મહેસાણામાં 22 વર્ષની શિક્ષિકાને આવ્યું હાર્ટ એટેક !, પણ ડોક્ટરે આવું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-10-15 15:04:22

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવ સતત બની રહ્યા છે. ત્યારે મહેસાણામાં ગરબા રમ્યા બાદ શિક્ષિકાનું વર્ષીય યુવતીનું અવસાન થયું છે

વડોદરાના પાદરા બાદ આજે મહેસાણામાં પણ હાર્ટ અટેકથી 22 વર્ષિય યુવતીએ જીવ ગુમાવ્યો. મહેસાણા દેદિયાસણની આર.જે.સ્કૂલની 22 વર્ષીય શિક્ષિકા ગરબે રમીને ઘરે પરત આવી ત્યાર બાદ તબિયત લથડી હતી. જોકે હોસ્પિટલ જતા પહેલા જ યુવતીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

મહેસાણા શહેરમાં રહેતી 22 વર્ષીય શિક્ષિકા શાળામાં ગરબાના પ્રોગ્રામમાં ગઈ હતી જોકે ગરબા પત્યા બાદ ઘરે આવતા જ આ યુવતીની તબિયત લથડી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે યુવતીને ચક્કર અને ઊલટીઓ થવા લાગી હતી જેને લઇ શિક્ષિકાના પરિવારના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા દોડ્યા હતા. પંરતુ રસ્તામાં જ શિક્ષિકાએ પોતાનો દેહ છોડી દીધો હતો.


હોસ્પિટલમાં અમે ગયા તો કંઇક બીજું જાણવા મળ્યું

આ જ બાબતે મૃતક 22 વર્ષીય યુવતીને જે હોસ્પિટલમાં લઈ ગયા હતા તે મહેસાણા લાયન્સ હોસ્પિટલની અમે મુલાકાત લીધી હતી જ્યાં ડોક્ટરે અમને મૌખિક રીતે જણાવ્યું હતું કે આ યુવતીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે નથી થયું. જે જાણી અમે ડોકટરને વધુ પૂછતા ડોક્ટરે અમને જણાવ્યું કે પ્રાથમિક રીતે જો માનીએ તો પોઈઝનના કારણે આ યુવતીનું મોત થયું છે. સાથે જ કહ્યું કે, વધુ માહિતી અમારી પાસે નથી માહિતી મળશે તો તમને જણાવીશું !



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.