Suratમાં સર્જાઈ દુર્ઘટના, આ શાળાની છત ધરાશાયી થતાં થયા આટલા શ્રમિકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 13:31:12

સુરતમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં શાળાનો એક ભાગ ધરાશાયી થયો છે. એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી શાળામાં સમારકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. છતનો એક ભાગ નીચે પડી જતાં ત્રણ મજૂરો દટાયા હતા અને તેમાં 2 મજૂરોના મોત થઈ ગયા છે. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 



છતનો ભાગ ધરાશાયી થતાં થયા બે લોકોના મોત 

સમગ્ર રાજ્યમાં આઝાદી પર્વની ઉજવણી થઈ રહી છે. શાળાઓમાં આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતની એક શાળામાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે શ્રમિકોના મોત થઈ ગયા છે. જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન છતનો એક ભાગ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સારવાર અર્થે શ્રમિકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર નિકાળવાની કામગીરી કરવામાં આવી હતી.   


સમારકામ દરમિયાન બનતી હોય છે આવી દુર્ઘટના 

મહત્વનું છે કે સમારકામ દરમિયાન અનેક બિલ્ડિંગો ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. છત ધરાશાયી થવાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે સુરતની શાળામાં દુર્ઘટના સર્જાઈ છે. અનેક લોકોના મોત બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે, જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે થતા હોય છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.