દિવાળીના ત્રણ જ દિવસમાં 914 અકસ્માત થયા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 20:42:51


દિવાળીના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. 108 ઇમરજન્સી સેવાને આ દિવસો દરમ્યાન ખૂબ જ કોલ મળતાં હોય છે ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે નોંધાતા કેસ કરતાં આવા બનાવોનું પ્રમાણ થોડું ઘટ્યું છે. 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ અકસ્માતના બનાવો રાજ્યમાં વધ્યા હતા. દિવાળીના દિવસે 4.26 ટકા, પડતર દિવસે 5.81 ટકા અને નવા વર્ષના દિવસે 17.03 ટકા કેસો વધ્યા હતા. નવા વર્ષના દિવસે અકસ્માતના કેસો સૌથી વધુ નોંધાયા હતા. દિવાળીના તહેવારના 3 દિવસ દરમિયાન કુલ 914 જેટલા રોજના સરેરાશ માર્ગ અકસ્માતો નોંધાયા હતા. માર્ગ અકસ્માતોમાં મુખ્યત્વે 82 ટકા ટુ-વ્હીલરના અકસ્માતો નોંધાયા છે.


માર્ગ અકસ્માતની સંખ્યા વધી !!!

દિવાળી દરમિયાન માર્ગ અકસ્માતની સંખ્યા વધી છે.રોડ અકસ્માતો (ટ્રોમા વ્હીક્યુલર), નોન-વ્હીકલ ટ્રોમા કેસો જેમ કે શારીરિક હુમલો અને બળી જવાના ઈમરજન્સી કેસોમાં એકંદરે વધારો થવા થયો હતો. નવા વર્ષના દિવસે સૌથી વધુ માર્ગ અકસ્માતો થયા હતા. સામાન્ય દિવસોના કેસો 424ની તુલનામાં 914 જેટલા વધારે હતા. અમદાવાદમાં નવા વર્ષના દિવસે અકસ્માતના 102 કેસ અને 3 દિવસ દરમિયાન 271 કેસ નોંધાયા છે. જે સામાન્ય દિવસોની સરખામણીએ 40.37 ટકા વધુ હતા. સુરત જીલ્લામાં 83 કેસ અને 3 દિવસ દરમિયાન 90 કેસ નોંધાયા હતા. જે સામાન્ય દિવસોની સરખામણીએ 87.50 ટકા વધારે છે. 


રાતના ઇમરન્સી કેસ વધુ !!

સામાન્ય દિવસોની સરખામણીએ નવા વર્ષ/ભાઈબીજ પર માર્ગ અકસ્માતોની ટકાવારી સૌથી વધુ જોવા મળેલ છે. માર્ગ અકસ્માતોની સંખ્યાના સંદર્ભમાં સુરેન્દ્રનગર છોટાઉદેપુર, મહીસાગર અને નવસારી જીલ્લાઓમાં પણ કેસો વધુ નોંધાયા હતા. ઇમરજન્સી કેસો સાંજે 4 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ નોંધાયા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.