Suratમાં સર્જાઈ દુર્ઘટના, આ શાળાની છત ધરાશાયી થતાં થયા આટલા શ્રમિકોના મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-15 13:31:12

સુરતમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં શાળાનો એક ભાગ ધરાશાયી થયો છે. એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી શાળામાં સમારકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. છતનો એક ભાગ નીચે પડી જતાં ત્રણ મજૂરો દટાયા હતા અને તેમાં 2 મજૂરોના મોત થઈ ગયા છે. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 



છતનો ભાગ ધરાશાયી થતાં થયા બે લોકોના મોત 

સમગ્ર રાજ્યમાં આઝાદી પર્વની ઉજવણી થઈ રહી છે. શાળાઓમાં આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતની એક શાળામાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે શ્રમિકોના મોત થઈ ગયા છે. જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન છતનો એક ભાગ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સારવાર અર્થે શ્રમિકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર નિકાળવાની કામગીરી કરવામાં આવી હતી.   


સમારકામ દરમિયાન બનતી હોય છે આવી દુર્ઘટના 

મહત્વનું છે કે સમારકામ દરમિયાન અનેક બિલ્ડિંગો ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. છત ધરાશાયી થવાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે સુરતની શાળામાં દુર્ઘટના સર્જાઈ છે. અનેક લોકોના મોત બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે, જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે થતા હોય છે. 




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે