Suratમાં સર્જાઈ દુર્ઘટના, આ શાળાની છત ધરાશાયી થતાં થયા આટલા શ્રમિકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 13:31:12

સુરતમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં શાળાનો એક ભાગ ધરાશાયી થયો છે. એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી શાળામાં સમારકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. છતનો એક ભાગ નીચે પડી જતાં ત્રણ મજૂરો દટાયા હતા અને તેમાં 2 મજૂરોના મોત થઈ ગયા છે. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 



છતનો ભાગ ધરાશાયી થતાં થયા બે લોકોના મોત 

સમગ્ર રાજ્યમાં આઝાદી પર્વની ઉજવણી થઈ રહી છે. શાળાઓમાં આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતની એક શાળામાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે શ્રમિકોના મોત થઈ ગયા છે. જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન છતનો એક ભાગ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સારવાર અર્થે શ્રમિકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર નિકાળવાની કામગીરી કરવામાં આવી હતી.   


સમારકામ દરમિયાન બનતી હોય છે આવી દુર્ઘટના 

મહત્વનું છે કે સમારકામ દરમિયાન અનેક બિલ્ડિંગો ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. છત ધરાશાયી થવાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે સુરતની શાળામાં દુર્ઘટના સર્જાઈ છે. અનેક લોકોના મોત બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે, જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે થતા હોય છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.