મહેસાણામાં 22 વર્ષની શિક્ષિકાને આવ્યું હાર્ટ એટેક !, પણ ડોક્ટરે આવું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-10-15 15:04:22

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવ સતત બની રહ્યા છે. ત્યારે મહેસાણામાં ગરબા રમ્યા બાદ શિક્ષિકાનું વર્ષીય યુવતીનું અવસાન થયું છે

વડોદરાના પાદરા બાદ આજે મહેસાણામાં પણ હાર્ટ અટેકથી 22 વર્ષિય યુવતીએ જીવ ગુમાવ્યો. મહેસાણા દેદિયાસણની આર.જે.સ્કૂલની 22 વર્ષીય શિક્ષિકા ગરબે રમીને ઘરે પરત આવી ત્યાર બાદ તબિયત લથડી હતી. જોકે હોસ્પિટલ જતા પહેલા જ યુવતીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

મહેસાણા શહેરમાં રહેતી 22 વર્ષીય શિક્ષિકા શાળામાં ગરબાના પ્રોગ્રામમાં ગઈ હતી જોકે ગરબા પત્યા બાદ ઘરે આવતા જ આ યુવતીની તબિયત લથડી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે યુવતીને ચક્કર અને ઊલટીઓ થવા લાગી હતી જેને લઇ શિક્ષિકાના પરિવારના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા દોડ્યા હતા. પંરતુ રસ્તામાં જ શિક્ષિકાએ પોતાનો દેહ છોડી દીધો હતો.


હોસ્પિટલમાં અમે ગયા તો કંઇક બીજું જાણવા મળ્યું

આ જ બાબતે મૃતક 22 વર્ષીય યુવતીને જે હોસ્પિટલમાં લઈ ગયા હતા તે મહેસાણા લાયન્સ હોસ્પિટલની અમે મુલાકાત લીધી હતી જ્યાં ડોક્ટરે અમને મૌખિક રીતે જણાવ્યું હતું કે આ યુવતીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે નથી થયું. જે જાણી અમે ડોકટરને વધુ પૂછતા ડોક્ટરે અમને જણાવ્યું કે પ્રાથમિક રીતે જો માનીએ તો પોઈઝનના કારણે આ યુવતીનું મોત થયું છે. સાથે જ કહ્યું કે, વધુ માહિતી અમારી પાસે નથી માહિતી મળશે તો તમને જણાવીશું !



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.