મધ્યપ્રદેશમાં બની મોટી દુર્ઘટના! ખરગોનમાં 50 ફૂટ ઊંચા પુલની રેલિંગ તૂટતાં બસ નદીમાં પડી! અકસ્માતમાં થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-05-09 11:58:21

મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બસ ઈન્દોરથી ડોંગરગાંવ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત બન્યો છે. પુલ પરથી નીચે પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બસ ઓવરલોડેડ હતી જેને કારણે અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે મુસાફરોને લઈ જતી બસ પુલ પરથી નીચે ખાબકી છે જેને કારણે 15 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં 25 જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને વહીવટીતંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. મળતી માહિતી અનુસાર બસ પરથી કાબુ ગુમાવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં પાણી ન હોવાને કારણે મોટા ભાગના મુસાફરોને ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 15 જેટલા લોકોના મોત થયા છે.

  

નદી પરથી નીચે બસ પડી જતાં સર્જાઈ દુર્ઘટના!

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતાં હોય છે. ત્યારે મધ્યપ્રદેશના ખરગોનમાં અકસ્માત સર્જાયો છે જેમાં 15 જેટલા લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ડોંગરગાંવ અને દસંગા વચ્ચે બોરાડ નદીના પુલની રેલિંગ તોડીને બસ નીચે પડી ગઈ હતી. પરંતુ નદી સૂકી હતી એમાં પાણી ન હતું. પાણી ન હોવાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ઝડપથી ચાલી રહી હતી અને તે સમયે બસ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ છે.  


સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!

જે બસને અકસ્માત નડ્યો છે તે ખરગોનના બેજાપુરથી બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ત્યાં આવી ચઢ્યા હતા. બચાવ કામગીરી પણ તરત શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.