Suratમાં સર્જાઈ દુર્ઘટના, આ શાળાની છત ધરાશાયી થતાં થયા આટલા શ્રમિકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 13:31:12

સુરતમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં શાળાનો એક ભાગ ધરાશાયી થયો છે. એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી શાળામાં સમારકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. છતનો એક ભાગ નીચે પડી જતાં ત્રણ મજૂરો દટાયા હતા અને તેમાં 2 મજૂરોના મોત થઈ ગયા છે. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 



છતનો ભાગ ધરાશાયી થતાં થયા બે લોકોના મોત 

સમગ્ર રાજ્યમાં આઝાદી પર્વની ઉજવણી થઈ રહી છે. શાળાઓમાં આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતની એક શાળામાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે શ્રમિકોના મોત થઈ ગયા છે. જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન છતનો એક ભાગ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સારવાર અર્થે શ્રમિકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર નિકાળવાની કામગીરી કરવામાં આવી હતી.   


સમારકામ દરમિયાન બનતી હોય છે આવી દુર્ઘટના 

મહત્વનું છે કે સમારકામ દરમિયાન અનેક બિલ્ડિંગો ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. છત ધરાશાયી થવાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે સુરતની શાળામાં દુર્ઘટના સર્જાઈ છે. અનેક લોકોના મોત બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે, જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે થતા હોય છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.