મધ્યપ્રદેશમાં બની મોટી દુર્ઘટના! ખરગોનમાં 50 ફૂટ ઊંચા પુલની રેલિંગ તૂટતાં બસ નદીમાં પડી! અકસ્માતમાં થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-05-09 11:58:21

મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બસ ઈન્દોરથી ડોંગરગાંવ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત બન્યો છે. પુલ પરથી નીચે પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બસ ઓવરલોડેડ હતી જેને કારણે અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે મુસાફરોને લઈ જતી બસ પુલ પરથી નીચે ખાબકી છે જેને કારણે 15 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં 25 જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને વહીવટીતંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. મળતી માહિતી અનુસાર બસ પરથી કાબુ ગુમાવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં પાણી ન હોવાને કારણે મોટા ભાગના મુસાફરોને ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 15 જેટલા લોકોના મોત થયા છે.

  

નદી પરથી નીચે બસ પડી જતાં સર્જાઈ દુર્ઘટના!

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતાં હોય છે. ત્યારે મધ્યપ્રદેશના ખરગોનમાં અકસ્માત સર્જાયો છે જેમાં 15 જેટલા લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ડોંગરગાંવ અને દસંગા વચ્ચે બોરાડ નદીના પુલની રેલિંગ તોડીને બસ નીચે પડી ગઈ હતી. પરંતુ નદી સૂકી હતી એમાં પાણી ન હતું. પાણી ન હોવાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ઝડપથી ચાલી રહી હતી અને તે સમયે બસ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ છે.  


સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!

જે બસને અકસ્માત નડ્યો છે તે ખરગોનના બેજાપુરથી બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ત્યાં આવી ચઢ્યા હતા. બચાવ કામગીરી પણ તરત શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.