ડમી કાંડ મામલે થયો મોટો ખુલાસો!તોડ કાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે જપ્ત કર્યા 38 લાખ જેટલા રુપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-24 11:46:06

થોડા સમય પહેલા યુવરાજસિંહે ડમી ઉમેદવાર કાંડનો પર્દાફાશ કર્યો હતો. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અનેક લોકોના નામ લીધા હતા. જે બાદ પોલીસે આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી હતી. એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી અને જે બાદ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. રોજે રોજે આ મામલે નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ આ કેસમાં તોડ કાંડનો એંગલ સામે આવ્યો હતો.  


પોલીસે રિક્વર કર્યા 38 લાખ રૂપિયા!

બિપીન ત્રિવેદીના આક્ષેપ અનુસાર યુવરાજસિંહે નામના લેવા માટે પૈસા લીધા હતા. જે બાદ યુવરાજસિંહને ભાવનગર એસઓજીએ સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે યુવરાજસિંહ જવાબ આપવા હાજર થયા હતા. લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો. મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ ઉપરાંત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે યુવરાજસિંહના સાળાની ધરપકડ સુરતથી કરવામાં આવી હતી. ત્યારે આ કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં યુવરાજસિંહના સાળા કાનભા વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં  આવી છે, મળતી માહિતી અનુસાર તોડકાંડમાં લેવાયા પૈસા પોલીસે રિકવર કર્યા છે. 38 લાખ જેટલા રુપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી અનુસાર કાનભાએ આ રુપિયા પોતાના મિત્રના ઘરે રાખ્યા હતા. પોલીસ કાનભાના મિત્રના ઘરેથી પૈસા રિકવર કર્યા છે.      


યુવરાજસિંહ પર અપહરણનો ગુન્હો થશે દાખલ!

યુવરાજસિંહ પર ડમી કાંડમાં તોડ કાંડને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુવરાજસિંહને કોર્ટ  સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી ત્યારે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મળતી માહિતી અનુસાર યુવરાજસિંહ સામે અપહરણનો કેસ દાખલ કરાઈ શકે છે.    


બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાઘવાના રિમાન્ડ મંજૂર!

ડમી કાંડ મામલે સમગ્ર રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. ભાવનગર એસઓજી દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડમી કાંડ મામલે યુવરાજસિંહને હાજર થવા એસઓજીએ સમન્સ પાઠવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને શુક્રવારે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા  બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે ખંડણી મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહના સાળાને સુરતથી ઝડપી પડાયો હતો. ત્યારેમળતી માહિતી અનુસાર તોડકાંડમાં લેવાયા પૈસા પોલીસે રિકવર કર્યા છે. 38 લાખ જેટલા રુપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી અનુસાર કાનભાએ આ રુપિયા પોતાના મિત્રના ઘરે રાખ્યા હતા. પોલીસ કાનભાના મિત્રના ઘરેથી પૈસા રિકવર કર્યા છે.      


 મળતી માહિતી અનુસાર ડમીકાંડ મામલે 6 ઓરોપીઓની પૂછપરછ પૂર્ણ થયા બાદ હવે તમામને જેલ હવાલે કરી દેવાયા છે. બિપીન ત્રિવેદી તેમજ ઘનશ્યામ લાધવાની રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.