મહેસાણામાં 22 વર્ષની શિક્ષિકાને આવ્યું હાર્ટ એટેક !, પણ ડોક્ટરે આવું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-10-15 15:04:22

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવ સતત બની રહ્યા છે. ત્યારે મહેસાણામાં ગરબા રમ્યા બાદ શિક્ષિકાનું વર્ષીય યુવતીનું અવસાન થયું છે

વડોદરાના પાદરા બાદ આજે મહેસાણામાં પણ હાર્ટ અટેકથી 22 વર્ષિય યુવતીએ જીવ ગુમાવ્યો. મહેસાણા દેદિયાસણની આર.જે.સ્કૂલની 22 વર્ષીય શિક્ષિકા ગરબે રમીને ઘરે પરત આવી ત્યાર બાદ તબિયત લથડી હતી. જોકે હોસ્પિટલ જતા પહેલા જ યુવતીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

મહેસાણા શહેરમાં રહેતી 22 વર્ષીય શિક્ષિકા શાળામાં ગરબાના પ્રોગ્રામમાં ગઈ હતી જોકે ગરબા પત્યા બાદ ઘરે આવતા જ આ યુવતીની તબિયત લથડી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે યુવતીને ચક્કર અને ઊલટીઓ થવા લાગી હતી જેને લઇ શિક્ષિકાના પરિવારના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા દોડ્યા હતા. પંરતુ રસ્તામાં જ શિક્ષિકાએ પોતાનો દેહ છોડી દીધો હતો.


હોસ્પિટલમાં અમે ગયા તો કંઇક બીજું જાણવા મળ્યું

આ જ બાબતે મૃતક 22 વર્ષીય યુવતીને જે હોસ્પિટલમાં લઈ ગયા હતા તે મહેસાણા લાયન્સ હોસ્પિટલની અમે મુલાકાત લીધી હતી જ્યાં ડોક્ટરે અમને મૌખિક રીતે જણાવ્યું હતું કે આ યુવતીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે નથી થયું. જે જાણી અમે ડોકટરને વધુ પૂછતા ડોક્ટરે અમને જણાવ્યું કે પ્રાથમિક રીતે જો માનીએ તો પોઈઝનના કારણે આ યુવતીનું મોત થયું છે. સાથે જ કહ્યું કે, વધુ માહિતી અમારી પાસે નથી માહિતી મળશે તો તમને જણાવીશું !



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે