મધ્યપ્રદેશમાં બની મોટી દુર્ઘટના! ખરગોનમાં 50 ફૂટ ઊંચા પુલની રેલિંગ તૂટતાં બસ નદીમાં પડી! અકસ્માતમાં થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-05-09 11:58:21

મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બસ ઈન્દોરથી ડોંગરગાંવ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત બન્યો છે. પુલ પરથી નીચે પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બસ ઓવરલોડેડ હતી જેને કારણે અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે મુસાફરોને લઈ જતી બસ પુલ પરથી નીચે ખાબકી છે જેને કારણે 15 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં 25 જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને વહીવટીતંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. મળતી માહિતી અનુસાર બસ પરથી કાબુ ગુમાવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં પાણી ન હોવાને કારણે મોટા ભાગના મુસાફરોને ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 15 જેટલા લોકોના મોત થયા છે.

  

નદી પરથી નીચે બસ પડી જતાં સર્જાઈ દુર્ઘટના!

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતાં હોય છે. ત્યારે મધ્યપ્રદેશના ખરગોનમાં અકસ્માત સર્જાયો છે જેમાં 15 જેટલા લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ડોંગરગાંવ અને દસંગા વચ્ચે બોરાડ નદીના પુલની રેલિંગ તોડીને બસ નીચે પડી ગઈ હતી. પરંતુ નદી સૂકી હતી એમાં પાણી ન હતું. પાણી ન હોવાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ઝડપથી ચાલી રહી હતી અને તે સમયે બસ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ છે.  


સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!

જે બસને અકસ્માત નડ્યો છે તે ખરગોનના બેજાપુરથી બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ત્યાં આવી ચઢ્યા હતા. બચાવ કામગીરી પણ તરત શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.