રીલ્સ બનાવવા રાજકોટમાં 14 ર્વષના બાળકે ચલાવી 100ની સ્પીડમાં કાર, કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-06-26 12:26:58

21મી સદી ઈન્ટરનેટની સદી, આ સોશિયલ મીડિયાનો જમાનો છે, આ જમાનો આપણને બૌદ્ધિક તો બનાવી રહ્યો છે પણ જન માનસ પર બીજી પણ ઘણી નકારાત્મક અસર છોડી રહ્યો છે. રિલ્સ માટે પુખ્તવયના માણસોને સ્ટંટ કરતા જોયા હશે. પરંતુ રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 14 વર્ષના ટાબરિયાએ 100થી વધુ સ્પીડમાં ગાડી ચલાવી અને અનેક લોકોને અડફેટે લઈ લીધા છે.  


100ની ઝડપે બાળકે ચલાવ્યું બાઈક! 

સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકોમાં રહેલી છૂપી પ્રતિભા લોકો સામે આવી, ખૂબ સારી વાત હતી. પણ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો જીવના જોખમે સ્ટંટ કરતા હોય છે. આજ કાલના બાળકો મુખ્યત્વે ઓનલાઈન તેમજ મોબાઈલ વાપરતા જોવા મળતા હોય છે. ત્યારે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગરોડ પર ફનવર્લ્ડથી પોલીસ હેડક્વાર્ટર બાજુ રવિવારે રાત્રે એક સફેદ રંગની સ્વિફ્ટ ગાડી સુમ્મમમમ થઈને નીકળી ગઈ... ગાડી એવી રીતે નીકળી કે આજુબાજુના લોકો જોતા રહી ગયા કે આ શું થઈ ગયું. જે જુવાની ઓળંગી ગયા છે તે લોકોના મનમાં થયું હશે કે ભગવાન કરે ને આમની સાથે કંઈ ખોટું ન થાય, પણ એવું જ થયું. થોડી જ વારમાં લોકોએ ધડામ અવાજ સાંભળ્યો. 100ની ઝડપે જતી ગાડી પર છોકરાએ કાબૂ ગુમાવ્યો ગાડીના મોરાએ ડિવાઈડરને ચૂંબન કરી લીધું. સ્વિફ્ટ ગોથા મારતી મારતી ડિવાઈડર પર ચઢી ગઈ અને ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ. 


બાળકથી ન રહ્યો સ્ટેરિંગ પર કંટ્રોલ! 

ગાડી ચલાવી રહ્યો હતો 14 વર્ષનો છોકરો જેનું નામ છે હેત ભટ્ટ, તેની બાજુમાં બેઠો હતો તે છોકરો પણ 18 વર્ષનો જ હતો નામ અમન અલ્તાફ અયાન. ગાડી ગોથલિયા મારીને રસ્તા પર પડી તો શિવાજીનગરનો હેત અને નેહરુ નગરનો અમન બેભાન થઈ ગયા. ત્યાંના લોકો ઝટપટ કાર પાસે પહોંચ્યા અને બંનેને હોસ્પિટલ ભેગા કર્યા. સ્વિફ્ટમાં કુલ ચાર લોકો એટલે કે અમન, મયાનન, મીત વગેરે બેઠા હતા અને બધા જુવાનિયા જ હતા. બધાને વાગ્યું છે અને બીજી વાત કરીએ તો સારી વાત એ હતી કે રસ્તા પર કોઈ હતું નહીં જેના કારણે કોઈ બીજા વ્યક્તિને જાનહાની નથી થઈ, જો કોઈ હોત તો અઘરું થઈ જાત. 


આ મામલે પોલીસે શરૂ કરી તપાસ

વાત પોલીસ સુધી પહોંચી કારણ કે ઘટના એવી હતી.પોલીસે તપાસ કરી તો ખબર પડી કે બધા મિત્રો ફરવા નિકળ્યા હતા પણ 100ની સ્પીડમાં કાર ચલાવી તો રિલ્સ બનાવવા બેઠા કે અમે જુઓ સાહસ કરી રહ્યા છીએ. અમારા રગોમાં ટેસ્ટોસ્ટેરોનના ઈન્જેક્શન વહી રહ્યા છે જે અમને આવું કરવા પ્રેરી રહ્યા છે પણ આવા સાહસનો અંજામ જે આવે છે તેવો જ આવ્યો. અકસ્માત પર પાછા આવીએ તો આ લોકો અકસ્માત બાદ બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ખબર પડી હતી કે તેમની સાથે આવું થયું છે. 


રિલ્સના ક્રેઝમાં જીવનું જોખમ ઉઠાવવા પણ તૈયાર યુવાનો!  

સોશિયલ મીડિયા વાળી રિલ્સનો ક્રેઝ તો આ ઘટના પાછળ જવાબદાર છે જ પણ તેનાથી વધારે એ માબાપ જવાબદાર એ છે જેણે ટાબરિયાઓને કાર આપી. આટલા નાના છોકરાને ચાર પૈડાવાળી ગાડી કોણ આપે યાર અને એ પણ જુવાનીના એ સમયમાં જ્યારે તમારું લોહી એકદમ દૂધની જેમ ઉફાણા મારતું હોય તેવું ગરમ હોય. સ્પષ્ટ વાત છે કે 18 વર્ષથી નાના છે તો કોઈ પાસે લાયસન્સ નહીં જ હોય એટલે ગુનો પણ એટલો જ ગંભીર બને છે. ઘટનાના લોકો સગીર છે પણ પોલીસ પોલીસનું કામ કરશે જ પણ અમારે એ માબાપને સંદેશ આપવો છે કે તમારા છોકરાઓને કાબૂમાં રાખો. જુવાનીના જોશમાં કંઈ કરી બેસશે તો જીંદગીભરનો અફસોસ રહી જશે. સદનસીબે રસ્તા પર કોઈ ભીખારી સૂતો ન હતો જો એવું હોત અને તેને કંઈ થયું હોત તો લાડલો દીકરો જીંદગીભર પોલીસ સ્ટેશનમાં ફીટ થઈ જાત. અમારી એ માબાપને વિનંતી છે કે જુવાન દીકરો જીદ કરે કારની કે ગાડીની તો તેમને જવાબદારીનો ભાર ન આવે ત્યાં સુધી આવી સુવિધાઓ ન આપો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.