ડમી કાંડ મામલે થયો મોટો ખુલાસો!તોડ કાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે જપ્ત કર્યા 38 લાખ જેટલા રુપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-24 11:46:06

થોડા સમય પહેલા યુવરાજસિંહે ડમી ઉમેદવાર કાંડનો પર્દાફાશ કર્યો હતો. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અનેક લોકોના નામ લીધા હતા. જે બાદ પોલીસે આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી હતી. એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી અને જે બાદ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. રોજે રોજે આ મામલે નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ આ કેસમાં તોડ કાંડનો એંગલ સામે આવ્યો હતો.  


પોલીસે રિક્વર કર્યા 38 લાખ રૂપિયા!

બિપીન ત્રિવેદીના આક્ષેપ અનુસાર યુવરાજસિંહે નામના લેવા માટે પૈસા લીધા હતા. જે બાદ યુવરાજસિંહને ભાવનગર એસઓજીએ સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે યુવરાજસિંહ જવાબ આપવા હાજર થયા હતા. લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો. મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ ઉપરાંત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે યુવરાજસિંહના સાળાની ધરપકડ સુરતથી કરવામાં આવી હતી. ત્યારે આ કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં યુવરાજસિંહના સાળા કાનભા વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં  આવી છે, મળતી માહિતી અનુસાર તોડકાંડમાં લેવાયા પૈસા પોલીસે રિકવર કર્યા છે. 38 લાખ જેટલા રુપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી અનુસાર કાનભાએ આ રુપિયા પોતાના મિત્રના ઘરે રાખ્યા હતા. પોલીસ કાનભાના મિત્રના ઘરેથી પૈસા રિકવર કર્યા છે.      


યુવરાજસિંહ પર અપહરણનો ગુન્હો થશે દાખલ!

યુવરાજસિંહ પર ડમી કાંડમાં તોડ કાંડને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુવરાજસિંહને કોર્ટ  સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી ત્યારે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મળતી માહિતી અનુસાર યુવરાજસિંહ સામે અપહરણનો કેસ દાખલ કરાઈ શકે છે.    


બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાઘવાના રિમાન્ડ મંજૂર!

ડમી કાંડ મામલે સમગ્ર રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. ભાવનગર એસઓજી દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડમી કાંડ મામલે યુવરાજસિંહને હાજર થવા એસઓજીએ સમન્સ પાઠવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને શુક્રવારે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા  બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે ખંડણી મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહના સાળાને સુરતથી ઝડપી પડાયો હતો. ત્યારેમળતી માહિતી અનુસાર તોડકાંડમાં લેવાયા પૈસા પોલીસે રિકવર કર્યા છે. 38 લાખ જેટલા રુપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી અનુસાર કાનભાએ આ રુપિયા પોતાના મિત્રના ઘરે રાખ્યા હતા. પોલીસ કાનભાના મિત્રના ઘરેથી પૈસા રિકવર કર્યા છે.      


 મળતી માહિતી અનુસાર ડમીકાંડ મામલે 6 ઓરોપીઓની પૂછપરછ પૂર્ણ થયા બાદ હવે તમામને જેલ હવાલે કરી દેવાયા છે. બિપીન ત્રિવેદી તેમજ ઘનશ્યામ લાધવાની રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.