હાર્ટ એટેકના કેસ વધતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 1.75 લાખ શિક્ષકોને અપાશે CPRની ટ્રેનિંગ


  • Published By :
  • Published Date : 2023-11-11 18:23:47

ગુજરાતમાં હાર્ટ એટેકથી લોકો મોતને ભેટી રહ્યા છે, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકની ઘટના બાદ રાજ્ય સરકારે શિક્ષકોને તાલીમ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.  રાજ્યના 1.75 લાખ શિક્ષકોને કાર્ડિયાક પલ્મોનરી રિસસિટેશન એટલે કે CPRની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે શિક્ષણ મંત્રીએ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આગામી દિવસોમાં સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે. આગામી તા. 3 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન આ મેગા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


3 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન મેગા તાલીમ કેમ્પ


રાજ્યમાં વધી રહેલા હૃદય રોગના હુમલાના પગલે શાળાઓમાં હાર્ટ એટેકની ઘટના બાદ શિક્ષકોને તાલીમ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. રાજ્યના 1.75 લાખ શિક્ષકોને કાર્ડિયાક પલ્મોનરી રિસસિટેશન એટલે કે CPRની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે શિક્ષણ મંત્રીએ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આગામી દિવસોમાં સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે. તા. 3 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન આ મેગા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવશે. 


37 કોલેજોની પસંદગી કરાઈ


રાજ્યની 37 જેટલી કોલેજોની આ મેગા તાલીમ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. ઇન્ડિયન સોસાયટી એનેસ્થોલિયોજિસ્ટ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સીપીઆર ટ્રેનિંગ યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યની પ્રાથમિક શાળામાં 1.69 લાખ શિક્ષકોને 7000 કરતાં વધુ આચાર્યોની તાલીમનું આયોજન કરી દેવાયું છે. ત્યારબાદ માધ્યમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. CPRની આ તાલીમ શિક્ષકો હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીઓને મદદરૂપ થઈ શકશે. હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી