અમદાવાદમાં ભાજપના નેતા પર છરીના ઘા મારી હુમલો કરાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:05:11

ચૂંટણી નજીક આવતા રાજનીતિ ગરમાઈ રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી જીતવા ભારે મથામણ કરી રહી છે. અરવિંદ કેજરીવાલે બે દિવસીય ગુજરાતની મુલાકાત લીધી હતી. ભાજપ અને આપ વચ્ચે વાક પ્રહાર થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના ગોતમીપુરમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં દરમિયાન આપના કાર્યકરે ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પર છરી વડે હુમલો કર્યો છે. ઘાયલ થતા શારદાબેન હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે.

 

છરીના ઘા કરી કર્યા ઘાયલ

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે જેને કારણે રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી છે. એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત પર પ્રહાર થઈ રહ્યા છે. ત્યારે કર્ણાવતી મહાનગરના ગોમતીપુરના યુવા મોરચા પ્રમુખ પવન તોમર પર હુમલો કર્યો છે. આપના કાર્યકરે તેમની ઉપર હુમલો કર્યો છે.

 

આપ પર કરાયા આરોપ

ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે.

ગુજરાત એક શાંત રાજ્ય રહ્યું છે. આ બિલકુલ વ્યાજબી નથી અને આ ગુજરાતની પરંપરા નથી. રાજ્યને  બદનામ કરવા માટે આવા લોકો મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતને બદનામ કરવા રાજનીતિ રમાઈ રહી છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .