17.03 ટકા કેસો વધ્યા હતા. નવા વર્ષના દિવસે અકસ્માતના કેસો સૌથી વધુ નોંધાયા હતા. દિવાળીના તહેવારના 3 દિવસ દરમિયાન કુલ 914 જેટલા રોજના સરેરાશ માર્ગ અકસ્માતો નોંધાયા હતા. માર્ગ અકસ્માતોમાં મુખ્યત્વે 82 ટકા ટુ-વ્હીલરના અકસ્માતો નોંધાયા છે.


માર્ગ અકસ્માતની સંખ્યા વધી !!!

દિવાળી દરમિયાન માર્ગ અકસ્માતની સંખ્યા વધી છે.રોડ અકસ્માતો (ટ્રોમા વ્હીક્યુલર), નોન-વ્હીકલ ટ્રોમા કેસો જેમ કે શારીરિક હુમલો અને બળી જવાના ઈમરજન્સી કેસોમાં એકંદરે વધારો થવા થયો હતો. નવા વર્ષના દિવસે સૌથી વધુ માર્ગ અકસ્માતો થયા હતા. સામાન્ય દિવસોના કેસો 424ની તુલનામાં 914 જેટલા વધારે હતા. અમદાવાદમાં નવા વર્ષના દિવસે અકસ્માતના 102 કેસ અને 3 દિવસ દરમિયાન 271 કેસ નોંધાયા છે. જે સામાન્ય દિવસોની સરખામણીએ 40.37 ટકા વધુ હતા. સુરત જીલ્લામાં 83 કેસ અને 3 દિવસ દરમિયાન 90 કેસ નોંધાયા હતા. જે સામાન્ય દિવસોની સરખામણીએ 87.50 ટકા વધારે છે. 


રાતના ઇમરન્સી કેસ વધુ !!

સામાન્ય દિવસોની સરખામણીએ નવા વર્ષ/ભાઈબીજ પર માર્ગ અકસ્માતોની ટકાવારી સૌથી વધુ જોવા મળેલ છે. માર્ગ અકસ્માતોની સંખ્યાના સંદર્ભમાં સુરેન્દ્રનગર છોટાઉદેપુર, મહીસાગર અને નવસારી જીલ્લાઓમાં પણ કેસો વધુ નોંધાયા હતા. ઇમરજન્સી કેસો સાંજે 4 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ નોંધાયા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.