ડમી કાંડ મામલે થયો મોટો ખુલાસો!તોડ કાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે જપ્ત કર્યા 38 લાખ જેટલા રુપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-24 11:46:06

થોડા સમય પહેલા યુવરાજસિંહે ડમી ઉમેદવાર કાંડનો પર્દાફાશ કર્યો હતો. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અનેક લોકોના નામ લીધા હતા. જે બાદ પોલીસે આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી હતી. એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી અને જે બાદ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. રોજે રોજે આ મામલે નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ આ કેસમાં તોડ કાંડનો એંગલ સામે આવ્યો હતો.  


પોલીસે રિક્વર કર્યા 38 લાખ રૂપિયા!

બિપીન ત્રિવેદીના આક્ષેપ અનુસાર યુવરાજસિંહે નામના લેવા માટે પૈસા લીધા હતા. જે બાદ યુવરાજસિંહને ભાવનગર એસઓજીએ સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે યુવરાજસિંહ જવાબ આપવા હાજર થયા હતા. લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો. મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ ઉપરાંત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે યુવરાજસિંહના સાળાની ધરપકડ સુરતથી કરવામાં આવી હતી. ત્યારે આ કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં યુવરાજસિંહના સાળા કાનભા વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં  આવી છે, મળતી માહિતી અનુસાર તોડકાંડમાં લેવાયા પૈસા પોલીસે રિકવર કર્યા છે. 38 લાખ જેટલા રુપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી અનુસાર કાનભાએ આ રુપિયા પોતાના મિત્રના ઘરે રાખ્યા હતા. પોલીસ કાનભાના મિત્રના ઘરેથી પૈસા રિકવર કર્યા છે.      


યુવરાજસિંહ પર અપહરણનો ગુન્હો થશે દાખલ!

યુવરાજસિંહ પર ડમી કાંડમાં તોડ કાંડને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુવરાજસિંહને કોર્ટ  સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી ત્યારે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મળતી માહિતી અનુસાર યુવરાજસિંહ સામે અપહરણનો કેસ દાખલ કરાઈ શકે છે.    


બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાઘવાના રિમાન્ડ મંજૂર!

ડમી કાંડ મામલે સમગ્ર રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. ભાવનગર એસઓજી દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડમી કાંડ મામલે યુવરાજસિંહને હાજર થવા એસઓજીએ સમન્સ પાઠવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને શુક્રવારે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા  બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે ખંડણી મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહના સાળાને સુરતથી ઝડપી પડાયો હતો. ત્યારેમળતી માહિતી અનુસાર તોડકાંડમાં લેવાયા પૈસા પોલીસે રિકવર કર્યા છે. 38 લાખ જેટલા રુપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી અનુસાર કાનભાએ આ રુપિયા પોતાના મિત્રના ઘરે રાખ્યા હતા. પોલીસ કાનભાના મિત્રના ઘરેથી પૈસા રિકવર કર્યા છે.      


 મળતી માહિતી અનુસાર ડમીકાંડ મામલે 6 ઓરોપીઓની પૂછપરછ પૂર્ણ થયા બાદ હવે તમામને જેલ હવાલે કરી દેવાયા છે. બિપીન ત્રિવેદી તેમજ ઘનશ્યામ લાધવાની રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે